SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૫ ત્રીજુ કાંડ अभावस्यानुपाख्यत्वात्कारण न प्रसाधकम् । सोपाख्यस्य तु भावस्य कारण किं करिष्यति ॥६२॥ અભાવ સ્વરૂપ વિનાનો હેવાથી, કારણ તેને ઉત્પન્ન કરનારું બની શકતું નથી; ઉત્પત્તિની પહેલાં જ) સ્વરૂપને પ્રાપ્ત કરનાર ભાવને કારણે શા કામનું? (૬૨) કાય, ઉત્પત્તિની પહેલાં અભાવરૂપ છે. આ અભાવ નિઃસ્વરૂપ હેવાથી તેને કારણના વ્યાપારવડે ભાવરૂપે ઉતપન્ન કરી શકાતું નથી જે કઈ કાર્ય જ ન હોય તો કારણની પ્રવૃત્તિ કેવી રીતે થાય ? જે એમ કહેવામાં આવે કે વ્યક્તિરૂપે ઘટપટાદિ કાર્ય અભાવાત્મક છે, પરંતુ કારણમાં તે તે સત્ છે જ, તે પછી તેની ઉત્પત્તિમાં કારણ માનવાની જરૂર નથી. કાર્યની ઉત્પત્તિ માટે નિયત કારણની આવશ્યકતા છે. તલના તેલની ઈચ્છાવાળો તલને જ પીલે છે, સરસવને નહિ જો એમ ન હોય તો વાલુકામાંથી તેલ ન નીકળે ? સાંખ્યશાસ્ત્રમાં અને ઉપાદાનપ્રહણને નિયમ કહ્યો છે. દરેક કારણમાં દરેક કાર્યને ઉત્પન્ન કરવાની શક્તિ નથી. પરંતુ અમુક ચક્કસ કારણ ચોક્કસ કાર્યને જ ઉત્પન્ન કરે છે. तस्मात्सर्वमभावो वा भावो वा सर्वमिष्यते । न त्ववस्थान्तरं किञ्चिदेकस्मात्सत्यतः स्थितम् ।।६३॥ તેથી બધું ભાવરૂપે છે અથવા અભાવરૂપે છે. એક સત્યતત્વમાંથી આથી બીજી કઈ અવસ્થા પ્રાપ્ય બનતી નથી. (૩) વિકલ્પરૂપ ભાવ અને અભાવ પરમસત્તાના વિવત રૂપે છે. આ સમસ્ત વિશ્વ પરમાર્થ સત્તાની અવિદ્યાશક્તિને લીધે ભાવાભાવાત્મક ભાસે છે. બીજા શબ્દોમાં કહીએ તો પરમસત્તાને ભાવરૂપ કહે કે અભાવરૂપ કહે, આત્યંતિક રૂપે બધું એકસરખું છે. હેલારાજ જણાવે છે કે પરમાર્થ દશામાં જગતરૂપી અવિદ્યાપ્રપંચ અભાવરૂપ છે. (સરખાવો : વ્યવહારદ્રશાલામવિવાઘત્તિકપાયાં લયસ્થામિનવિમાત્રા તરવસ્થ યથાર્થમનવમાતાत्परमार्थतः सर्व प्रपन्चजातमभाव एवापरमार्थ एव ।...सांवृतेन तु रूपेण सर्व भावात्मकं थमानस्य वस्तुत्वात् । તમાનામાવનિછત્તિ ૨ રો મવિવાદ્રિત્ત अभाववादिनो वापि न भाव तत्त्वलक्षणम् ॥६४॥ તેથી લેકમાં જે ભાવવાદિએ છે તે અભાવને ઇરછતા નથી, અને અભાવવાદીઓ પણ યથાર્થ સ્વરૂપ ભાવને સ્વીકારતા નથી. (૬૪) વા-૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy