SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ અપભ્રંશ શબ્દો અંગે ચર્ચા કરતાં ભર્તુહરિ જણાવે છે કે શુદ્ધ શબ્દને બદલે જે અશુદ્ધ શબ્દને પ્રયોગ થાય છે તેને અપભ્રંશ કહે છે. પ્રવૃત્તિનિમિત્તને કારણે સર્વત્ર સાધુત્વ નક્કી થાય છે. આ પદ્મ શ શબ્દો સાધુ શબ્દોના અનુમાનથી અર્ધબોધનું કારણ બને છે. તેઓ સાક્ષાત્ વાચક બનતા નથી. (૧૭૫-૧૮૩) વાક્યકાંડ વાકયપદીયના દ્વિતીયકાંડ અર્થાત વાકયાકાંડમાં મુખ્ય ચર્ચા વાય અને તેના વાચકત્વ અંગે છે. વાકયની ચર્ચાની સાથે શબ્દના ગૌમુખ્ય અર્થે, પ્રતિભા વગેરે વિષયો પણ ચર્ચવામાં આવ્યા છે. વાક્ય અંગે મીમાંસકો અને વૈયાકરણના મતાનો સાર સંગ્રહ કરતાં ભર્તુહરિ જણાવે છે કે આખ્યાત, શબ્દસંધાત, સંઘાતવતિની જાતિ, એક અનવયવ શબ્દ, ક્રમ, બુદ્ધિયનુ સંહાર, પહેલું પદ અને દરેક સાપેક્ષ પદ એમ આઠ વિક૯પ વાક્ય અંગે જાણીતા છે. વ્યાકરણશાસ્ત્ર પ્રમાણે વાકયની “અવ્યય, કારક અને વિશેષણ સાથેનું ક્રિયારૂપ અને “એક ક્રિયાપદ(વાળા શબ્દસમૂહ)” એવી વ્યાખ્યા, મહાભાગ્યમાં રજૂ કરવામાં આવી છે. આ વ્યાખ્યા, મીમાંસાની વાક્યની વ્યાખ્યા, "વાક્યમાંથી છુટા પડયા હોય ત્યારે આકાંક્ષાવાળા અવયવાળે, બીજા વાકયના શબેની આકાંક્ષા વિનાને, ક્રિયાપ્રધાન, વિશેષણ પટાવાળા, અને એક પ્રોજનવાળા શબ્દસમૂહ વાકય કહેવાય છે” સાથે બંધબેસતી નથી. (૧-૯). [ટીકાકાર પુણ્યરાજ ઉપર જણાવેલા આઠ મતની વ્યવસ્થા કરતાં જણાવે છે કે ખંડપક્ષ અને અખંડ પક્ષ માં સંઘાતવતિની જાતિ, એક અનવયવશબ્દ અને બુદ્ધયનું સંહાર એમ ત્રણ લક્ષણ પ્રાપ્ત થશે. ખંડ પક્ષમાં શબ્દસંઘાત, અને ક્રમ એવાં બે લક્ષણે અભિહિતાવન્ય પક્ષમાં અને આખ્યાત શબ્દ, આદ્યપદ અને સર્વ પૃથફ સાકાંક્ષ પદ એમ ત્રણ લક્ષણે અન્વિતાભિધાન પક્ષમાં પ્રાપ્ત થશે. ભર્તુહરિ મીમાંસકાને, અભિહિતાન્વયનો અને અન્વિતાભિધાનને ઉલેખ કરતા નથી, અખંડ વાકય અંગે ચર્ચા કરતાં ભતૃહરિ જણાવે છે કે પદમાં જેમ પ્રકૃતિ અને પ્રત્યયને જુદા પાડવામાં આવે છે તેમ વાકયમાં પદેનું વિશ્લેષણ પ્રાપ્ત થાય છે. શબ્દને વિભાગ હેતો નથી તે અર્થનો કયાંથી હોય. અજ્ઞાનીઓ માટે જ પ્રક્રિયાભેદ હોય છે. (૧૦-૧૪) વાક્ય અંગે મીમાંસકોને મત દર્શાવતાં ભતૃહરિ જણાવે છે કે કેઈપણ પદને અર્થ પ્રાપ્ત થયા પછી તેને ત્યાગ સંભવતો નથી. વાકયાથું જે શબ્દને આધારે ન હોય તો શબ્દાર્થ પણ વર્ગોને આધારે પ્રાપ્ત થશે નહિ. ક્રમવાન જેવો દેખાતો શબ્દ વાસ્તવમાં અક્રમ છે. વર્ણ, પદ અને વાકયમાં સમાન સ્થાન, કરણ અને અભિધાન વાળા અભિવ્યંજક ધ્વનિઓ એકસરખા હોય તેમ દેખાય છે. અક્રમ અને નિવિભાગ વાક્ય સક્રમ અને સભાગ ભાસે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy