SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંડ ૨૫૩ સમગ્ર શદવ્યવહાર જગતમાંના અનેકત્વને સ્વીકારીને પ્રવૃત્ત થાય છે. આવા નાનાત્વની પેલે પાર રહેલ અતિતત્ત્વ શબ્દો દ્વારા વ્યવહાર્ય નથી. અત દશનમાં પારમાર્થિક દષ્ટિએ વિચારતાં નાનત્વવાળે શબ્દવ્યવહાર ઉપન્ન થતું નથી. વ્યાવહારિક દૃષ્ટિથી વિચારતાં શબ્દ, પરમતત્વની અસત્ય ઉપાધિઓ, જેને ભતૃહરિ પ્રદેશ કહે છે, તેને રજૂ કરે છે. ઘટ, પેટ, વગેરે શબ્દો પરમ શબ્દતત્ત્વની ઉપાધિઓ અર્થાત પ્રદેશને પણ પૂર્ણ રીતે રજુ કરી શકતા નથી, પરંતુ તેમના એકદેશ અર્થાત એકાંશને રજુ કરે છે. દ્રવ્યને ગુણસમુદાય માનીએ કે પતંજલિના મતે ગુણસંદ્રાવ માનીએ (મહાભાષ્ય પા. સુ ૪.૧ ૩) પણ હેલારાજ તેને માત્રાકલાપ કહે છે. ઘટ કે પટ શબ્દ આવા માત્રાકલાપનું સંપૂર્ણ અભિધાન કરી શકતો નથી. આ પ્રકારના અતિ દર્શનને ભર્તુહરિ અને હેલારાજ અનુસરે છે. સંસર્ગવાદી વૈશેરિકાના સિદ્ધાન્ત પ્રમાણે સર્વ શબ્દવ્યવહાર જાતિ, ગુણ વગેરે પર ઉપાશ્રયે દ્વારા નિષ્પન્ન થાય છે, જેમકે “ગાય” પોતાની મેળે ગાય પણ નથી અને અગાય પણ નથી. ગાય એટલા માટે ગાય છે કે ગત્વ સાથે તેનો સંસર્ગ છે. આમ ગેવ રૂપી ઉપાશ્રયો વડે ગાને બેધ થાય છે (સંક્ષરને તો ન શૌનવ્યની શરવામિसंबन्धाद्गौरिति बाह्यरूप' साक्षाद् व्यवहार्यमेव द्रव्य परोपधीयमानरूपविशेष व्यवहारमनुपतति । ત્રીજા પક્ષમાં શબ્દવ્યવહાર ભેદરહિત બ્રહ્મને અનેક ઉપાધિઓવાળા ભેદવાન તત્ત્વરૂપે જાહેર કરે છે. આ થયો તત્ત્વને વિપર્યય. પરમાર્થરૂપે વિજ્ઞાન એકાત્મ છે. શબ્દવ્યવહાર તેને ઘટ, પટ વગેરે બાહ્ય પદાર્થોના વિપર્યાયથી જણાવે છે. ચતુર્થી પક્ષમાં સર્વથા અવિદ્યમાન અથને પણ શબ્દદ્વારા જણાવવામાં આવે છે. ધટ, પટ વગેરેની સત્તા છે જ નહિ. તેમના અભાવને જ શબ્દો દ્વારા જણાવવામાં આવે છે. આ ચારેય પક્ષોમાં ધટ, પટ વગેરે શબ્દ વડે અર્થનું અભિધાન વસ્તુતત્ત્વને અનુસરતું નથી. શબ્દવડે અર્થનું જ સ્વરૂપ પ્રાપ્ત થાય છે તે કાંતિ અંશમાત્ર હેવાથી, અથવા વિપર્યયરૂપે હેવાથી અથવા અન્ય દ્વારા નિરૂપતું હોવાથી યથાર્થ નથી આમ શબ્દ અને સત્તારૂપ પદાર્થ વચ્ચે સંબંધ યથાર્થ, યોગ્યતા રૂપ અથવા નિત્ય નથી. यथेन्द्रियस्य वैगुण्यान्मात्राध्यारोपवानिव । जायते प्रत्ययोऽर्थेभ्यस्तथैवोदेशजा मतिः ॥५३।। જેમ નેત્ર વગેરે) ઈન્દ્રિયોના દોષને કારણે પદાર્થોનું દર્શન જાણે અન્ય પદાર્થોના અધ્યારોપવાળું ઉત્પન્ન થાય છે, તેવું જ શબ્દો વડે પ્રાપ્ત થતું (પદાર્થ) જ્ઞાન છે. (૫૩) નેત્ર વગેરે ઈન્દ્રિય જે દોષયુક્ત હોય તો પદાર્થનું વાસ્તવિક રૂપ જણાતું નથી. શબ્દો વડે અને બાધ દેષયુક્ત ઇન્દ્રિયો જેવો છે. જેમ કમળાથી પીડાતો માણસ સફેદ શંખને પીળે જ છે અર્થાત સફેદ શંખ ઉપર પીળા શંખને અધયારોપ કરે છે તેમ શબ્દો પણ પદાર્થના વાસ્તવિક રૂપને દર્શાવવાને બદલે અન્ય રૂપને જણાવે છે. ૩ના મતિઃા એટલે શબ્દો વડે પ્રાપ્ત થતું જ્ઞાન જેના વડે. અર્થાનું પ્રતિપાદન થાય તે उद्देश मर्यात् श उद्दिश्यते प्रतिपाद्यते अर्थ': येन इति उद्देशः ।। * ૨' ના" લાલ છ ત ત પૂણતના પ્રશન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy