________________
૨૫૮
વાકષ૫રીય ઉત્પત્તિની પહેલાં અને નાશની પછી, ઉત્પાદક સામગ્રીવડે, સકાયના આવિર્ભાવ એટલે જન્મ, અને વિનાશક સામગ્રીવડે તિભાવ એટલે વિનાશ. આવો મત સત્કાર્ય. વાદી કપિલ વગેરે મહર્ષિઓનો છે. તેમના મતમાં અભાવ નામના કેઈ જુદા પદાર્થ નથી, કારણ કે કાર્યરૂપ ભાવ તે જ તેની પૂર્વ અને પછીની અવસ્થાઓ રૂપે સમજવામાં આવે છે. ઘડાની માટીરૂપ પૂર્વાવસ્થા પ્રાગભાવ છે અને કોડિયારૂપ ઉત્તર અવસ્થા પ્રqસાભાવ છે. બધું શૂન્ય છે એમ માનનારા અભાવવાદીએ ભાવ અને અભાવને પરમાર્થરૂપે સ્વીકારતા નથી. તેનારાજ જણાવે છે કે શુન્યવાદીઓ પણ સંવૃતિસત્ય અને પરમાર્થ સત્ય એમ બે પ્રકારના સત્ય માનીને સંસ્કૃતિ રૂપે ભાવને અને અભાવને સ્વીકારે છે (સરખા: મધ્યમકકારિકા, ૨૪.૮ - ૯)
अद्वये चैव सर्वस्मिन्स्वभावादेकलक्षणे ।
परिकल्पेषु मर्यादा विचित्रैवोपलभ्यते ॥६५॥ સ્વભાવથી એક અને અદ્વયરૂપે સર્વમાં રહેલા આ વિશ્વ)માં તેના જુદાજુદા) વિકલ્પમાં અનેક પ્રકારની (ભાવાભાવરૂ૫) વ્યવસ્થા પ્રાપ્ત થાય છે. (૫)
આ બાહ્ય, ભેદરૂપ વિશ્વ પરમાર્થરૂપે એક જ છે. અવિદ્યાને કારણે આ એકત્વ ભાવાભાવરૂપે નાનાત્વરૂપે સમજાય છે.
चतस्रो हि यथावस्था निरुपाख्ये प्रकल्पिताः ।
एवं दैविध्यमप्येतद् भावाभावव्यपाश्रयम् ॥६६॥ જેમ અનિવગ્ય (અભાવ)ની ચાર અવસ્થાઓ કહ૫વામાં આવી છે, તેમ ભાવ અને અભાવરૂપ બે પ્રકારે પણ સમજવામાં આવ્યા છે. (૬)
સ્વભાવથી નિરૂપાખ્ય અભાવની, પ્રાગભાવ, પ્રäસાભાવ, અત્યંતભાવ અને અન્યાભાવ એવી ચાર અવસ્થાએ ક૯પવામાં આવી છે. આવી અવસ્થાએ જેમ અવિદ્યાકન અને તેથી કાપનિક છે તેમ, ભાવ અને અભાવરૂપે સમજવામાં આવેલ છે અવસ્થાઓ પણ કાલ્પનિક છે.
अविरोधी विरोधी वा सन्नसन्वापि युक्तितः ।
क्रमवानक्रमो वापि नाभाव उपपद्यते ॥६७।। યુક્તિને આધારે વિચારતાં), વિરોધી કે અવિરેધી, સત કે અસત, ક્રમવાન કે અક્રમ એ અભાવ પ્રાપ્ત થતો નથી. (૭)
અભાવ અનુપખેય અર્થાત્ અનિર્વા હેવાથી ભાવથી તેને વિરાધ કે અવિરોધ સમજાતું નથી. તે જ પ્રમાણે અભાવમાં અસ્તિતા કે નાસ્તિતા, ક્રમ કે યૌગપદ્ય પ્રાપ્ત થતાં નથી. આમ બુદ્ધિપૂર્વક વિચારતાં અભાવ સ્વીકારાઈ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org