SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંડ ૨૩૫ नाभिधान स्वधर्मेण संबन्धस्यास्ति वाचकम् । अत्यन्तपरतन्त्रत्वाद् रूप नास्यापदिश्यते ॥४॥ | (ષષ્ઠી વિભક્તિ સિવાયનું કઈ પણ) અભિધાન પિતાના (અસાધારણ) ધર્મ વડે સંબંધનું વાચક બનતું નથી. અત્યંત પરતંત્ર હોવાથી તે (સંબંધોનું સ્વરૂપ સમજાતું નથી. (૪) સંબંધ હંમેશાં પછી વિભક્તિ વડે જ જણાતાય છે, કારણ કે સંબંધ બે સંબંધીઓ સાથે નિત્ય પરતત્ર છે. શુક્લ વગેરે ગુણ દ્રવ્યને અધીન હોવા છતાં કઈવાર શુકલ રૂપ એમ મુખ્યપણે જણાવાય છે, પરંતુ સંબંધ આવી રીતે જણાવાતું નથી, કારણ કે તે માત્ર ધમ છે અને તેને જણાવવા માટે કોઈ શબ્દ નથી. તેના કાર્ય ઉપરથી જ તે સમજાય છે,(૫) उपकारात्स यत्रास्ति धर्मस्तत्रानुगम्यते । शक्तीनामपि सा शक्तिर्गुणानामप्यसौ गुणः ॥५॥ (સંબંધીઓના પરસ્પર) ઉપકારને લીધે જ્યાં તે હોય છે ત્યાં તે (સંબંધ) ધર્મ તરીકે સમજાય છે, તે શક્તિઓની પણ શક્તિ છે અને ગુણોનો પણ ગુણ છે. પરસ્પર અસંબદ્ધ પદાર્થો એક બીજા ઉપર ઉપકાર કરી શકતા નથી. તેથી સંબંધ પરસ્પર સંબદ્ધ પદાર્થોની વચ્ચે જ હોઈ શકે. તે તે વસ્તુઓની જે પ્રસિદ્ધ શક્તિ છે તેને સંબંધ માની શકાય નહિ, કારણ કે શક્તિએ પણ તેમના આધાર રૂપ પદાર્થોને અધીન હેઈને નિયત કાર્ય ઉત્પન્ન કરવામાં માત્ર સંબંધ જ નિયામક બનશે. સંબંધ ગુણનો પણ ગુણ છે, કારણ કે ગુણોને કવ્ય ઉપર જે આધાર છે તેની વ્યવસ્થા પણ આ સંબંધરૂપ ગુણ કરે છે. સંબંધ એક ધર્મ છે, કારણકે હેલારાજ જણાવે છે તેમ, તે નિત્ય પરતંત્ર છે. આવો નિત્ય પરતત્ર ધર્મરૂપ સંબંધ પરસ્પર ઉપકારવાળા પદાર્થોમાં જ જોવા મળે છે. तद्धर्मणोस्तु ताच्छब्द्यं संयोगसमवाययोः । तयोरप्युपकारार्था नियतास्तदुपाधयः ॥६॥ તે સંબંધના જેવા (પારતન્યરૂપ) ધર્મવાળા સંગ અને સમવાયને સંબંધ કહ્યા છે. તેમની (અસાધારણ) ઉપાધિઓ ઉપકારના પ્રયોજન માટે નિયત છે. (૬) • સગ અને સમવાયને પણ સંબંધ ધર્મ અર્થાત પારતન્ય છે. તેથી તેમને રીતે સંબંધ કહ્યા છે. મુખ્ય રીતે તે સંબંધ નથી. અસાધારણ ઉપાધિઓ સાથે તે જ્યારે જોડાય છે ત્યારે તે ઉપાધિઓ પરતંત્ર હોય છે અને સંગ અને સમવાય સ્વતંત્ર હોય છે. સંબંધને મુખ્ય ધર્મ પારત હેઈને હવે તેઓ સંબંધ રૂપે રહેતા નથી. काचिदेव हि सावस्था कार्यप्रसवसूचिता। कस्यचित्केनचिद्यस्यां संयोग उपजायते ॥७॥ જેમાં કેઇક (અવયવ)ને બીજા કેઇક (અવયવ) સાથે સંગ થાય છે તેવી તે એક જ વિશિષ્ટ અવસ્થા છે, જે (અવયના) પરસ્પર કાર્યની ગતિ વડે સૂચવાય છે. (૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy