________________
દ્રવ્યનો જાતિ સાથેનો અસત્યરૂપ સંસર્ગ, અભિજ ૯૫, અર્થમાં જુદી શક્તિને અભાવ અને તેનું શબ્દાધીનત્વ, અર્થમાં બધી શક્તિઓની પ્રાપ્તિ અને તે બધીનું શબ્દાધીનત્વ, બુદ્ધિવિષય બનેલ અને બાહ્ય પદાર્થ ઉપર આધાર, બાહ્ય પદાર્થ રૂપે સમજવામાં આવેલા તેની શબ્દાર્થ રૂપે સમજણ, અર્થસંકેત અને ચક્ષુ ઈન્દ્રિય વડે વિવિધ આકારની પ્રાપ્તિની જેમ શબ્દમાંથી અનેક પ્રકારના જ્ઞાનની પ્રાપ્તિ, એવા આ બાર મત છે.
ઉપરના વિકલ્પ મતોને રજૂ કરીને ભતૃહરિ તેમનું એકાન્ત ખંડન કરતા નથી. શાસ્ત્રસિદ્ધાન્તના વૈવિધ્યને કારણે શબ્દના અર્થને જુદી જુદી રીતે સમજવામાં આવે છે. ઋષિઓના જ્ઞાન સાથે તવદર્શનની હંમેશાં સંગતિ હોય છે. તેથી પ્રત્યક્ષને પણ અનુમાન વડે નિરખવું જોઈએ. (૧૧૭–૧૪૨)
હવે પ્રતિભા અંગે વિશેષ વિચાર રજૂ થયો છે. જુદા જુદા અર્થોના પ્રહણ વખતે એક વિશિષ્ટ પ્રતિભારૂપ બુદ્ધિ ઉત્પન્ન થાય છે. તેને વાકયાર્થી કહે છે. તે સ્વયંસિદ્ધ અને અનાગ્યેય છે. શબ્દપ્રહણ વડે અથવા પૂર્વજન્મની ભાવનારૂપ જ્ઞાન વડે ઉત્પન્ન થયેલી હોવાથી તે અનુલ ઘનીય છે. તેને સમસ્ત જગત પ્રમાણભૂત માને છે. પશુપંખીએના વ્યવહારો જેવા કે પંકિલનું ગીત, કરોળિયાનું જાળનિર્માણ, પશુઓનાં આહાર, પ્રીતિ અને દેશ વગેરે, પ્રતિભામૂલક છે.
સ્વભાવ, ચરણ, અભ્યાસ, યોગ અને અદષ્ટથી તે ઉત્પન્ન થાય છે અને વિશિષ્ટ વ્યક્તિઓમાં તે રહેલી છે. (૧૪૩-૧૫૨)
પદાર્થવિચાર અંગે ભતૃહરિ જણાવે છે કે ગુણ, ક્રિપા વગેરે સંભવિત અર્થોને શબ્દ વડે બંધ થતો હોવા છતાં, શબ્દથી વિમુક્ત થતા જાતિરૂપ અર્થાત્ સામાન્યરૂપ અર્થ તેના વાચ્ય તરીકે સમજાય છે. આકાર, વર્ગો અને અવયવોથી વિશિષ્ટ અર્થમાં પ્રયોજાતા શબ્દની પ્રવૃત્તિ તેના અવયવોના અર્થને દર્શાવવામાં દેખાતી નથી. (૧૫૩-૧૬ ૩)
પદોનાં પ્રકૃતિ અને પ્રત્યય અંગે જણાવવામાં આવ્યું છે કે નામ અને ક્રિયાપદના પ્રત્યયે વાચક છે અને ઘાતક છે. પ્રકૃતિપ્રત્યયન સમુદાયરૂપ શબ્દ, સંખ્યાના અભિધાન વિના પણ સંખ્યાવિશેષને જણાવે છે. આવા શબ્દનો અર્થ અન્વય અને વ્યતિરેક વડે સમજાય છે. શાસ્ત્રમાં લાઘવ માટે શબ્દનો ઉપદેશ, શબ્દસામાન્ય વડે કરવામાં આવે છે. (૧૬૪–૧૭૯)
ધાતુઓ અને ઉપસર્ગોના સંબંધ અંગે જણાવવામાં આવ્યું છે કે વ્યાકરણશાસ્ત્રમાં મદ્ વગેરે આગમોની વ્યવસ્થા માટે ધાતુઓ અને ઉપસર્ગોને જુદા કપ્યા છે. વાસ્તવમાં અનેક ઉદાહરણેમાં ધાતુ ઉપસર્ગ સાથેનો જ હોય છે, જેમ કે સંગ્રામતિ. ધાતુ અને ઉપસળીના સધાતથી વાયુ બનતી ક્રિયા કારકો સાથે સંબંધને પામે છે. અમે ધાતુન પહેલાં ઉપસર્ગ સાથે યોજાવું અને ધાતુને પહેલાં કારક સાથે વેગ એવા બે પક્ષમાં પહેલો પક્ષ વધારે સ્વીકાર્ય છે. (૧૮૦–૧૮૭)
ઉપસર્ગો ક્રિયાવિશેષોના વાચક અથવા દ્યોતક હોય છે અથવા ધાતુની શક્તિ પ્રગટ કરવા માટે સહકારી તરીકે વપરાય છે. ઉપસર્ગોની જેમ ૨ વગેરે નિપાત ક્રિયાના ઘતક બને છે. તેઓ સમુચિત અભિધાન વડે વિશિષ્ટ અર્થ દર્શાવતા હોવા છતાં પરત-ત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org