SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ વાકયપદીય अकृत्स्नविषयाभासं शब्दः प्रत्ययमाश्रितः । अर्थमाहान्यरूपेण स्वरूपेणोनिरूपितम् ॥५४॥ શબ્દ, પદાર્થના અપૂર્ણ આભાસને રજૂ કરનારા જ્ઞાનનો આશ્રય કરે છે અને પિતાના સ્વરૂપ વડે નિરૂપિત નહિ થયેલા પદાર્થને અન્યરૂપે રજૂ કરે છે. (૫૪) શબ્દમાં પૂર્ણ તત્ત્વનું નિરૂપણ કરવાનું સામ નથી. વૈયાકરણે હમેશાં માને છે કે શબ્દ બાહ્ય પદાર્થ અર્થાત સમ્મતિ સત્તાનું નિરૂપણ કરતા નથી, પરંતુ બૌદ્ધ વસ્તુતત્ત્વને જણાવે છે. આમ બૌદ્ધ અથ જેને વિક૯પ કહેવામાં આવ્યો છે, તે શબ્દનો વિષય બને છે. વક્તા આવા વિકલ્પરૂપ અર્થનું ગ્રહણ કરીને શબ્દદ્વારા જણાવે છે અને શ્રોતા તેને વિકલ્પાત્મકરૂપે ગ્રહણ કહે છે. આવો વિકલ્પ કદાપિ પૂર્ણતત્વને વિષય બની શકતા નથી. સરખા – વિવોનય: રીટ્ટા વિઝન્યા: શાય: તેવામચરતસંવષે નાથ* શરી: gશન્ચમી – ન્યાયમંજરી, પૃ. ૧૪૫ रूपणव्यपदेशाभ्यां लौकिके वर्त्मनि स्थितौ । ज्ञान प्रत्यभिलापं च सदृशौ बालपण्डितौ ॥५५।। (વિવક્ષિત અર્થનું બુદ્ધિ વડે) નિરૂપણ અને (શદ વડે શ્રોતાને તેની પ્રાપ્તિ (-આ બને)વડે લોકવ્યવહાર કરનારા બાળક અને પંડિત, જ્ઞાન અને શબ્દપ્રાગ અંગે એકસરખા છે. (પ) સામાન્ય જનો વસ્તુનું યથાર્થ નિરૂપણ ન કરી શકે એ તો સમજી શકાય, પરંતુ પંડિત અર્થાત્ તત્ત્વદર્શને શબ્દવ્યવહાર પણ સામાન્ય માણસોને શબ્દવ્યવહાર જેવો જ હોય છે. તત્ત્વદશી પણ વિવક્ષિત અર્થનું બુદ્ધિદ્વારા નિરૂપણ કરીને શ્રોતાને શબ્દ દ્વારા તેની પ્રતીતિ કરાવે છે. તેથી તે જ્ઞાની પણ બાળક જેવો અર્થાત સામાન્ય જન જે અતત્ત્વદશી છે. અહીં યાદ રાખવું જોઈએ કે આ આ બધું વ્યવહારદશામાં છે. વ્યવહારતીત દશામાં તો તત્ત્વદર્શીઓનું જ્ઞાન પરમાર્થનું જ નિરૂપણ કરે છે. सर्वार्थरूपता शुद्धिर्ज्ञानस्य निरुपाश्रया । ततोऽप्यस्य परां शुद्धिमेके प्राहुररूपिकाम् ॥५६॥ જ્ઞાનની શુદ્ધિ બધા પદાર્થો રૂપે અને (ઈન્દ્રિયો રૂપી) આશ્રય વિનાની છે. વિષયના રૂપ વિનાની શુદ્ધિને કેટલાક આચાર્યો તેનાથી પણ ચઢિયાતી જણાવે છે. (૫૬) જ્ઞાનની શુદ્ધિ અર્થાત શુદ્ધ જ્ઞાનને બે પ્રકારનું કહ્યું છે, આદિનું અને અંતનું (૩વક્રમસમાલિદવે દે શ ). પ્રથમ શુદ્ધિ બધા અર્થકારેનું ગ્રહણ કરે છે. અલબત્ત આવા પ્રથમ શુદ્ધિજ્ઞાનમાં ઇન્દ્રિયો સાથેનો સંનિક હેતો નથી. યોગ, તપ, સ્વાધ્યાય વગેરે શક્તિઓથી પ્રાપ્ત થનારું સર્વજ્ઞનું જ્ઞાન, સમાધિની શરૂઆતમાં, આવી પહેલા પ્રકારની શુદ્ધિરૂપે હોય તે સવિકલ્પ સમાધિ પૂરી થતાં નિર્વિકલ્પક સમાધિરૂપ નિષ્ઠાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy