SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ જેમ હૃદયમાં રહેલું જ્ઞાનરૂપ શબદતત્વ અવય વડે સ્પષ્ટ બને છે, તેમ વાકક્ષમાં પણ શબ્દતરત જ્ઞાનરૂપે રહેલું છે. આને બુધવનસંહાર અર્થાત આન્તર એક સ્વરૂપ વાક્ય કહે છે. આ શદાત્મા પ્રકાશકપ્રકાશ્ય રૂપે છે. તેની અસ્તિત્વ અને નાસ્તિત્વ એવી બે શક્તિઓ માત્ર વ્યવહારકાર્ય માટે છે. ભતૃહરિ પરીવાર પદસંઘાત અને ક્રમ વાય છે એવા મતને જણાવતાં કહે છે કે દેવદત્ત વગેરે પદોમાં જે વિશેષો રહેલા છે તે ક્રમે ક્રમે વ્યક્ત થાય છે. ક્રમ કાલને ધમ છે, તેથી ક્રમથી અતિરિક્ત વાક્યનું અસ્તિત્વ નથી. માત્ર ક્રમમાં જ પ્રાપ્ત થનારા વર્ગોને અને પદોને પદ અને વાક્ય એવી સંજ્ઞાઓ પ્રાપ્ત થાય છે. (૧૫-૧૬) - અશ્વેદ પ્રાતિશાખ્ય(ર.)માં પ્રાપ્ત થતી સંહિતાની વ્યાખ્યા વકૃતિ: સંદિતા માં અખંડ પક્ષ સમજવામાં આવતાં વાનાં પ્રતિ: | એમ સમજવું જોઈએ. ખંડ પક્ષમાં qafa gıતિઃ શહ્યા છે એમ સમજવું. પદના અર્થનું જ્ઞાન જેમ તેના દરેક વણ ઉપરથી પ્રાપ્ત થતું નથી તેમ વાકષના અર્થનું નિરૂપણ તેના દરેક જુદા પદમાંથી પ્રાપ્ત થતું નથી. પદવાદીના મતનો વિરોધ કરતાં કેટલીક મુશ્કેલીઓ પ્રાપ્ત થશે તેને અંગે વૈદિક પ્રયોગોનાં ઉદાહરણ આપવામાં આવ્યાં છે. “વનમાંથી કાયલ લાવો” અને “ફાટેલો ખેસ શદ્ર નોકરને અપ' એવા પ્રયોગોમાં જે અખંડ વાક્ય સમજવામાં આવે તે વિશ (કોયલ) અને વા૨જી જેવા અજ્ઞાતાર્થ શબ્દ વિષે પૂછવામાં નહિ આવે; પરંતુ આમ બનતું નથી. (૫૭-૭૬) પદને અર્થનું વાચક ન માનવામાં આવે તો વાકાર્ય માટે પદ ઉપર આધાર રાખનારા ન્યાયો નિષ્ફળ બનશે. તે ન્યાય પ્રાસંગિક, તંત્ર, આકૃતિ, ભેદ, બાધા, સમુચ્ચય, ઊહ, સંબંધબાધ, સામાન્યાતિદેશ, વિશેષાતિદેશ, અવિ , સામર્થ્ય વગેરે છે. (૭૭-૮૭) પદવાદીના પૂર્વપક્ષનો ઉત્તર આપતાં જણાવવામાં આવ્યું છે કે શક્તિભેદને કારણે વિશ્લેષણ થતાં જુદાં જુદાં વાક બનતાં હોવાથી અખંડવાક્યાથે પક્ષ જ યોગ્ય છે. પદવાદીએ રજૂ કરેલાં ઉદાહણોનું ખંડન ભર્તુહરિએ કર્યું છે. જેમ ફૂલ, ચંદન વગેરે જુદાં જુદાં દ્રવ્યમાં રહેલી એક જ સુવાસ જુદી જુદી રીતે સમજાય છે તેમ અખંડ વાકયમાં પણ અવાર વાકયે, શબ્દસમૂહો વગેરેમાંથી અર્થભેદને સમજાવી શકાય છે. (૮૮-૯૭). પ્રત્યાયક શબ્દ અને પ્રત્યાચ્ય અથ અંગે જર્ણવવામાં આવ્યું છે કે બન્નેને એક સમજવામાં આવે છે અને ભિન્ન પણ સમજવામાં આવે છે. ભહરિએ આને અંગે વૈદિક ઉદાહરણ અને પાણિનિસૂત્રમાંથી ઉદાહરણ આપ્યાં છે. પ્રોજન વાયા છે એવા મતનું પણું ખંડન કરવામાં આવ્યું છે.(૯૮-૧૧૬) વાકયાર્થજ્ઞાન માટે પ્રતિભાને ઉન્મેષ આવશ્યક છે. આવો ઉમેષ અભ્યાસરૂપ સંસ્કાર દ્વારા અથવા અનાદિ સંકેત દ્વારા થાય છે. (૧૧૭-૧૧૮). પદોના અર્થને અદ્ધિારક૯૫નાથી પ્રવિભક્ત માનવામાં આવે તે વિભક્તાર્થ અંગે બાર વિક૯પમ પ્રાપ્ત થશે. વિશિષ્ટ આકારના જ્ઞાન વિનાનું અર્થસામાન્ય, અનુનિષ્પાદી અર્થ, ક્રિયાશબ્દોના સાધન સાથેના નિયત સંબંધો, વિકલ્પ કે સમુચ્ચય વિનાને સમુદાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy