________________
૨૫
ત્રીજું કાંડ સત્તામાં જ થાય છે. અસ્તિત્વ એટલે આત્માને અર્થાત પિતાને ધારણ કરવું. અહીં ધારણ ક્રિયાને કર્તા અને કર્મ એક જ છે. આવું એકત્વ મુખ્ય સત્તામાં સંભવિત નથી. સ્વતંત્ર કર્તા અને પરતંત્ર કમ, બંને વિરુદ્ધ ધર્મો, એક સાથે મુખ્ય સત્તામાં રહી શકતા નથી. સામાન્ય રીતે નિયમ એવો છે કે જે કર્મ ધાત્વર્થમાં સમાવિષ્ટ થાય છે તે ધાતુની સકર્મકતા પ્રયોજતું નથી. ધાત્વર્થનું અંગ બનનારું કમ ધાત્વર્થના ગ્રહણથી જ સમજાય છે. તેથી જન્મે છે.” (ગાયતે) અને છે (મસ્તિ) એવી ક્રિયાઓને આત્મલાભ અને આત્મધારણ એવો અય હોવા છતાં તે સકર્મક જ છે.
છે (શક્તિ) અને જન્મે છે (નાયસે) ના અર્થમાં આત્મરૂપ કર્મ અંતહિત છે, પરંતુ ધારણ અને લાભમાં તેમ હોતું નથી. તેથી “છે' (તિ) અને ધારણ કરે છે (ધારયતિ) કિયાએ ભિન્ન છે. એ પ્રમાણે ગાયતેમાં જન્મક્રિયા અને સ્ટમ્પતેમાં લાભક્રિયા પણ સર્વથા જુદી છે.
प्राक् च सत्ताभिसंबन्धान्मुख्या सत्ता कथं भवेत् ।
असंश्च नास्तेः कर्ता स्यादुपचारस्तु पूर्ववत् ॥४८॥ સત્તા સાથેના સંબંધની પહેલાં મુખ્ય સત્તા કેવી રીતે પ્રાપ્ત થાય? જેનું અસ્તિત્વ નથી તે અસ્તિત્વને કર્તા થઈ શકે નહિ; પરંતુ પહેલાંની જેમ સત્તા ઉપચારરૂપે સમજાય છે. (૪)
યાસ્ક જણાવે છે કે આખ્યાત સાધ્યરૂપમાં ભાવનું અભિધાન કરે છે. “રાંધે છે? (વઘતિ) શબ્દથી પાકક્રિયાની શરૂઆતથી અંત સુધીની પાકક્રિયા જણાવવામાં આવે છે. તેમાં પૌર્વોપય પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે છે' (તિ) પદથી અસ્તિત્વને બંધ સાધ્યરૂપમાં પૌર્વાપર્ય સાથે થાય છે. અકુર છે” (ર: તિ)માં અતિ પદથી અંકુરની સાધ્યાવસ્થા સમજાય છે. તેથી અસ્તિ ક્રિયાને કર્તા સિદ્ધાવસ્થાવાળો હોતો નથી. અહીં પ્રતીત થનારી સત્તા સાધ્ય અને સાધન એમ બે રીતે સમજાય છે. મુખ્ય સત્તામાં આમ બનતું નથી. જે હજુ સત્તાનો અનુભવ કરવાની સ્થિતિમાં છે તે કેવી રીતે સિદ્ધ બની શકે? સિદ્ધ થયેલે સાધ્ય ન થઈ શકે. તેથી “અંકુર ઉત્પન્ન થાય છે (મજુરો ગાયતે )ની જેમ અંકુર છે' (મર: મતિ) એવો પ્રગ ઉપચાર સત્તામાં પ્રાપ્ત થાય છે. .
વારકે છ ભાવવિકારો રજૂ કર્યા છે; ભતૃહરિ, મતિ, નાસ્તિ અને નાયસે એવા ત્રણ ધર્મો ઉપચારસત્તામાં દર્શાવીને ત્રણ ભાવવિકારોનો તેમાં અન્તભવ કરે છે. વિનાશ અભાવમાં અંતર્ગત છે. વૃદ્ધિ અને પરિણામ અને ઉપક્ષય વિનાશમાં અનતગત છે.
શબ્દાર્થ ઉપચારસત્તામાં જ સમાવિષ્ટ બને છે. આ ઉપચારસત્તા ઘટ, પટ વગેરે ભિ-ન પદાર્થોમાં સમાન હોવાથી સર્વત્ર એકરૂપે વ્યાપ્ત છે, એટલું જ નહિ, પરંતુ બાહ્યસત્તાના વિરોધી અબ્રાહ્મણ જેવા પ્રયોગો શબ્દવ્યવહારમાં પણ વ્યાત બને છે. આમ ઉપચાર સત્તા પદાર્થ માત્રમાં રહેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org