________________
૨૬૦
વા ક૫ડીય यत्र द्रष्टा च दृश्यं च दर्शनं चाविकल्पितम् ।
तस्यैवार्थस्य सत्यत्व श्रितास्त्रय्यन्तवेदिनः ॥७२॥ - જ્યાં દ્રષ્ટા, દશ્ય અને દર્શન એવા (અવિદ્યાકૃત) વિક૯પ નથી એવા (પરમ) તત્વના જ સત્યને ઉપનિષવિદો આશ્રય કરે છે. (૭૨)
કારિકા ૬ થી ૭૧માં ભાવ અને અભાવના અસ્તિત્વને ન્યાયની યુતિ વડે અસંગત હરાવીને હવે આગમ અર્થાત ઉપનિષદના પ્રામાણ્ય ઉપર ભાર મૂકીને ભd હરિ જણાવે છે કે જે પરમતત્ત્વરૂપ શબ્દબ્રહ્મમાં દ્રષ્ટા અથત ચૈતન્ય, દર્શન અર્થાત્ અંત:કરણવૃત્તિ અને દશ્ય અર્થાત સમસ્ત ભેદરૂ૫ વિશ્વપ્રપંચ એવા અવિઘાકૃત ભેદ નથી તેને જ વેદાન્તવિદો અર્થી ઉપનિષદ્-દ્રષ્ટાઓ સ્વીકારે છે.
सामान्य वा विशेष वा यस्मादाहुर्विशेषवत् ।
शब्दास्तस्मादसत्येषु भेदेष्वेव व्यवस्थिताः ॥७३॥ (સ) શબ્દ સામાન્ય કે વિશેષને અન્યથી વ્યાવૃત્તરૂપે જણાવતા હોવાથી ત (શબ્દો) અસત્ય ભેદોમાં જ રહેલા છે. (૭૩)
શબ્દ, સામાન્યનું, અન્ય સામાન્યથી વ્યાવૃત્તરૂપે અભિધાન કરે છે. તે પ્રમાણે શબ્દો વિશેષને પણ બીજા વિશેષથી વ્યાવૃત્ત રૂપે રજુ કરે છે. આમ શબ્દ અસત્ય એવા ભેદનું જ અભિધાન કરતા હોવાથી અભિન્ન અને અદ્રય એવા તાવને સ્પર્શી શકતા નથી. તેથી સમગ્ર શબ્દવ્યવહાર અસત્ય છે. ય, પ્રમેય વગેરે શબ્દો અય, અપ્રમેય વગેરેની વાવૃત્તિરૂપે જ અથને જણાવે છે. મહાભાષ્યકારે પણ જણાવ્યું છે કે સામાન્યમપિ યથા વિશેષતાના સામાન્યનો પણ વિશેષ જે વ્યવહાર થાય છે.
न ह्यभावस्य सद्भावे भावस्यात्मा प्रहीयते ।
न चाभावस्य नास्तित्वे भावस्यात्मा प्रसूयते ॥७४॥ અભાવને સદ્દરૂપે માનવાથી, ભાવનું સ્વરૂપ નાશ પામતું તથી. અભાવને અસત માનવાથી ભાવનું સ્વરૂપ ઉત્પન્ન થતું નથી. (૭૪).
અત્યાર સુધી અભાવને અવસ્તુ સમજીને ભાવ અને અભાવના વિરોધ વગેરેની ચર્ચા કરી. હવે વૈશેષિકમત પ્રમાણે અભાવને પદાર્થ માનીને ચર્ચા કરવામાં આવે છે.
न शाबलेयस्यास्तित्व बाहुलेयस्य बाधकम् ।
__ न शाबलेयो नास्तीति बाहुलेयः प्रकल्पते ॥७५।। - શાબલેયનું અસ્તિત્વ બાહુલેયના (અસ્તિત્વ)ને અટકાવતું નથી, શાબલેય નથી તેથી બાહુલેય(નું અસ્તિત્વ) ઉત્પન્ન થતું નથી. (૭૫)
શાબલેય એટલે શબલા અર્થાત કાબરચિતરી ગાયનું વાછરડું, અને બાહુલેય એટલે બહુલા અર્થાત્ ઘણું દૂધ આપનારી ગાયનું વાછરડું. બંને વચ્ચે કશે સંબંધ નથી. એકનો અભાવ એટલે બીજાનો ભાવ અને એકનો ભાવ એટલે બીજાને અભાવ એમ બનતું નથી. તે પ્રમાણે જે અભાવને જુદો પદાર્થ માનવામાં આવતું હોય તો તેના અસ્તિત્વ કે નાસ્તિત્વને ભાવના અસ્તિત્વ અને નાસ્તિત્વ સાથે કરશે સંબંધ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org