________________
૨૬
વાયનીય અવયનું એકબીજા તરફ ઉપસપણે થતાં જે સંગ થયો તેનાથી ઘટ, પટ વગેરે અવયવી દ્રવ્યો ઉત્પન્ન થાય છે. દ્રવ્યમાત્રમાં રહેનાર ગુણત્વ વગેરે સંયેગની ઉપાધિઓ છે. સંગ આવી ઉપાધિઓથી પરતંત્ર છે. પારતરૂપ ધર્મ સંયોગમાં રહેલો છે છતાં તે પારત” તેનું અસાધારણ અર્થાત નિત્ય રૂપ નથી. તેથી સંગ એ સંબંધ નથી, પરંતુ સંબંધ જેવો છે. સંબંધરૂપે કેટલાક તેનો ઉપયોગ કરે છે એમ કહેવું યોગ્ય થશે. સંબંધ દ્રવ્ય, ગુણ, ક્રિયા, સામાન્ય વગેરેમાં અવસ્થિત છે, પરંતુ સંયોગ માત્ર દ્રવ્ય સાથે રહે છે. સંગ પદાથની ઉપર માટે જવાબદાર બને છે, સંબંધ બે પદાર્થોને જોડે છે.
निरात्मकानामुत्पत्ती नियमः क्वचिदेव यः । तेनैवाव्यपवर्गश्च प्राप्त्यभेदे स यत्कृतः ॥८॥ आत्मान्तरस्य येनात्मा तदात्मेवावधार्यते । यतश्चैकत्वनानात्व तत्त्वं नाध्यवसीयते ॥९॥ तां शक्ति समवायाख्या शक्तीनामुपकारिणीम् । भेदाभेदावतिक्रान्तामन्यथैव व्यवस्थिताम् ॥१०॥ धर्म सर्वपदार्थानामतीतः सर्वलक्षण': ।
अनुगृह्णाति संबन्ध इति पूर्वेभ्य आगमः ॥११॥ અસત (ઘટ, પટ વગેરેની ઉત્પત્તિના ચોક્કસ કારણ)ની જે નિયામક છે; પ્રાપ્તિમાં કશો ભેદ ન હોવા છતાં જેને કારણે અવિનાભાવ શકય બને છે; જેને લીધે એકનું સ્વરૂપ બીજાનું હોય તેમ સમજાય છે, જેને કારણે કાર્યનો (કારણુથી) ભેદ કે અભેદ સ્પષ્ટ થતું નથી; જે તેને આશ્રયે રહેલી) શક્તિઓ (ના કાર્યની ઉત્પત્તિ)માટે ઉપકારક છે, અને જે ભેદ અને અભેદનું અતિક્રમણ કરીને રહેલી છે, તેવી સમવાય નામે શક્તિનું, બધા પદાર્થોનાં લક્ષણોથી પર રહેલ અને બધા પદાર્થોનાં લક્ષણોવાળો સંબંધ નિયમન કરે છે, એ પૂર્વના આચાર્યોને મત છે. (૮–૧૧)
સમવાય અને સંબંધ વચ્ચેના તફાવતને હવે સ્પષ્ટ કરવામાં આવે છે.
સકાર્યવાદમાં કારણું જ કાર્ય બને છે, જેમકે પિંડરૂપે રહેલ માટી ચક્કસ આકાર પ્રાપ્ત કરીને ઘટ બને છે નિયત સાધન વડે કાયે ઉત્પન્ન થતું હોવાથી તેવાં સાધનેમાં તે તે કાર્યની ઉપલબ્ધિ થાય છે એમ સમજવું જોઈએ. ઉત્પત્તિની પહેલાં કાર્ય હતું નથી એવા તૈયાયિક સિદ્ધાન્તમાં પણ નિયત કારણોમાં જ કાર્ય પ્રાપ્ત થાય છે, જેમકે તતુ એમાં જ પટ પ્રાપ્ત થાય છે. આવી બુદ્ધિ સમવાયને કારણે છે. કાય અને કારણને ભેદ હોવા છતાં નિયત કારણ સાથે કાય રહે છે એ સ્થિતિ અવિનાભાવરૂપ સંબંધની પ્રાપ્તિ અર્થાત સમવાયને કારણે છે.
અયુતસિદ્ધ એવાં કાર્યકારણ, અવયવ-અવયવી, ધમધમ્, જાતિજાતિમાન અને ગુણગુણ એકબીજાથી જુદાં હોવા છતાં સમવાયને કારણે તાદામ્યવાળાં ભાસે છે. આમ અમૃતસિદ્ધિ સમવાયની ઉપાધિરૂપે સમજાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org