________________
ર
.
અર્વાચીન વિદ્વાનોની “વાક્યપદીય', ઉપરની ટીકાઓમાં બ્રહ્મકાંડ ઉપરની સૂર્યનારાયણ શુકલની ટીકા “ભાવપ્રદીપ' અને પં. રઘુનાથ શાસ્ત્રીની “અખાત્રી' જાણીતી છે. “ભાવપ્રદીપ’માં શબ્દા ઉપરાંત અન્યદર્શનમાંથી અવતરણે આપીને સિદ્ધાન્તને સ્પષ્ટ કરવાને પ્રયાસ કરવામાં આવ્યા છે. આ ટીકાના વ્યાખ્યાનથી ઘણે સ્થળે કારિકાથં સ્પષ્ટ થતો નથી. અખાકત્રી સંપૂર્ણ વાકયપદીય ઉપર છે. મૂલ કારિકાઓની વૃત્તિ, પુણ્યરાજની પ્રકાશ” અને હેલારાજની “પ્રકાશને આધાર લઈને રચાયેલી આ ટીકા ઘણી ઉપયોગી છે અને કારિકાને સમજાવવામાં તેના મહત્વનો ફાળો છે. કેટલીકવાર-અલબત્ત આવાં સ્થળે એ છે–સ્વતંત્ર અર્થદર્શન કરાવવાને તેને પ્રયત્ન છે, તો કેટલીક વાર તૃતીયાકાંડની કારિકાએ ઉપરની હેલીરાજીય ટીકાનું માત્ર પુનઃકથન તેમાં પ્રાપ્ત થાય છે.
વાક્યપદય’નાં સંપાદનમાં ચારુદેવશાસ્ત્રીનું, ત્રિવેન્દ્રમ નું તૃતીયાકાંડ (અપૂર્ણ)નું, સુહ્મણ્ય ઐયરનું, પૂનાના સંપાદક કેવી. અત્યંકર અને વી. પી. લૈમનું તથા વિહેમ રાઉનું સંપાદન જાણીતાં છે. ચારુદેવ શાસ્ત્રીનું બ્રહ્મકાંડ સુન્દર સંપાદનનો નમૂનો છે. બ્રહ્મકાંડ અને અપૂર્ણ વાકયકાંડ પૂરતું આ સંપાદન છે. સુબ્રહ્મણ્ય ઐયરનાં મૂલકારિકા અને ટીકાના સંપાદન ઘણુ પરિશ્રમે તૈયાર થયેલાં હોઈ ઉપયોગી છે. પૂનાનું અત્યંકરલિમનું સંપાદન વાક્યપદયની ત્રણેય કાંડની કારિકાઓની વિશ્વસનીય વાચના પૂરી પાડે છે. એને અંતે આપેલાં પરિશિષ્ટોનું અસામાન્ય મહત્ત્વ છે. વિહેમ રાઉ, પિતાના સંપાદન અંગે, તે શાસ્ત્રીય સંપાદન હોવાનું ગૌરવ લે છે. તેમણે હસ્તપ્રતોની સામગ્રીનો આધાર લીધા છે. વૃત્તિ, ટીકાઓ અને અનુભહરિકામાં પ્રાપ્ત થતા વાક્યપદીયની કારિકાઓના ઉખાના પાઠેને ધ્યાનમાં લીધા નથી.
વાદ્યપદીયને તત્ત્વવિચાર
બ્રહ્મકાંડ
વન નિમિતરૂપે રહેલું અનાદિ અનંત શબ્દતત્ત્વરૂપ બ્રહ્મ અર્થરૂપે ભાસે છે. તેમાંથી જ જગતની ઉત્પત્તિ થાય છે. તે એક છે અને શક્તિ ઓના આશ્રયને કારણે તે તેમનાથી જુદું હોય એમ જણાય છે, (૧-૪)
શબ્દબ્રહ્મની પ્રાપ્તિને ઉપાય વેદ છે. મહર્ષિઓએ તેને અનેક શાખાઓમાં વિસ્તાર્યો છે, અને જુદી જુદી સ્મૃતિઓ રચી છે. તે વેદનાં અથવાદ વચનોને આધારે અદેતવાદોએ અને દંતવાદીઓના અનેક પ્રવાદે સ્થાપિત થયા છે. શબ્દતસ્વરૂપ વિદ્યા પણ વેદમાં જણાવાઈ છે. બીજી વિદ્યાઓ પણ તેમાંથીજ વિસ્તરી છે. (પ-૧૦)
નાનીએ વ્યાકરણને શબ્દબ્રહ્મ માટે સાક્ષાત્ ઉપકારક, ઉત્તમ તરૂપ, પવિત્રતમ જ્યોતિ અને મોક્ષપ્રાતિને ઉપાય સમજે છે. વાણીના ઉત્તમ રૂ૫ તરીકે જાણીતા, શુદ્ધ
તિરૂપ, પરમપ્રકાશ રૂપે રહેલા અને જુદી જુદી દર્શનપરંપરાઓમાં જુદી જુદી રીતે પ્રાપ્ત થતા શબ્દતને સાક્ષાત્કાર વ્યાકરણના જ્ઞાનથી થાય છે. (૫-૨૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org