SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ વાકય પદયના ટીકાકારોમાં વૃષભદેવ તેમની “પદ્ધતિ ટીકાથી જાણીતા છે. “વાક્યપદીય'ના કારિયાભાગને તથા તેના ઉપરની વૃત્તિમાંનાં વચનોને તે સમજાવે છે. પૂના (૧૯૬૬)થી પ્રકાશિત થયેલી આ ટીકામાં પણ ઘણું અનિર્ણત વ્યાખ્યા સ્થાને છે. વૃષભદેવ તેની પહેલાંની, વાકયપદીય' ઉપરની ટીકાપ્રવૃત્તિનો ઉલ્લેખ કરે છે. વૃષભદેવ અથવા હરિવૃષભ અનુગુપ્ત વંશના છવિતગુપ્ત દ્વિતીયના પિતા વિષ્ણુગુપ્તના સમયમાં અર્થાત ઈ.સ. ૭૦૦ની આસપાસ થયા હશે એવો તર્ક કરી શકાય. ૧૯૮૧માં મુ-ચેન, જર્મનીમાંથી પ્રોફે. વિહેમ રાઉએ પ્રકાશિત કરેલી બીજી ટીકાનું નામ છે “વાક્યપદીયપ્રમેયસંગ્રહ.” દ્વિતીય કાંડ ઉપરની આ ટીકાને લેખક અજાણ્યો છે. આ ટીકા કારિકાના નિર્દેશ વિના અને પ્રતીકે નેપ્યા વિના સળંગ વ્યાખ્યાન રજ કરે છે. દ્રિતીય કાંડની ૪૬ ૮મી કારિકા સુધી તેનો વિસ્તાર છે. પુણ્યરાજની ટીકાનો તેમાં ઉપયોગ થયો હોવાથી તેને સમય અગિયારમી સદી પછીને ગણી શકાય. બનારસથી પ્રકાશિત થયેલા વાકય પદયના આદ્ય સંપાદનમાં પ્રથમ બે કાંડની કારિકાઓ સાથે ટીકા પણ રજૂ કરવામાં આવી છે. સંપાદકોએ તેને પુણ્યરાજની ટીકા કહી છે. વાસ્તવમાં પહેલા કાંડ ઉપરની આ ટીકા, વૃત્તિનો ઝડપથી કરેલો સાર છે. દ્વિતીયકાંડની ટીકાને પુણ્યરાજની કૃતિ માની શકાશે. આ ટીકા સરળ અને સ્પષ્ટ છે. અતિ સૂક્ષમ ચર્ચા કે ખંડનમંડનના ધટટેપ તેમાં દેખાતા નથી. તેમાં અનેક અવતરણે મળે છે. બીજા કાંડની કારિકાએ ૭૭ થી ૮૯માં ભામહના “કાવ્યાલંકાર ” (૨.૯૦). કનકના “વક્રોક્તિછવિ' (પૃ ૫૯), વામનના “અલંકારસર્વસ્વ' (પૃ.૪૩), હેમચન્દ્રના કાવ્યાનુશાસન (પૃ. ૩૯) અને ભતૃહરિના નીતિશતક (ફ્લોક ૩૫)નાં ઉદ્ધરણો તેના લેખકે આપ્યાં છે. ભતૃહરિના “વાકયપદીય'ની ટીકાઓમાં સુપ્રસિદ્ધ, હેલારાજની “પ્રકાશ ટીકા છે. “વાક્યપદીયના પદકાંડ' ઉપર તે પ્રાપ્ત થાય છે. ઈ.સ ના અગિયારમા સૈકા પછી થયેલા હેલારાજે “ક્રિયાવિવેક “વાર્તિકેમેષ, અયસિદ્ધિ અને વાકયપદીનાં પ્રથમ બે કાંડે ઉપરની ટીકા “શબ્દપ્રભાની રચના કરી હતી. ભર્તુહરિના તત્વવિચારની સર્વાગીણ ચર્ચા તેમાં મળે છે. તત્વદર્શન કરાવતાં તે કોઈ દર્શનવિશેષ કે સિદ્ધાન્તવિશેષની ચર્ચાનો આગ્રહ રાખતા નથી. તેમને મન શાબ્દવ્યવહાર એજ વ્યવહાર છે, અને શબ્દાર્થ એ જ અર્થ છે હેલારાજની વિદ્વત્તાનાં દર્શન પ્રકીર્ણ પ્રકાશમાં શબ્દ શબ્દ થયા વિના રહેતાં નથી. વ્યાકિ, વાજયાયન, નિરુક્તકાર અને વાર્તિકકાર તથા પતંજલિનાં વચનનો તે વારંવાર ઉલ્લેખ કરે છે. વૈશેષિક, સાંખ્ય અને મીમાંસાના સિદ્ધાન્તો તેમને જિદૂવાગે છે. કારિકાઓનું અર્થદર્શન કરાવતી વખતે તે અનેક પાઠાન્તરે ચર્ચે છે. પૂર્વાચાર્યોની ટીકા પદ્ધતિને તે લાભ લે છે. શબ્દાર્થ કરતાં, સિદ્ધાન્તાર્યનું જ સ્પષ્ટતાથી અનુશીલન કરવાની તેમની નેમ છે. પોતાના વાચકો પાસેથી વિષયના પૂર્ણ જ્ઞાનની તે અપેક્ષા રાખે છે, તેથી તે અવતરણોને અધૂરાં રાખે છે. પ્રકીર્ણ પ્રકાશમાંથી થયેલા પ્રખ્યપાતને કોઈક ફુલ્લરાજ નામના ટીકાકારની રચનાથી પૂર્ણ કરવામાં આવ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy