SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ વાકાપડી, ભતૃહરિની સુપ્રસિદ્ધ રચના છે. તેનો પ્રથમ ઉલેખ વામનજ્યાદિત્ય (ઈ.સ. ૬૫૦)ની “કાશિકા' (પા સૂ. ૪૩.૮૮)માં “શબ્દાર્થ સંબંધીય પ્રકરણ રૂપે મળે છે. શબ્દ એટલે શબ્દસમૂહરૂપ અખંડ વાકય. તેની ચર્ચા દ્વિતીય કાંડ અર્થાત “વાક્યકાંડમાં કરવામાં આવી છે. પદ એટલે સાથે વિભકત્યન્ત વર્ણ સમૂહ. પદ સાથે જોડાયેલાં દ્રવ્ય, ગુણ, સાધન, ક્રિયા વગેરેની ચર્ચા ત્રીજા અર્થાત પદકાંડ'માં કરવામાં આવી છે. ભર્તુહરિએ પ્રવર્તાવેલા અક્ષર શબ્દતત્વ અંગેની પ્રાસ્તાવિક ચર્ચા પ્રથમકાંડ અર્થાત્ બ્રહ્મકાંડમાં કરવામાં આવી છે. પ્રથમ, દ્વિતીય અને તૃતીય કાંડમાં સાંગ અનુટુપમાં અનુક્રમે ૧૮૩, ૪૯૦, અને ૧૩૨૫ કારિકાઓ મળે છે. પતંજલિના મહાભાષ્યના પાઠની જેમ ભહરિના આ કારિકા ગ્રંથના પાઠનું પણ વિલાવન થયું હશે એમ લાગે છે. પદકાંડના ચૌદ સમુદેશે ઉપરાંત તેમાં લક્ષણસમુદેશ, બાધા સમુદેશ અને ઉપમાસમુદેશ નામના વિભાગો હતા, એવા ઉલ્લેખ પુણ્યરાજ અને હેલારાજે ક્યાં છે બાધા સમુદેશ અને લક્ષ સમુદેશ ત્રીજા કાંડના ભાગ રૂપે હશે. “વાક્યપદીય'ની (૨. ૧૨૬) પોતાની ટીકામાં પુણ્યરાજ ઉપમા મુદ્દેશને ઉલ્લેખ કરે છે. આ સમુદ્દેશનું સ્થળ ત્રીજા કાંડના વૃત્તિસમુદેશમાં હોઈ શકે. વૃત્તિસમુદેશમાં પ્રાપ્ત થતી ઔપય અંગેની ચર્ચા કારિકા (૩૬૧-૪૭૩) ઉપમાસમુદ્દેશ તરીકે જાણીતી હોવાનો સંભવ છે. ભર્તુહરિને તેના જેવા નામવાળા, શતકત્રયંકાર કવિ ભર્તુહરિ, દંતકથાના રાજવી, ભáમિત્ર જેવા કઈક અતવેદાંતી, “ભદિકાવ્ય'ના કર્તા કવિ ભદિ અને મધ્યેન્દ્રનાથના શિષ્ય યોગી ભર્તુહરિ સાથે એકરૂપ ગણવામાં આવે છે. આને અંગે વિશ્વસનીય પુરાવા નથી. મહાવૈયાકરણ ભતૃહરિને “વાક્યપદીય કાર ભતૃહરિ તરીકે જ આપણે સમજીશું. ભર્તુહરિના સમય અંગે મહાભાષ્ય' (ઈ.પૂ.૧૫૦)ને પૂર્વ સીમા ગણી શકાય. ભર્તૃહરિનાં નામ, કૃતિ અને વિચારાના ઉલેખ તથા કારિકા વચનનાં અવતરણો, “બ્લોકવાર્તિકકાર કુમારિક ભદ (ઈ.સ. ૫૫૦), “મૂલમ યમકકારિકા’ના ટીકાકાર ભવ્ય (ઈ.સ ૪૫૦), 'પ્રમાણવાર્તિકકાર ધર્મકીતિ (ઈ.સ. ૬૧૦), “શતપથબ્રાહ્મણના ટીકાકાર હરિસ્વામી (ઈ.સ. ૫૪૦), “અભિધમદીપ’ના કર્તા વિમલમિત્ર (ઈ.સ. ૪૫૦) અને પ્રમાણસમુચ્ચય'ના કર્તા દિગ્ગાગ (૪૮૦-૫૫૦)–રજૂ કરે છે. તેથી ભહરિ ઈ.સ. ૪૦૦ થી ૪૫૦ સુધીના સમયમાં થયા હશે એમ માની શકાય. વાકયપદીય'ની ટીકાએામાં વૃત્તિ મુખ્ય અને આદ્ય છે. ભર્તૃહરિનું કવ તેનામાં આરોપવામાં આવ્યું છે, પ્રથમ કાંડ ઉપર પૂરી અને દ્વિતીય કાંડ ઉપર અધૂરી વૃત્તિનું પ્રકાશન પૂના અને બનારસથી થયું છે. “કાવ્યપ્રકાશ', અને “લધુમંજૂષામાં આ વૃત્તિનાં હોય તેવાં ગદ્યવચનો ઉદધૃત કરવામાં આવ્યાં છે. હેનારાજ જણાવે છે કે તેના પ્રથમ બે કાંડ ઉપરની અત્યારે અનુપલબ્ધ ટીકા “શબ્દપ્રભા,” વૃત્તિને અનુસરે છે. ભર્તુહરિને અનેક સ્થળે તેણે ટીકાકાર કે ટીકાકૃત કહ્યા છે. “વાકયપદીય” અને “વૃત્તિના સમાન કર્તવનો વિરોધ ફ્રેંચ વિદુષી બિઅદેએ કર્યો છે. આ અંગે અનિશ્ચય પ્રવર્તતો હોવા છતાં “ટસિદ્ધિકાર મંડનમિશ્રને વાક્યપદીય' ઉપરને આ “વૃત્તિનો પરિચય હતો તે નિશ્ચિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy