SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ વાય જય વૈશેષિક દર્શનમાં આત્મા વિભુ દ્રવ્ય છે. તેથી બધાં દ્રવ્યો સાથે તેને સંગ એક સરખે હોય છે. તેમ છતાં પ્રત્યેક આત્મા સાથે નિયત ધર્મ અને અધર્મને કારણે પિતાના શરીર વગેરેમાં તેને સ્વસ્વામિભાવ સંબંધ જણાય છે, બીજાં દ્રવ્યો સાથે જણાતો નથી; તેમ અહીં પણ સંગ કે સમવાયરૂપ સંબંધ અવિશિષ્ટ હોવા છતાં શબ્દો તેમના અર્થો દર્શાવશે. તેથી અતિવ્યાપ્તિ થશે નહિ. હેલા રાજ વશેષિકોની આવી વાત સ્વીકારતા નથી. તેમણે રજૂ કરેલું સમાધાન નીચે પ્રમાણે છે. આત્માનો બધા પદાર્થો સાથેનો સંયોગ સમાન હોવા છતાં બધું આત્મ નું નથી, પરંતુ શરીર વગેરે તેનાં છે; બધાં શરીર વગેરે પણ આત્માનાં નથી, કારણ કે દરેક આત્માને તેના અદષ્ટ પ્રમાણે શરીર પ્રાપ્ત થાય છે, તેવો નિયમ છે. તે પ્રમાણે આશ્રય સાથેનો સંબંધ કે સમવાયરૂ૫ સંબંધ જુદા ન હોવા છતાં બધા શબ્દ વડે બધું વાચ્ય બનતું નથી. આ સંબંધ જે તે શબ્દોના તે તે અર્થોમાં થતા પ્રયોગદર્શનના અભ્યાસથી થનારા સરકારને અધીન છે. આવા સંસ્કારવડે નિશ્ચિત બનતા સંકેતથી જેનું સ્વરૂપ ક૯૫વામાં આવ્યું છે, તે અને પ્રયોગ, દર્શન અને અભ્યાસ વડે પ્રાપ્ત થનારો રૂપ સંસ્કાર જ શબ્દ અને અર્થને સંબંધ થઈ શકે તો પછી કે ઈ પણ નિમિત્તના નિયન્ત્રણ વિનાના સંગરૂપ કે સમવાયરૂપ સંબંધની શી જરૂર ? प्राप्ति तु समवायाख्यां वाच्यधर्मातिवर्तिनीम् । प्रयोक्ता प्रतिपत्ता वा न शब्दैरनुगच्छति ॥१९॥ શબ્દો વડે પ્રતિપાદ્ય અર્થોના ધર્મોને ઉલંઘી ગયેલ સમવાય નામે પ્રાપ્તિને ઉચ્ચારણ કરનાર કે સાંભળનાર પહોંચી શકતા નથી. (૧૯) ગવાદિ પદાર્થો ગવાદિ શબ્દો વડે વાચ્ય બનતાં જાતિ, ગુણ, ક્રિયા વગેરે ધર્મો સાથે જોડાય છે, કારણ કે આવા ધર્મો રૂપી ઉપાધિ વિનાનાં દ્રવ્યો હતાં નથી. સમવાય ઉપાધિ વિનાને છે. વૈશેવિક જાતિ, ગુણ, ક્રિયા વગેરે ઉપાધિઓ સમવાયમાં સ્વીકારતા નથી. સમવાય વાચ્ય ધર્મોન ઊલંધીને રહે છે. તેથી વક્તા દ્વારા શબ્દ વડે તે જણાવી શકાતો નથી. આ અવું છે, આ તેવું છે એવો વાધમ પણ તેમાં રહેલો નથી. બેલનાર કે સાંભળનાર, સમવાયશબ્દના ઉચ્ચારણમાંથી પણ તે વાધમને પ્રાપ્ત કરી શકતો નથી. ઉપરાંત તેના સ્વરૂપને જણાવનાર બીજે કોઈ શબ્દ નથી. તેથી સમવાય અવાય જ છે. સામાન્ય રીતે સમવાયશબ્દ સમૂહના અર્થમાં વપરાય છે. માત્ર વશેષિકો જ તેને સ્વતંત્ર પદાર્થ સમજે છે. अवाच्यमिति यद्वाच्य तदवाच्यतया यदा । वाच्यमित्यव सीयेत वाच्यमेव तदा भवेत् ॥२०॥ સમવાય સંબંધ અવાચ્ય છે' એવા વાકયમાં). જે અવાચ્ય (એવા શબ્દ) વડે વાચ્ય છે, તે જયારે અવાચ્યતા વડે વાચ્ય તરીકે વ્યવહાર પામે છે ત્યારે, વાગ્યે જ બને છે. (૨૦ નિયમિક અહીં વાલિ રૂપે જણાવે છે કે જ્યારે અવાચ્યને અવા તરીકે વાગ્ય કરવામાં આવે છે ત્યારે અર્થાત જણાવવામાં આવે ત્યારે તે કારણે જ તે વાચ્ય બને છે. સમવાય અવાચ્ય છે એમ કહેવું વદતોવ્યાઘાત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy