________________
૨૧
[ શબ્દતત્વ અને વ્યાકરણશાસ્ત્રના ગૌરવને નિરૂપતા આ વિચારનું મૂળ મહાભાષ્યનાં કેટલાંક વચન છે. ભર્તુહરિએ એમને વિસ્તાર અને સ્પષ્ટતા કર્યા છે. પછીના સમયમાં ધર્મ કીતિએ તેના પ્રમાણુવાર્તિક'માં અને “વાદન્યાય'માં વ્યાકરણશાસ્ત્રની નિન્દા કરી છે. કુમારિક અને જ્યન્તમાં આવા ઉલેખે પૂર્વોત્તર પક્ષે રૂપે મળે છે ]
શબ્દ, અર્થ અને તેમની વચ્ચેનો સંબંધ નિત્ય છે. આ નિત્યત્વનો ઉલ્લેખ સૂત્ર, વાર્તિક અને ભાગ્યમાં થયો છે. વાકયપદીની વિષયવ્યવસ્થાનું સૂચન કરતાં ભતૃહ જણાવે છે કે અપોદ્ધાર અને સ્થિતલક્ષણ એવા બે પ્રકારના અર્થો અન્વાખ્યય અનેર પ્રતિપાદક એવા બે પ્રકારના શબ્દો, કાર્યકારણ અને યોગ્યતારૂપ એમ બે પ્રકારના સંબંધે અને ધર્મબોધ તથા અથધ એમ બે પ્રકારે પ્રયોજન-એમ આઠ પ્રકારનું શાસ્ત્રતત્ત્વ સમજવામાં આવે છે. આવા શબ્દાર્થસંબંધ શિષ્ટોથી પ્રાપ્ત થયેલા અને ધર્મસાધન હોય તો જ અર્થવાહક છે અને ધર્મસાધન બને છે. એથી વિપરીત સ્થિતિમાં રહેલાને અસાધુ સમજવા. શબ્દાર્થ સંબંધની નિત્યતાને વ્યવહારના સંદર્ભમાં પ્રવાહનિત્યતા કહે છે. (૨૩-૨૮).
શબ્દોની સાધુત્વવ્યવસ્થા માટે વ્યાકરણસ્મૃતિની રચના થાય છે. આ વ્યવસ્થા આગમ અને શિષ્ટાનાં વચનો ઉપર આધાર રાખે છે. તર્ક અર્થાત્ અનુમાન તેને બાધ કરી શકતાં નથી. શાસ્ત્રમાં એકના તર્ક વડે બીજાને તને બાધ થાય છે. તેની કે ઝવેરીનું વિશિષ્ટ જ્ઞાન તને આધારે નહિ, પરંતુ વિશિષ્ટ અભ્યાસ પ્રત્યક્ષને આધારે છે. આવું પ્રત્યક્ષજ્ઞાન યોગીને સહજ છે. તેનો અનુમાનથી બાધ થતું નથી. આગમનું અનસરણ કરનારનો અનુમાનથી પરાજય થતો નથી. અપૌરુષેય વેદ અને પ્રમાણભૂત સ્મૃતિઓ ઉપર નિર્ભર વ્યાકરણશાસ્ત્રને શબ્દોના સાધુત્વ અંગે પ્રમાણભૂત સમજવામાં આવ્યું છે. (૨૯ થી ૪૩)
શબ્દ, ફેટ અને નાદ અર્થાત સ્વનિ અંગેની ચર્ચા શરૂ કરતાં ભર્તુહરિ જણાવે છે કે બે પ્રકારના વાચક શબ્દો છે; તેમાંનો એક અભિવ્યક્તિનું કારણ બને છે અને બીજે અર્થ માટે પ્રયોજાય છે. તેમની વચ્ચે સ્વરૂપભેદ અથવા બુદ્ધિભેદને આધારે ભિન્નતા સમજવામાં આવે છે. પ્રયક્તાની બુદ્ધિમાં રહેલ શબ્દ, અરણિમાં રહેલા અગ્નિની જેમ, જુદા જુદા શબ્દનું કારણ બને છે. તે ક્રમહીન શબ્દ, નાદની ક્રમપૂર્વક ઉત્પત્તિને કારણે ક્રમવાનું હોય તે સમજાય છે. મોરના ઈડામાં રહેલા રસ જેવો આ શક્તિરૂ૫ શબ્દ, તેના વનવિભાગે પ્રમાણે સક્રમ બની ઉચરિત બને છે.
શબ્દમાં ગ્રાહ્યત્વ અને ગ્રાહકત્વ એવી બે શક્તિઓ રહેલી છે. જ્ઞાનને વિષય ન બનનાર શબ્દો વડે અર્થને પ્રકટ કરી શકતો નથી. સંજ્ઞા શબ્દો જેમ સંગીશબ્દ સાથે સંબંધ પામે છે તેમ અગ્નિ એવો શબ્દ તેના સ્વરૂપને જણાવીને અનેઢો (૪.૨.૩૩) સૂત્રમાંના શબ્દ વડે જણુતા, પ્રયોગમાંના અગ્નિ શબ્દ સાથે, સંબંધને પામે છે.
ઉચ્ચારણ વખતે અભિધેય રૂપે પ્રાપ્ત થતા શબ્દનું રૂપ તેનાથી જ સમજવામાં આવે છે. હું 1 કથા સંat I (૧.૧.૬૮) સૂત્રમાં કેટલાક આચાર્યો શબ્દજાતિ માટે શબ્દવ્યક્તિ એવી સંજ્ઞા જણાવે છે અને આવી વ્યક્તિ સંસૃષ્ણ જતિ વ્યાકરણ કાર્યો માટે તે તે સ્થળેાએ પ્રાપ્ત થાય છે (૪૪-૭૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org