________________
૨૮
શબ્દોના અર્થો વાક્ય, પ્રકરણ, અર્થ, ઔચિત્ય, દેશ અને કાલ પ્રમાણે નક્કી થાય છે, માત્ર તેમના સ્વરૂપ ઉપરથી નહિ. સંસર્ગ, વિપ્રયાગ, સાહચર્ય, વિરેાધિતા, લિંગ, અન્ય શબ્દની સંનિધિ, સામર્થ્ય, વ્યક્તિ, સ્વર વગેરે, શબ્દનો અર્થ એક્કસ થતો ન હોય ત્યારે વિશિષ્ટ અર્થ માટે નિર્ણાયક કારણ બને છે (૩૧૪-૩૪૧) - પારકે નોંધેલ ઔદુમ્બરાયણ આચાર્યને મત ભારપૂર્વક જણાવે છે કે શ્રેતાની બુદ્ધિમાં વાક્યનું નિત્યત્વ છે. તેથી પદોનો ચાર પ્રકારે વિભાગ કરવો જોઈએ નહિ. તેથી અખંડ વાકયથી જુદું કશું નથી. (૩૪૨–૩૪૯)
ઉત્સર્ગ અને અપવાદને અનેક ક્રિયાપદો સાથે સંબંધ હોવા છતાં, જુદા જુદા રૂપવાળું વાકષ એક સમજવામાં આવે છે. ઉત્સર્ગનિયમને અપવાદનિયમની આકાંક્ષા હોવાથી આ૫વાદનયમ રૂપી શેષ વાકયનું અનુમાન થાય છે. પ્રતિષય વિષયની બાબતમાં ઉત્સર્ગનિયમ અપવાદનિયમના જેવી જ અપેક્ષા રાખતા હોવાથી બંનેની અપેક્ષા સરખી છે. (૩૫૦-૩૫૩).
દેવદત્ત જેવા સંજ્ઞાશબ્દના દત્ત એવા અવયવનો લોપ થતો નથી. આવા જુદા અવયવ. શબ્દને કારણે તેનો અવયવી એવો દેવદત્ત શબ્દ જુદે સમજાતું નથી. દેવદત્તને અવયના સમુદાય રૂપે અને દેવદત એવા સ્વતંત્ર શબ્દ રૂપે જણાવાય છે. સંજ્ઞાશબ્દના ધણીનું અર્થવવ સંdીઓ વડે પ્રાપ્ત થશે.
સમાન સ્વરૂપને કારણે સંદિગ્ધ અર્થવાળા પરંતુ સામર્થ્યને કારણે નિયત અર્થના વાચક તે શબ્દોમાંના શુદ્ધ શબ્દો માટે શાસ્ત્રમાં લેપ વગેરેનું વિધાન થયું છે. થે, દ્રા, ઘા એવા અવયથી શેકા, માત્ર, માનું સ્મરણ થતું નથી. તે અવવશબ્દો અસાધુ છે. વ્યાકરણશાસ્ત્રમાં વૃદ્ધિ વગેરે સંજ્ઞાઓને તેમના નિયત સંgીઓમાં અર્થશક્તિનું નિયમન કરનાર સંબંધ, વિશેષણ અને વિશેષ્ય જે નિયત છે. લૌકિક સંજ્ઞાઓ તેમના પ્રવૃત્તિનિમિત પ્રમાણે પ્રવર્તે છે. ક્યાંક કૃત્રિમ અથત શાસ્ત્રીય સંજ્ઞા વિષયની ભિન્નતા પ્રમાણે ઉપયોગમાં લેવામાં આવે છે. સંખ્યા સંજ્ઞામાં કૃત્રિમ તેમજ અકૃત્રિમ એમ બંનેની એકસરખી વિષયવ્યવસ્થા સમજાય છે. (તિ દ્વારા યુદ્ધ (૧.૨.૩૩) જેવા સૂત્રમાં બને પ્રકારની સંજ્ઞાઓનું ગ્રહણ થાય છે. (૩૫૪-૨૭૪)
કાર્યપરિસમાપ્તિ અંગે બે પક્ષ પ્રવર્તે છે. એક છે પ્રત્યેકમાં કાર્યપરિસમાપ્તિ અને બીજે છે સમુદાયમાં કાર્યપરિસમાપ્તિ. સમૂહ, એકશેષ અને ૮૬માં અર્થસામર્થ્યને કારણે ક્રિયાઓનો સંબંધ પ્રત્યેક વ્યક્તિ સાથે થાય છે. ભજન, અનિદાન, પ્રક્ષાલન, વગેરે પ્રત્યેકમાં સમાપ્ત થાય છે. દર્શન ક્રિયા, રસેઈ રૂપી કાર્ય, વગેરેમાં સમુદાયમાં કાપરિસમાપ્તિ થાય છે. વૃદ્ધિ જેવી સંજ્ઞાઓ પ્રત્યેકમાં પરિસમાતિ પામે છે. આ બન્ને પક્ષે અંગે ભતૃહરિએ લૌકિક અને શાસ્ત્રીય ઉદાહરણે આવ્યાં છે (૩૭૫ - ૩૯૭).
અખંડ વાવાર્થ અંગે અનેક પુરાવાઓ રજૂ કરી શકાય. અખંડ વાકયરૂપ અર્થાત્મા સમૂહમાં તેમજ અવયવોમાં રહેલો છે. અર્થવના સંદર્ભમાં વર્ણો, પદો અને વાક્યોમાં કશી ભિન્નતા નથી. એક શબ્દથી જયારે અનેક અર્થો દર્શાવાતા હોય અને અનેક શબ્દો જ્યારે એક અર્થ દર્શાવતા હોય ત્યારે પ્રતાના નિદેશ પ્રમાણે અર્થ પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org