SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ વાકયપદીય तस्माद्भिन्नेषु धर्मेषु विरोधिष्वविरोधिनीम् । विरोधिख्यापनायैव शब्देस्तैस्तैरुपाश्रिताम् ॥४९॥ अभिन्नकालामर्थेषु भिन्नकालेष्ववस्थिताम् । प्रवृत्तिहेतुं सर्वेषां शब्दानामौपचारिकीम् ॥५०॥ एतां सत्तां पदार्थो हि न कश्चिदतिवर्तते । सा च संप्रतिसत्तायाः पृथग्भाष्ये निदर्शिता ॥५१॥ તેથી પરસ્પર ભિન્ન અને વિરોધી ધર્મોમાં પણ અવિરોધી, પરસ્પર વિરોધી (કર્તા, કર્મ વગેરે સાધન)ને જાહેર કરવા માટે પ્રયોજાયેલા છે તે શબ્દો વડે આશ્રિત, કાલની ભિન્નતા વિનાની હોવા છતાં) ભિન્ન કાલવાળા પદાર્થોમાં રહેલી, અને બધા શબ્દોની પ્રવૃત્તિના કારણુરૂપ જે ઔપચારિકી સત્તા છે તેને કઈ (ક્રિયા કે કારકરૂ૫) પદાર્થ ઉલંઘતે નથી. બાહ્યા સત્તાથી તે જુદી છે એમ ભાષ્યમાં પણ જણાવવામાં આવ્યું છે. (૪૯-૫૧) ઉપચારસાને સંબંધ વર્તમાન, ભૂત અને ભવિષ્યના પદાર્થો સાથે પણ છે. આવા પદાર્થોનું બુદ્ધિમાં નિરૂપણ થયા પછી શબ્દદ્વારા પ્રતિપાદન થાય છે. તેથી બધા શબ્દોની પ્રવૃત્તિનું નિમિત્ત ઉપચાર સત્તા છે, બાહ્યસત્તા નહિ. વાક્યમાં ક્રિયાકારકભાવ ઉપચારસનાને અધીન છે, બાહ્યસત્તાને અધીન નથી. ક્રિયાવાચક આખ્યાત અને કારકવાચી સબતોનો સંબંધ બાહ્ય સત્તા સાથે નથી પરંતુ ઉપચારસરા સાથે છે. સવથા અસત એવાં શશવિષાણ, આકાશકુસુમ વગેરે પણ ઉપચારસત્તામાં જ સંનિવિષ્ટ બને છે. તેથી જ ભાષ્યકારે કહ્યું છે કે કોઈ પદાર્થ સત્તાનું અતિક્રમણ કરતો નથી (ન સત્તા વાળ ધ્યમિરરતિ ૫. વ. ઉ.૨.૨૪) આ ઉપરથી એટલું સ્પષ્ટ થાય છે કે બુદ્ધિસત્તા અર્થાત્ ઉપચારસનામાં સમાવિષ્ટ અર્થ જ શબ્દાથ છે. વૈયાકરણ શબ્દને પ્રમાણુ માનનારા છે. તેમને મતે અર્થ બાહ્ય અર્થરૂપે નથી, પરંતુ બોદ્ધ અર્થરૂપે છે. તેથી સમગ્ર વાવ્યવહારને આધાર બૌદ્ધ સત્તા પર છે. પરંતુ બૌદ્ધ અર્થ હમેશાં અર્થકાર્ય માટે સમર્થ હોતો નથી, તેથી અર્થકાય માટે બૌદ્ધસત્તાથી જુદી બાહ્ય સત્તાને સ્વીકાર વૈયાકરણએ કાર્યો છે. મહાભાષ્યકાર આ બાહ્યસત્તાને સંપ્રતિસત્તા કહે છે. સરખા હેલા રાજ : તહેવાર સત્તામાં સમર્પિતમારાનાં વાણાનામામાતાदिभावेन प्रत्यायनाद् यथार्थ एव शाब्दो व्यवहार इति संबन्धनित्यत्वमुपपादितम् । प्रदेशस्यैकदेश वा परतो वा निरूपणम् । विपर्ययमभाव वा व्यवहारोऽनुवर्तते ॥५२।। (પૂર્ણ તત્વના એક) પ્રદેશના એક ભાગને, અથવા જાતિ વડે (કરવામાં આવતા) બાહ્ય નિરૂપણને, (વસ્તુતત્ત્વથી) વિપરીત અથને અથવા અભાવને (શબ્દ)વ્યવહાર અનુસરે છે. (૧૨) અહીં વિયાકરણ, સંસર્ગદર્શનવાદીઓ (વૈશેષિક), વિજ્ઞાનવાદીઓ અને શૂન્યવાદીએના મને રજૂ કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy