SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંડ अथाप्यवाच्यमित्येव न तद् वाच्यं प्रतीयते । विवक्षितास्य यावस्था सैव नाध्यवसीयते ॥ २१ ॥ અને વળી અવાચ્ય એવા શબ્દવડે પણ તે (સમવાય સબંધ) વાચ્ય મનતા ન હોય એમ હાય તેા તેની ( અવાચ્ય શબ્દ વડે) વિવક્ષિત ( અવાચ્ચત્વરૂપ) અવસ્થા પણ સ્પષ્ટ થતી નથી. (૨૧) तथान्यथा सर्वथा च यस्यावाच्यत्वमुच्यते । તાપિ નૈવ સાવસ્થા તૈઃ શનૈ; પ્રત્તિવિષ્યતે ।।૨૨।। જેનું અવાચ્યત્વ કહેવાય છે તે, તે પ્રકારે, અન્ય પ્રકારે કે સર્વ પ્રકારે અવાચ્ય છે એમ જો હાય તે, ત્યાં પણ તે અવસ્થા તેવા શબ્દો વડે પ્રતિષેધ પામતી નથી. (૨૨) વૈશેષિક જણાવશે કે સમવાય તેના પારતન્ય ધર્મને કારણે અવાચ્ય છે પણ સથા અવાચ્ય નથી. ધીરૂપે તેનામાં સ્વાતંત્ર્ય હાવાથી સમવાય શબ્દ વડે તે વાચ્ય બને છે. સમવાયશબ્દવાચ્યત્વ અને અવાચ્યવને વિરાધ પણ નથી. આના જવાબમાં આ કારિયા છે. ૨૦૧ જેને હેલારાજ વાલ કહે છે, તે આ પ્રકારે છે. સમવાયને જ્યારે અવાચ્ય કહે છે. ત્યારે અવાચ્ય શબ્દથી સમવાયનું જ કથન થાય છે. સમવાય અવાચ્ય શબ્દના વાચ્ય બને છે. સમવાયને અવાચ્ય કહેવાના આશય તેને સ પ્રાર અવાચ્ય જણાવવાને નથી પરંતુ પારત ંત્ર્ય રૂપે તે અવાચ્ય છે એમ જણાવવાના છે. એના અથ એવા થયેા કે સમવાય એક વિશિષ્ટ રૂપમાં જ અવાચ્ય છે, અન્યથા વાચ્ય છે. અહીં સમવાયના એક પ્રકાર માત્રને જ નિષેધ છે, સમવાયની સમગ્ર વાચ્યતાને નિષેધ નથી પરંતુ આ બરાબર નથી, કારણ કે ધમી ના પ્રતિષેધ ન થાય ત્યાં સુધી શબ્દ વડે માત્ર ધર્મના પ્રતિષેધ યેાગ્ય ખના નથી. અમુક એક પ્રકારે અવાચ્ય છે એમ કહેવામાં આવે તેા તેને જવાબ એ છે કે પ્રકારવાનની વાચ્યતાના પ્રતિષેધ વિના પ્રકાર માત્રનેા નિષેધ થતા નથી. પ્રકારવાનના પ્રતિષેધ દ્વારા જ પ્રકારના નિષેધ થાય છે, તેથી પારતન્ત્યરૂપ સમવાયને જ્યારે અવાચ્ય કહેવામાં આવે છે. ત્યારે સમગ્ર સમવાયની અવાચ્યતા સમજવામાં આવે છે. વા-૩૧ Jain Education International न हि संशयरूपेऽर्थे शेषत्वेन व्यवस्थिते । अव्युदासे स्वरूपस्य संशयोऽन्यः प्रवर्तते ॥२३॥ સ’શયરૂપ અ યારે શેષરૂપે વ્યવસ્થિત થયેા હાય અને સંશયના સ્વરૂપના નિષેધ થયા ન હોય ત્યારે બીજો સંશય પ્રાપ્ત થતા નથી. (૨૩) સંશયજ્ઞાનમાં વિષયભૂત અ અનિશ્ચિત હાય છે, કારણ કે સંશયાન પુરુષ અને સ્થાણુ એમ એ બાબતને સ્પર્શે છે. આ અંગે એક ખીજી બાબત ધ્યાનમાં રાખવાની છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy