SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૫ ત્રીજુ કાંડ સ્થિતિમાં જ્ઞાન વિષયાકાર રૂપી કાલુષ્યવિનાનું, વિવિધ વિષય રૂપા લહરીઓ વિનાના જલરાશી સમું, સંવિરૂપ, પ્રભાસ્વર, ગ્રાહ્યગ્રાહ્યકાદિ ભાવ વિનાનું અને શુદ્ધ બ્રહ્મરૂપે હોય છે. (निष्ठायां चाकारकालु यापगमात् प्रभास्वर प्रशान्तकल्लोल संबिन्मात्रघन शुद्ध प्राह्यग्राहकप्रपञ्च. શૂન્ય વર બ્રહ્મા–હેલારાજ) उपप्लवो हि ज्ञानस्य बाह्याकारानुपातिता । कालुष्यमिव तत्तस्य संसर्गे व्यतिभेदजम् ।।५७।। જ્ઞાનનું બાહ્ય વિષયાકારનું અનુસરણ તેના અવરોધરૂપ છે અને વિષય સાથેના સંસર્ગથી પ્રાપ્ત થનારા વ્યામિશ્રભાવથી ઉત્પન્ન થયેલ કાલુષ્ય રૂપે છે. (૫૭) અવય : જ્ઞાન વાછાદાર નુપાતિતા. (જ્ઞાનW) ૩qઋa: તેટૂ (ga) તસ્ય (જ્ઞાનસ્થ વિષ) સં” (તિ) થઃ ઇથતિમે (aa: તમારનાર) ક્રાથમિવા - ૩૧૦ઋa : એટલે બાહ્ય વિષય વડે અવરોધ. જેમ જળનો ધૂળ સાથે સંપર્ક થવાથી તે ધૂળથી અવરુદ્ધ બને છે, અર્થાત આવિલ બને છે અને તે ધૂળ દૂર થતાં સ્વરછ રૂપે રહે છે તેમ બાહ્ય અથ રૂપી અશુદ્ધિ જ્ઞાન માટે અવરોધ સમી છે અને તે દૂર થતાં તે જ્ઞાન પિતાના શુદ્ધ રૂપે અવસ્થિત બને છે. વ્યતિભેદ એટલે અભેદ અર્થાત્ વ્યામિશ્રભાવ. यथा च ज्ञानमालेखादशुद्धौ व्यवतिष्ठते । तथोपाश्रयवानर्थः स्वरूपाद्विप्रकृष्यते ॥५८।। જેમ બાહ્ય વિષય વડે ઉપરક્ત બનીને જ્ઞાન અશુદ્ધિને પામે છે તેમ (જાતિ વગેરે ઉપાધિરૂપી) આશ્રયવાળો પદાથે તેના સ્વરૂપમાંથી દૂર કરાય છે.(૫૮) જ્ઞાન જ્યારે બાહ્ય વિષય સાથે આલેખ અર્થાત ઉપરાગને પામે છે ત્યારે તે અશુદ્ધ બને છે. જાતિ, ગુણ, ક્રિયા વગેરે ઉપાયો અર્થાત્ ઉપાધિઓવાળા પદાર્થો વ્યવહારમાં શબ્દવડે અભિહિત બને છે. સર્વથા નિરુપાધિક દ્રવ્ય, જ્ઞાનને કે અભિધાનને વિષય બની શકતું નથી. एवमर्थस्य शब्दस्य ज्ञानस्य च विपर्यये । 'भावाभावावभेदेन व्यवहारानुपातिनौ ॥५९।। આ પ્રમાણે (ઉપાધિરૂપી અશુદ્ધિવાળા) અર્થ, (અપૂર્ણ અભિધાન રૂપ અશુદ્ધિવાળા) શબ્દ અને (બાહ્ય આકાર વડે રંગાવા રૂપ અશુદ્ધિવાળા) જ્ઞાનને વિપર્યય થતાં ભાવ અને અભાવ વ્યવહારને અભિન્નપણે અનુસરે છે. (૫૯) અર્થમાં, જાતિ, ગુણ, ક્રિયા વગેરે ઉપાધિઓ સાથે સંસર્ગરૂ૫ અશુદ્ધિ, અપૂર્ણ અભિધાનરૂપી અશુદ્ધિ શબ્દમાં અને બાહ્ય આકાર વડે ઉપરક્ત થવા રૂ૫ અશુદ્ધિ જ્ઞાનમાં પ્રાપ્ત થાય છે. આને શબ્દ, અર્થ અને જ્ઞાનને વિપર્યય કહીશું. હવે વ્યવહારમાં ભાવપદાર્થ પણ પરે પાધિવડે ઉપરા બનેલા સમજાતા હોય તો અભાવ પણ અભિધાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy