________________
૨૭
ક્રિયાની નિવૃત્તિ પછી ઉત્પન્ન થયેલા સંબંધને કર્મ પ્રવચનીય વડે સ્પષ્ટ કરવામાં આવે છે. કમ પ્રવચનીય ક્રિયાનું ઘાતક બનતું નથી, સંબંધનું વાચક બનતું નથી. તે ક્રિયાપદનો આરંભ કરતું નથી, પરંતુ સંબંધવિશેનું સ્થાપન કરે છે. (૧૮૮-૨૦૪).
અખંડ વાકય પક્ષ પ્રમાણે અર્થવાન વર્ગોના સંઘાતરૂપ પદ અર્થવાન હોય છે. પદોમાંથી આ વિશિષ્ટ અર્થવાળે પદસંપાત ઉત્પન્ન થાય છે. અર્થાવત્તા અંગે પ્રસિદ્ધ અર્થ જ જણાવવામાં આવે છે, કારણ કે એકલા ધાતુ, પ્રત્યય વગેરેને લૌકિક અર્થ પ્રાપ્ત થતું નથી. 1 % સમાસમાં તેના દરેક પદ સાથે ક્રિયા સંબંધને પામે છે, જેમકે ધવલકિરવઠા: સિકતાના આમ સમુદાયમાં પ્રાપ્ત થતા ક્રિયાવિશેષને સમુદાયના અવયવમાં પ્રવતતા માનવામાં આવે છે. દ્વન્દ સમાસના અવયવ અંગે પણ આવી જ સ્થિતિ છે.
સમાસ, ધાતુ. પ્રત્યય વગેરેને સંઘાત કેવી રીતે અખંડ વાકય પક્ષનું સમર્થન કરે છે તેની સૂક્ષ્મ ચર્ચા કરવામાં આવી છે. વાસ્તવમાં પ્રકૃતિપ્રત્યયના વિક૯પ વિનાની વિદ્યા પોતાની મેળે જ પ્રગટ થાય છે. વિદ્યાની પ્રાપ્તિ વ્યાકરણશરિત્ર રૂપી ઉપાય વડે થાય છે. શાસ્ત્રનો અભ્યાસ આત્યંતિક રીતે મિશ્યા હોવા છતાં પ્રકૃતિ પ્રત્યયના જ્ઞાન માટે ઉપયોગી છે. (૨૦૫-૨૩૮)
પદસમૂહ એટલે વાકય અને વાકયનો અર્થ એટલે પદનો અર્થ એવો મત નિરાધાર છે.
એક પદ અનેક અર્થો દર્શાવે છે; એક પદ તેના જુદા જુદા અર્થો સાથે જુદુ જુદું સમજાય છે. પદે અને તેમનો અર્થ મિથ્યા છે અને પદો અને તેમનો અર્થ સત્ય છે એવા ચાર મતેના દરેકના શબ્દોપચાર, સ્વરૂપા અને બાહ્યર્થ એમ ત્રણ વિભાગ સમજતાં શબ્દાર્થ અંગે બાર વિકલ્પ મતે થયા. એક શબ્દના અનેક અર્થો છે એવા પક્ષનો આશ્રય કરીને ગૌણુ અને મુખ્યાથને સમજાવવામાં આવ્યા છે. .
શબ્દોના અર્થોના વપરાશ પ્રમાણે તેમનું ગૌમુત્વ અને મુખ્યત્વ સમજવામાં આવે છે. શબ્દોના અનેકત્વને સ્વીકારતાં ગૌણા શબ્દો અને મુખ્યાર્થી શબ્દો વચ્ચે ભેદ હોવા છતાં, તેમને એક સમજવામાં આવે છે. એક શબ્દના અનેક અર્થો હોય છે એવા મતમ અર્થની પ્રસિદ્ધિ અને અપ્રસિદ્ધિ પ્રમાણે એકત્વની કપની થાય છે.
અર્થ, સ્થાન સંદર્ભ અથવા બીજા શબ્દો સાથેના સંબંધને કારણે જે શબ્દ અર્થબંધ કરાવે છે તેને બીજા આચાર્યો ગૌણ અથ દર્શાવતો શબ્દ કહે છે. એકલો ઉચ્ચારાતાં, જેને પોતાનો જાણીતો અથ સમજાય છે તે માત્ર સ્વરૂપ ઉપર આધાર રાખનારા શબ્દને મુખ્ય અર્થ દર્શાવતો કડેવામાં આવ્યો છે. મુખ્ય અને નિમિત્ત અને ગૌણુ અને નિમિત્તી કહે છે. પદાર્થના ધર્મ વિશેનું અધિક વ કે ન્યૂનતા ગૌણમુખ્યભાવને નક્કી કરતાં નથી.
જ્યારે જેવા શબ્દનો અર્થ ભૂલથી જુદે સમજવામાં આવે ત્યારે તે શબ્દને કાઈક રથળે ગૌણ અથવાળો સમજવામાં આવે છે. ગૌમુખ્ય વ્યવહાર પદાર્થના રૂપ અને તેની શક્તિ ઉપર અવલંબે છે. મુખ્ય અર્થથી તદ્દન વિરુદ્ધ એવો જે અર્થ જ્યારે શબ્દ વડે જણાવવામાં આવે છે ત્યારે તેનો તે પ્રમાણે બોધ થતું હોવાથી, તે મુખ્યાર્થમાં પ્રયોજવામાં આવે છે; (૨૩૯-૩૧૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org