SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ભતૃ હિર અને તેની કૃતિએના આદ્ય પરિચય ચીની યાત્રિક ઈ-ચીંગ પાસેથી પ્રાપ્ત થાય છે. ભારતની યાત્રાએથી ઈ.સ. ૬૯પમાં સ્વદેશ પાછા ફર્યો પછી તેણે યાત્રાવૃત્તાંત લખ્યા. ઈ–ચીંગે ભતૃહરિ વિષે આપેલી વિગતામાંથી તેની કૃતિઓ અંગે કેટલીક અપૂર્ણ માહિતી મળે છે. ઈ–ચીંગ જણાવે છે કે ભર્તૃહરિએ ચૂર્ણિ અર્થાત્ મહાભાષ્ય ઉપર "૨૫૦૦૦ શ્લેાકપ્રમાણ ભર્તૃહરિશાસ્ત્ર' અને “વાય દીય’”ની રચના કરી હતી. ણિ ઉપરની ટીકાને ‘મહાભાષ્યદીપિકા' સમજી શકાય. ત્રીજા ગ્રન્થ પેઈ ન' (pei-na)ના ઉલ્લેખ ઉપરથી શું અનુમાન તારવી શકાતુ નથી. ભતૃહરિના અવસાનના સમય અંગે અને તેના ક્તિત્વ અંગે ઈ-ચીગના ઉલ્લેખે! વિશ્વસનીય નથી. મહાભાષ્ય ઉપર પ્રાપ્ત થતી ટીકામેમાં ભતૃહરિની ‘મહાભાષ્યદીપિકા' (પૂના. ૧૯૬૫) સવપ્રથમ છે. તેના આરબ મહાભાષ્યનાં વચના હોાિનાં વૈાિનાં શ્વ ! ઉપરની ચર્ચાથી થાય છે અને મહાભાષ્યના સાતમાં આહ્નિકમાં પા. પૂ. અનેાસ્ત્ર શિક્ષર્વચ । (૧. ૧. ૫૫) ઉપરના ભાષ્યવચન અર્થમ્યાચં સ્થાને મનિતિ । ઉપરની ટીકાથી અંત આવે છે. વચ્ચે વચ્ચે અનેક સ્થળેાએ તેમાં ગ્રન્થપાત થયા છે. આ ટીમની શૈલીની પ્રૌઢતા, તેમાં પ્રાપ્ત થતા વૃત્તિકાર અને ઘ્યાનગ્રહકારના ઉલ્લેખા અનેક વિકલ્પવ્યાખ્યાના, દાર્શનિક વિચારાની સૂક્ષ્મ છણાવટ અને ‘વાક્યપદીય’ના વિચારા સાથે કેટલુંક સામ્ય એના મહત્ત્વને વધારે છે. કેયટ અને બીજા વૈયાકરણા માટે ભાષ્યાબ્ધિને પાર કરવા માટે સેતુરૂપ બનેલી આ ટીકા, તેની વિશિષ્ટ શૈલીને કારણે ભતૃ હિરની રચના ન હોય એવી શંકા થાય છે. ભર્તૃહરિએ ‘વાકયપદીય'ના પ્રથમ એ કાંડા ઉપર વૃત્તિ રચી હતી. પ્રથમ ક્રાંડ ઉપરની સંપૂર્ણ વૃત્તિ (પૂના, ૧૯૬૬) અને દ્વિતીય કાંડ ઉપરની અપૂર્ણ વૃત્તિ, અત્યંત પ્રૌઢ, વ્યાખ્યાગમ્ય અને અનેક સ્થાએ દુર્માંધ હાવા છતાં, ભતૃહરિવિચારની સૂક્ષ્મ ચર્ચો, અનેક અવતરણા સાથે, તૌલનિક દૃષ્ટિએ કરતી હાવા છતાં, તેની શૈલીની ‘વાકયપઢીય’ની શૈલી સાથેની ભિન્નતાને કારણે તેના ભર્તૃહરિના કતૃત્વ અંગે શંકા જાગે છે. દ્વિતીય કાંડની પ્રકાશિત થયેલી વૃત્તિમાં ધણા ગ્રન્થપાત હાવાથી અને સુબ્રહ્મણ્ય ઐયરના, આ વૃત્તિના પ્રસિદ્ધ થયેલા પાઠ અંગે પણ નિશ્ચયેા થતા નહાવાથી, શ્રી અશાક અકલુજકરના વૃત્તિના સપાદનની આકાંક્ષા રાખવામાં આવે છે. શબ્દધાતુસમીક્ષા', ‘ભાગવૃત્તિ’ અને પાણિનિસૂત્રેા ઉપરના કોઈક વિવરણ' ગ્રન્થને ભર્તૃહરિની રચનાએ માનવામાં આવી છે. પરંતુ આ અંગે કરા નિણૅય થઈ શકતા નથી. આ ગ્રન્થા પ્રાપ્ત થયા પછી તેમને અંગે વિચારી શકાય. 3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy