SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ અને ! (૪.૨.૩૩) અને 4 હi૦ (૧.૧.૬૮) સૂત્ર ઉપરનાં કેટલાંક વાર્તિકભ વયને આધારે અ યંત સૂક્ષમતાપૂર્વક ઉપરની ચર્ચા કરવામાં આવી છે.] શબ્દને નિત્ય માનવામાં આવે કે ઉપાદ્ય માનવામાં આવે, પરંતુ, તે એક જ છે એવો એક મત છે તે જુદા જુદા છે એવો બી જે મત છે. મીમાંસક મતમાં જુદા જુદા શબ્દોમાં વર્ણનું એકત્વ છે, અને જુદાં જુદાં વાકમાં શબ્દનું એક છે; વર્ષથી જુદો કોઈ શબ્દ નથી અને શબ્દોથી જુદું કઈ વાકય નથી. ભર્તુહરિ આ બાબતને નિષેધ કરતાં જણાવે છે કે શબ્દોમાં વર્ષો હોતા નથી અને વર્ષોમાં તેમના અવયવો હોતા નથી. શબ્દોની વાકયથી ભિન્નતા નથી (૭૧-૭૫) ફેટ અને ધ્વનિ અંગે ચર્ચાની શરૂઆત કરતાં ભર્તુહરિ જણાવે છે કે ધ્વનિઓના અવસ્થાભેદને કારણે ફેટમાં પણ કુત, વિલબિત વગેરે વૃત્તિભેદ સમજાય છે શબ્દની અભિવ્યક્તિમાં પ્રાકૃત ઇવનિ કારણરૂપ છે. વૈકૃતધ્વનિ સ્થિતિભેદનું નિમિત્ત બને છે. વક્ત વનિઓ વૃત્તિભેદ જન્માવતા હોવા છતાં પ્લેટમાં કઈ ફેરફાર થતો નથી. વનિઓ વડે શબ્દની અભિવ્યક્તિ અંગે ત્રણ મત છે. ઈન્દ્રિયને સંસ્કાર થાય છે, શબ્દનો સંસ્કાર થાય છે અને બંનેનો થાય છે. વનિગ્રહણ અંગે પણ અભિવ્યક્તિવાદીએાના ત્રણ મતો છે: (૧) શબ્દ અને ધ્વનિને એકરૂપ સમજવા જેઈએ; (૨) દવનિ અવિજ્ઞાત છે અને (૩) વનિ સ્વતંત્ર છે. અન્ય વનિસહિત પૂર્વ ધ્વનિઓ વડે સ્થાપિત શક્તિઓવાળી અને સ્પષ્ટ ઉપલબ્ધિથી કાર્યલાભ વાળી બુદ્ધિમાં શબ્દનું ગ્રહણ થાય છે. જ્ઞાન અને શબ્દમાં ભેદનો જે આભાસ થાય છે તે કપના માત્ર છે. વ્યવહારમાં જેમ ય વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી તેમ ક્રમ પ્રાપ્ત ન કરનારી વાણુ વડે કશે અર્થ જણાવાતો નથી. જેમ પદાર્થને ગાઢ અંધકારમાં જુદી રીતે સમજીને પછી યથાવત્ અવલોકવામાં આવે છે તેમ વાકયની અભિવ્યક્તિ પહેલાં, વાક્યને વ્યક્ત કરવામાં કારણરૂપ અવનિએ વડે વર્ણ, પદ વગેરે ભાગેની કલ્પના થાય છે. (૭૬-૯૪) અનેક વ્યક્તિએ વડે અભિવ્યક્ત થતે સ્ફોટ જાતિ કહેવાય છે. અભિવ્યક્તિવાદીઓના મતને કારિકા ૬૮ થી ૧૦૪માં ઉતર આપતાં ભર્તુહરિ જણાવે છે કે અભિવ્યક્તિ કાંઈ અનિોમાં જ સીમિત નથી. નિત્ય જાતિઓની, તેમના આશ્રયો વડે થતી અભિવ્યક્તિ સ્વીકારી શકાય છે. ઇન્દ્રિો અને પદાર્થો વચ્ચેને નિત્ય સંબંધ નિશ્ચિત છે તેમ, ફેટ અને નાદને પણ તેવો સંબંધ નિશ્ચિત છે. પોતાનામાં રહેલા અને પિતાના જેવા ગુણો વડે ગ્રાહ્ય બનતા ગન્ધ વગેરેને અભિવ્યક્ત કરનાર નિમિત્ત નિશ્ચિતપણે હોય છે. તેથી કાલભેદ વિનાનાં વર્ણ, પદ અને વાકયમાં નાદભેદને કારણે વૃત્તિકાલ અને સ્વ કાલ જુદાં હોય તેમ જણાય છે. (૯૫-૧૦૪) કાર્યપક્ષમાં ફેટ અને નાદના સ્વરૂપની ચર્ચા કરતાં ભર્તુહરિ જણાવે છે કે કરણના સંગ અને વિભાગ વડે ઉપન્ન થનારને સ્ફટ કહે છે અને ફેટથી ઉતપન્ન થયેલા શો દન એ છે. શબ્દ નાનું હોય કે મોટો હોય, ફેટના કાલમાં ફેરફાર થતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy