SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ બીજુ કાંટ પદાર્થના હપ્રત્યયને અર્થાત્ કાયરૂપ અસ્તિત્વને અનુમાન વડે જણાવનાર સમવાય છે. સમવાયને શક્તિ કહેવામાં આવી છે. પદાર્થોનો ઉપકાર કરતી હોવાથી દ્રવ્ય, ગુણ, કર્મ વગેરેની જેમ તેને પદાર્થ કહી શકાય નહિ. તે શક્તિ હોવાથી શક્તિમાન સાથે તેનું એકવ કે નાનાત્વ સ્પષ્ટ થતું નથી. પદાર્થ ન હોવાથી તેને જુદા તત્વરૂપે સમજવી જોઈએ; તેથી કારિકામાં તેને વિષે પ્રશૈવ વસ્થિતામાં એવા શબ્દો વાપર્યા છે. સાધનરૂ૫ શક્તિઓને તેમના આધારામાં યોજીને સમવાય ઉપકારક બને છે. આવા સમવાયને સંબંધ મદદરૂપ બને છે. સંબંધ બધા પદાર્થોમાં પ્રાપ્ત થતા પારય વિનાનો હોવાથી પદાર્થ કહી શકાશે નહિ સમવાય જેમ અમુક ચોક્કસ તો દ્વારા ઉપકારને પ્રાપ્ત કરે છે તેમ સંબંધને ચક્કસ તત્ત્વોની આવશ્યકતા નથી. સંબંધ સમવાયને અયુતસિહો સાથે જ યોજે છે. સમવાય અને સંબંધ બંનેમાં પાતત્ય હોવાથી સંબંધની જેમ સમવાય પણ સંબંધ કહેવાય છે આમ સંબંધ પદાર્થ નથી, તેથી સંયોગ અને સમવાય જેને વૈશેષિકે પદાર્થ કહે છે તેને સંબંધ કહી શકાય નહિ. पदार्थीकृत एवान्यैः सर्वत्राभ्युपगम्यते । संबन्धस्तेन शब्दार्थः प्रविभक्तुं न शकयते ।।१२॥ બીજાએ (=વશેષિક વગેરે) વડે તે સંબંધને પદાર્થરૂપે સ્વીકારવામાં આવ્યું છે. તેના વડે શબ્દને અર્થથી જુદો સમજ શકય નથી. (૧૨) વૈશેષિકોએ સંગને ગુણ માન્યો છે અને સમવાયને, તે શક્તિરૂપ હોવા છતાં, પદાર્થ માન્યો છે. સમવાયને પદાર્થ અને સંબંધ એમ બે રીતે સમજી શકાય નહિ, કારણકે પદાર્થનો મુખ્ય ધર્મ સ્વાતંત્ર્ય છે અને સંબંધનો મુખ્ય ધર્મ પારય છે. આ શબ્દને આ અર્થ છે એ પ્રમાણે શબ્દ અને અર્થનો નિયત સંબંધ સમવાયરૂપ થતું નથી. સંયોગ દ્રવ્યો વચ્ચે હોય છે, સમવાય અયુતસિદ્ધો વચ્ચે હોય છે. આવો સિદ્ધાન્ત સમક્તાં તેમને શબ્દ અને અર્થ વચ્ચેના સંબંધ તરીકે સમજી શકાય નહિ. समवायात्स्व आधारः स्वा च जातिः प्रतीयते ।। एकार्थसमवायात्तु गुणः स्वाधार एव यः ॥१३॥ સમવાયથી શબ્દને આધાર અને તેમની જાતિ સમજાય છે. એક જ દ્રવ્ય ( = આકાશ)માં સમવાય દ્વારા (તે શબ્દો) પોતાને આધારમાં રહેલા ગુણને જણાવે છે. (૧૩) આકાશના વાચક શબ્દો જેવા કે આકાશ, ખ, ગગન વગેરે પિતાનો અર્થ સમવાય. દ્વારા જણાવશે, કારણ કે શબ્દ આકાશનો ગુણ હેવાથી આકાશ સાથે સંમત છે. ઘટ, પટ વગેરે શબ્દો, ઘટશબદવ વગેરે જાતિને સમવાયથી જણુંવરો, કારણ કે જાતિ તેની શબ્દવ્યક્તિઓમાં સમત છે. શબ્દ પણ શબ્દત્વજાતિને સમવાયદ્વારા જણાવશે. આકાશમાં રહેલા મહત્ત્વ વગેરે ગુણેને મહત્વ વગેરે શબ્દો એકાયંસમવાયથી જણુંવશે, કારણ કે જે આકાશમાં મહત્ત્વ વગેરે ગુણોને સમવાય છે તે જ આકાશમાં તેના ગુણ મહત્વ વગેરે શબ્દો પણ સમાવેત છે. આને એકાર્યસમવાય કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy