________________
બીજુ કાંડ
૨૪૭ ઘટાદે શબ્દો વડે તેમના નિયત અર્થોને બંધ થાય છે, તે બાબત જ તેમની વચ્ચે યોગ્યતા૩૫ નિત્યસંબંધને પ્રમાણિત કરે છે. મીમાંસકે પણ આ જ વાત કહે છે કે શબ્દનું જ્ઞાન થતાં અર્થનું જ્ઞાન થાય છે, તે કારણે સંબંધ છે એમ સિદ્ધ થાય છે. साव। यच्छब्दे विज्ञातेऽर्थो विज्ञायते स संबन्धः ।
नित्येऽनित्येऽपि वाप्यर्थे पुरुषेण कथञ्चन । - संबन्धोऽकृतसंबन्धैः शब्दैः कर्तुं न शकयते ।।३८।।
અર્થને નિત્ય સમજવામાં આવે કે અનિત્ય, પરંતુ કઈ વ્યક્તિ પોતાના અર્થો સાથે જેમનો સંબંધ નિશ્ચિત થયું નથી તેવા શબ્દો વડે શબ્દો અને અર્થો વચ્ચેના સંબંધને સિદ્ધ કરી શકે તેમ નથી. (૩૮). | સર્વત્ર નિત્ય જાતિ શબ્દાર્થ છે, અનિત્ય વ્યક્તિ નહિ. આકાશ, કાલ, દિફ વગેરે શબ્દોનો અર્થ નિત્ય વ્યક્તિ છે. આવી સ્થિતિમાં ઘટટિરૂ૫ અનિત્ય ઉપાધિથી વિશિષ્ટ બ્રહ્મરૂપ દ્રવ્ય જ સર્વત્ર શબ્દાર્થ છે. આમ માનતાં કેઈ વ્યક્તિ સંકેત કરી શકતી નથી, કારણ કે તેની પહેલાં પણ નિત્ય દ્રવ્ય હોય છે. રાખ કઈક અર્થનો વાચક છે એમ સ્વીકારતાં ભગવાન આદિપુરુષે સુથાર, કુંભાર, લુહાર વગેરેના સર્જનની સાથે સાથે તે તે વ્યક્તિઓને તેમના વાચક શબ્દો સાથે સંકેત કર્યો. આ સંકેત શબ્દાર્થ વચ્ચેના નિત્ય સ્વાભાવિક સંબંધને અભિવ્યક્ત કરે છે.
व्यपदेशे पदार्थानामन्या सत्तौपचारिकी ।
सर्वावस्थासु सर्वेषामात्मरूपस्य दर्शिका ॥३९॥ પદાર્થોના, શબ્દ દ્વારા બંધના નિમિત્ત રૂપે, બાહ્ય સત્તાથી જુદી ઉપચાર સત્તા રહેલી છે. તે બધી અવસ્થામાં બધા પદાર્થોના સ્વરૂપને દર્શાવે છે. (૩૮)
વિયાકરણો પદાર્થોની બે પ્રકારની સત્તા માને છે, બુદ્ધિસ્થ સત્તા અને બાહ્યસતા. પતંજલિના મતમાં કોઈપણ પદાથ સત્તા વિનાને હોતો નથી (ન સત્તાં વઢાથ afમવરતિ ! મહાભાષ્ય, પા. સૂ ૫.૨.૯૪). આમ કહેવાનું કારણ એ છે કે દરેક પદાર્થ બુદ્ધિસત્તામાં સમાવિષ્ટ હોય છે જ. આ બુદ્ધિનિષ્ઠ સત્તાને ઉપચાર સત્તા કહે છે. ભાગ્યકાર પતંજલિ ઉપચારસત્તા અર્થાત બૌદ્ધીસત્તા માટે ભૂતભવિષ્યત્સત્તા શબ્દ પણ વાપરે છે, અને બાહ્યસત્તા માટે સંપ્રતિસત્તા શબ્દ વાપરે છે. ઉપર નિદેશેલા સૂત્ર અને તેના ભાષ્ય ઉપરથી સમજાય છે કે પતંજલિને બે પ્રકારની સત્તા માન્ય હતી. ભતૃહરિ બાહ્યસત્તાને મુખ્ય સત્તા કહે છે અને બૌદ્ધીસત્તાને ઔપચારિકી અથવા ઉપચારસત્તા કહે છે. કયટ (મહાભાષ્ય, ૫.૨ ૯૪), સંપ્રતિસત્તા, વતમાનસત્તા અને બાહ્યસત્તા આ બધાને એકસરખાં ગણે છે. ઉપચારસના ભૂત અને ભવિષ્યકાળમાં અર્થરૂપ દર્શાવે છે. અતીત, અનાગત વગેરે શબ્દોનો પણ અથ પ્રાપ્ત થતો હોવાથી સંબંધની નિત્યતા પ્રાપ્ત થાય છે. વિશેષણવિશેષ્ય અવસ્થામાં પણ આ ઉપચારસત્તા છે. આમ ન હોય તે વિશિષ્ટ અને નિભંગ પદાર્થોને અંશોનું જ્ઞાન કેવી રીતે થાય ? શશવિષાણુ, અલાતચક્ર, વયાપુત્ર વગેરે શબ્દો પણ આ ઉપચાર સત્તાને કારણે, બાહ્ય અભિધેય અસત્ય હોવા છતાં, બુદ્ધિ વડે નિરૂપિત બનતા હોવાથી, અથર સાથે તેમને નિત્યસંબંધ સમજાય છે. આમ ભૂતભવિષ્યત્સત્તા એટલે બૌદ્ધી અર્થાત ઉપચાસત્તા અને વર્તમાન સત્તા એટલે સંપતિસત્તા અર્થાતુ બાહ્યસત્તા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org