SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ २४ વાકષપદીય પહેલી પંક્તિમાં શબ્દાર્થ સંબંધની પ્રવાહનિત્યતાને અને બીજી પંક્તિમાં કુટસ્થ નિત્યતાને જણાવવામાં આવી છે. ઉચ્ચરિત ઘટ, પેટ, વગેરેમાંથી અભિધેયરૂપ ચક્કસ અર્થનું જ્ઞાન હમેશાં થતું રહે છે. શબ્દનું બાહ્ય રૂપ પ્રવંસી હોવા છતાં અભિધેય રૂપે શબ્દાર્થ નિત્ય હોવાથી અર્થવાન દ્રવ્યોનો તેમના અર્થે સાથે નિત્ય સંબંધ છે એમ મહાભાષ્ય પમ્પશાહિકમાં પ્રવાહનિત્યતા સુચવાઈ છે; સરખાવેલ : ઘરવિશંકાકુઇવરિતાસકારાવઝટ્ટહ્ય પ્રત્યાહ્ય સપઝનનાર્ વાન रूपेण प्रध्वंसित्वेऽप्यभिधेयकत्वेन शब्दार्थस्य नित्यत्वान्नित्यो ह्यर्थवतामथैरभिसंबन्ध इति प्रवाहनित्यताश्रयेण पस्पशायामुक्तम् । અનિત્ય પણ નિત્ય સત્તાની જ શક્તિ છે અને તેનાથી જુદી નથી. ઘટ, પટ વગેરે શબ્દો બધી અવસ્થામાં અર્થાત્ સવ કાળમાં ઘટ વગેરે ઉપાધિવિશિષ્ટ બ્રહ્મરૂપ કુટ નિત્ય દ્રવ્યનું જ પ્રતિ વાદન કરે છે. આમ શબ્દ અને અથ એવા સંબંધીઓ નિત્ય હોવાથી શબ્દાર્થસંબધ પણ નિય છે. शब्देनार्थस्य संस्कारो दृष्टादृष्टप्रयोजनः । क्रियते सोऽभिसंबन्धमन्तरेण कथ भवेत् ॥३५॥ (જાદુમન્ચ જેવા અનર્થક) શબ્દ વડે પણ અર્થને દષ્ટ અને અદષ્ટ પ્રોજનવાળે સંસ્કાર કરવામાં આવે છે, તે (આવા નિત્ય) સંબંધ વિના કેવી રીતે થઈ શકે ?(૩૫) ભીલ વગેરે લેકેના, સાપ, વીંછી વગેરેનું ઝેર ઉતારનારા અર્થવિનાના મન્ચાથી ઝેર વિ) છે આવા મત્રાક્ષરોનું પ્રયોજન પ્રત્યક્ષ છે. તેવી જ રીતે તંત્ર વગેરે ગઢ સંપ્રદાયના મંત્ર, ઓમ, ઍ, કુલી વગેરે બીજાક્ષર રૂપ શબ્દો વડે તેમના દિવંગત પિતૃઓને ઉત્તમ લોક અને પિતાને અલૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. અહીં અદષ્ટ પ્રયોજન છે, શબ્દ અને તેના અભિધેય વચ્ચે સંબંધ ન હોય તે આવું કેવી રીતે સંભવે ? नावश्यमभिधेयेषु संस्कारः स तथाविधः । दृश्यते न च संबन्धस्तथाभूतो विवक्षितः ॥३६।। અભિધેય પદાર્થોમાં, શબ્દો વડે કરાવવામાં આવતો આવા પ્રકારનો (દૃષ્ટાદૃષ્ટપ્રોજનરૂપ) સંસ્કાર હંમેશાં જોવા મળતું નથી; અને તે (સંસ્કારના નિમિત્ત રૂપે રહેલ) સંબંધ વિવક્ષિત પણ નથી. (૩૬) ઘટાદિ શબ્દોને તેમના અર્થો સાથે દષ્ટાદષ્ટપ્રયોજનરૂપ સકાર દેખાતો નથી, તેથી તે કારણે સંબંધ સિદ્ધ થતો નથી એ બાબત અહીં જણાવવામાં આવી છે. सति प्रत्ययहेतुत्व संबन्ध उपपद्यते । शब्दस्यार्थे यतस्तत्र संबन्धोऽस्तीति गम्यते ॥३७॥ શબ્દને અર્થમાં બંધ થવા રૂપી કારણ હોવાથો, સંબંધ પ્રાપ્ત થાય છે, તેથી (શબ્દ અને અર્થ વચ્ચે) સંબંધ છે એમ સમજાય છે. (૩૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy