SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંઇ ૨૪: પ્રયોજાતો બ્રાહ્મણત્વને વિરોધ, બાહ્ય સત્તામાં પ્રાપ્ત થશે નહિ. બાહ્ય સત્તા અભાવની વિરોધી છે. હવે જે “બ્રાહ્મણ શબ્દથી બાહ્ય સત્તામાં રહેલ બ્રાહ્મણ સમજાય તો અબ્રાહ્મણ પદનો પ્રયોગ થશે નહિ; કારણ કે તેનો અભાવ ન હોવાથી અભાવ અર્થમાં નબને પ્રયોગ થશે નહિ, હવે જે બ્રાહ્મણ પદની બાહ્ય સત્તા માનવામાં ન આવે તો બાહ્ય સત્તામાં રહેલ બ્રાહ્મણના અભાવમાં બ્રાહ્મણ શબ્દનો પ્રયોગ થશે નહિ, તેથી જે અબ્રાહ્મણ એવો પ્રગ કરવામાં આવે તે નર દર્શાવતો પ્રત્યય કેને નિષેધ કરશે, કારણ કે બ્રાહ્મણની બાહ્ય સત્તા માની નથી ? આમ બાહ્ય સતાના અનુસંધાનમાં નથ અસંભવ છે; સરખા : પ્રમાણ वात्ति ४.२२१. सतां च न निषेधोऽस्ति सोऽसत्सु न विद्यते । जगत्यनेन न्यायेन नआर्थः प्रलयं गतः ॥ શબ્દાર્થને જે બૌદ્ધ અથવા ઉપચાર સત્તાવાળે માનવામાં આવે તો અબ્રાહ્મણ વગેરે પ્રયોગ પ્રાપ્ત થશે, કારણ કે ઉપચારસત્તા સત્તા સામાન્યરૂપ અને ભાવાભાવસાધારણ છે, તેથી અસ્મથ અને નથિને ઉપચાર સત્તામાં સમાવેશ કરવામાં કશો - આવતો નથી: સરખાવો હેલારાજ: યતિ પુનરાં નિવૃત્તાવાઈ છો ત્રાણાના દિન' પ્રથા gવં યથા વિજ્ઞાસે, નેતિ જીતે સહક રચાત્ હ્ય પાથ નિવăત તો મહાભાષ્ય ૨.૨૬) अत्र सर्वथा निवृत्तपदार्थकत्वे प्रयोग एव न स्यादिति बाह्यार्थापेक्षयैब निवृत्तपशर्थकत्वम् । उपचार. सत्तापेक्षया तु प्रयोग इति स्फुटमुक्त' भवति । आत्मलाभस्य जन्माख्या सता लभ्य च लभ्यते । यदि सज्जायते कस्मादथासज्जायते कथम् ॥४३॥ અનુત્પન પદાર્થની સ્વરૂપ પ્રાપ્તિનું નામ જન્મ છે. અસ્તિત્વમાં આવેલા વડે પ્રાપ્યને પ્રાપ્ત કરવામાં આવે છે. જે તે અસ્તિત્વમાં હેય તે શા માટે તે જન્મ છે અને જે તે અસ્તિત્વમાં ન હોય તો તે કેવી રીતે જન્મ પામે? (૩) પિતાની ઉત્પત્તિની પહેલાં અસત્ અથવા અસત્કાય પદાર્થની સ્વરૂપપ્રાપ્તિને તેને જન્મ કહેવાય છે. અંકુર ઉત્પન્ન થાય છે', એ ઉદાહરણમાં અસ્તિત્વમાં આવેલા અંકુર અંગે લબ્ધા અર્થાત કર્તા, લભ્ય અર્થાત લાભકમ અને લાભ એટલે લાભક્રિયા એમ ત્રણને બંધ થાય છે. આ ત્રણને જે સકાયના અનુસંધાનમાં સમજવામાં આવે તો તેના જન્મનો વિરોધ થશે, કારણકે જેનું અસ્તિત્વ છે, તેને જન્મ લેતો નથી. બાહ્યસત્તાવાળા અર્થને જ જે શબ્દાર્થ સમજવામાં આવે તે અંકુર ઉત્પન્ન થાય છે એવો વ્યવહાર થઈ શકશે નહિ, કારણ કે, જે રૂપે અસ્તિત્વ છે તે જ રૂપે જન્મ હોતું નથી અને જેના વડે જન્મ છે તેના વડે અસ્તિત્વ નથી. સ્વરૂપમાતિરૂપ જન્મક્રિયા, ગમનક્રિયાના જેવી છે. ગમનમાં ગન્તા, ગન્તવ્ય વગેરે બાહ્ય સત્ છે. તે પ્રમાણે સ્વરૂપ પ્રાપ્તિમાં પ્રાપ્તિકિયા, પ્રાપ્તિક્રિયાને કર્તા (અંકુર) અને પ્રાપ્તવ્ય સ્વરૂપ, બાહ્ય સદ્દવિષયક હેવાં જરૂરી છે. વૈયાકરણસિદ્ધાન્તમાં બે સત્તાઓ માનવામાં આવી છે; બાહ્યસત્તા અને ઉપચારસત્તા. અન્ય પ્રમાણ કે પ્રમાણે દ્વારા બાહ્ય સત્તાનું અસ્તિત્વ પ્રમાણિત બનતું હોય તે વયાકરણને તે સ્વીકાર્ય છે; પરંતુ શબ્દાર્થને તેઓ બાહ્યસત્તામાં નહિ પરંતુ બુદ્ધિસત્તા અયત ઉપચારસત્તામાં સનિવિષ્ટ સમજે છે. વા-૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy