SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ જેમ દૂરથી દીવાને પ્રકાશ દેખાય તેમ દૂરથી માત્ર દવનિ જ સમજાય છે. કરીના સ્થાનો સાથેના સંયોગથી તીવ્ર બનેલ દીર્ઘ અને હુત પણ જુદા સમજાય છે. સ્થાનો અને કરણોના અભિપાતથી ઉત્પન્ન થયેલે કંપ બંધ થતાં સ્કેટમાંથી બીજા વનિ ઉત્પન્ન થાય છે. (૧૦૫-૧૦૯) શબ્દનાં ઉપાદાનકારણે વિષે જણાવતાં ભતૃહરિ કહે છે કે વાયુ, અણુઓ અથવા જ્ઞાન શબ્દરૂપે પરિણમે છે. આ અંગે પ્રાચીન શિક્ષાકારને મત છે કે આત્મા, બુદ્ધિ વડે અર્થોનું ગ્રહણ કરીને, મનને ઉચ્ચારણની ઈચ્છા સાથે જે છે. મન કાયાગ્નિને પ્રજવલિત કરે છે. તે કાયાગ્નિ પ્રાણવાયુને પ્રેરે છે. વક્તાની ઈચ્છાને અનુસરતા પ્રયત્ન વડે ગતિ પ્રાપ્ત કરનાર વાયુ (ઉચ્ચારણ)સ્થાનમાં અભિઘાત પામીને શબ્દરૂપ પ્રાપ્ત કરે છે. (૧૧૦-૧૨૧) વિશ્વની નિયામક શક્તિ શબ્દોને આધારે રહેલી છે. પડજ, અષભ, વગેરેને ભેદ પણ શબ્દને કારણે છે. વાચવાચકભેદ વાળે આ સંસાર શબ્દનું પરિણામ છે. શબ્દબ્રહ્મરૂ૫ ાતિનું પ્રકાશમાન રૂપ શબ્દવિદ્યામાં પ્રવિલીન બને છે. જગતમાં એવું કઈ જ્ઞાન નથી, જે શબ્દની સહાય વિનાનું હોય. જ્ઞાન સાથે અવિભાજ્ય રૂપે રહેલી વાગરૂપતાં જે ઉછેદ પામે તે જ્ઞાનરૂપ પ્રકાશ પ્રકાશતો નથી. તે નિત્ય અને એક વરૂપ શબ્દત જ જ્ઞાનનું પ્રકાશક છે. તે વારૂ પતા બધી વિદ્યાઓ, બધાં શિપ અને બધી કલાઓના આધાર રૂપે છે. તે સંસારી જનનું ચૈતન્ય છે. છ ધારાવાળી, છ અધિષ્ઠાનોવાળી, છ પ્રબોધવાળી અને છે અવ્યવો વાળી વાણની ઉપાસના કરે છે તે મૃત્યુને ઉલંઘી જાય છે. સર્વ પ્રાણીમાત્રને જે રીતે વ્યક્ત કરવામાં આવે છે તે રીતે તેને સમજવામાં આવે છે. અસત્ય પ્રવૃત્તિનિમિત વાળા અલાતચક્ર વગેરેમાં પણ વાણીને આશ્રયે આકાર સમજવામાં આવે છે. શબ્દસ સ્કાર, પરમાત્માની પ્રાપ્તિનો ઉપાય છે. તેની પ્રવૃત્તિના તત્વને જાણનાર અમૃત શબ્દબ્રહ્મને પામે છે. શબ્દબ્રહ્મ સાથે એકત્વની પ્રક્રિયા સમજાવતાં ભરિ જણાવે છે કે પ્રાણવૃત્તિની પિલે પાર રહેલા શબ્દતત્ત્વ સાથે એકત્વ પામીને, આન્સર જ્યોતિ પ્રાપ્ત કરીને અને અવિદ્યારૂપી બંધન દૂર કરીને જ્ઞાની પરમ કારણરૂપ શબ્દોતિ સાથે એકત્વ પામે છે. (૨૨-૧૪૭) અપૌરુષેય આગમ અંતે પ્રવર્તમાન રહે છે. શાસ્ત્રો અને દર્શન તથા તેમના રચયિતા ન હોય તે પણ શ્રુતિ અને સ્મૃતિએ પ્રબોધેલા ધર્મનું લોકો ઉ૯લંધન કરતા નથી. તકે અર્થાત્ મીમાંસામાં જણાવેલા ન્યાયની મદદથી અનેક બાબતે જાણી શકાય છે, પરંતુ આગમોમાંના આવા ન્યાયો જ પ્રમાણભૂત છે. આ વ્યાકરણસ્મૃતિ શબ્દના સાધુત્વને જાણવા માટે છે. તે વૈખરી, મધ્યમ અને પશ્યન્તી એમ અનેક ભિન્ન માર્ગોમાં વ્યાત બનેલી વાણુનું અદભુત અને ઉત્તમ સ્થાન છે. વૈખરી વાફ દિવ્ય અને અદિવ્ય રૂપે શોભે છે. પ્રાણુ અને અપાનથી દૂર બીજી, મયમા વાફ, સર્વમાં રહેલી છે. વૈખરી જોષવતી છે અને મધ્યમ અને પશ્યન્તી નિષા છે. વિભાગ વિનાની અને સર્વત્ર ક્રમ વિનાની તથા સૂક્ષ્મ એવી પશ્યન્તી સ્વયંપ્રકાશ અને અવિનશ્વર છે. વ્યાકરણની રચના પ્રકૃતિપ્રત્યય વિભાગ અને સ્વરૂપનિર્દેશરૂપી અવિભાગને આધારે થયેલી છે. (૧૪૮૯-૧૭૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy