SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪. વાણ૫રીય શ્રયં : માં નૌ: શબ્દ અને તેના વડે વાચ અર્થ “ગાય” એ બન્ને એક સાથે અભિન્નપણે સમજાય છે. આ ક્રિયાને અભિધાન કહે છે (વરપાવિવેકનૈવ અર્થપરામમિયાનમુતે ), લૌકિક વ્યવહારમાં આવી અભિન્ન શબ્દાર્થપ્રતીતિ સંકેતનું મૂળ છે. શબ્દબ્રહારમાં શબ્દ અને અર્થની અભિન્નતા સમજાય છે. નેત્ર જેને જુએ છે તે બળ પદાર્થના સંબંધમાં તટસ્થ છે. અગ્નિનું અનુમાન કરાવનાર ધુમાડા પણ અગ્નિથી તટસ્થ રહે છે. શબ્દની બાબતમાં તેમ નથી. અભિધાન ક્રિયામાં અર્થ શબ્દમય રહે છે. આ બાબતમાં કોઈ પૂછે કે અભિધેય અર્થમાં શબ્દો ની વર્ણમાળા કેમ પ્રાપ્ત નથી, તો અમે તેને કહીશું કે વાહ આપનું દૃષ્ટાંત ! - ચિક્તિના બે વ્યાપાર છે, વાગાત્મા અને જ્ઞાનાત્મા. પ્રાણવૃત્તિવ અનુગૃહીત બનીને વાગાત્મા અભિવ્યક્ત બને છે, અને જ્ઞાનાત્મા મનવૃત્તિ વડે અભિવ્યક્ત થાય છે. અભિન્ન શબ્દાર્થમય સ્વભાવવાળે વાગાત્મા પરા વાફ રૂપે મૂલાધાર ચક્રમાં રહે છે. ત્યાંથી ઊંચે ચઢીને મનોભૂમિનું અવલંબન કરી મધ્યમાવસ્થામાં મધ્યમાં વાક રૂપે હૃદય અને નાભિની વચ્ચે રહે છે, શબ્દાર્થની અભેદાવસ્થામાં નીયમર્ય: I રૂપે રહેલ તેમને પરસ્પર અધ્યાસરૂપ સંબંધ સમજાય છે. ત્યાર પછી સ્થાન પ્રયત્નથી ઉદ્દભવ પામીને વખરી વાફ રૂપે તે સમજાય છે. પરમતત્વની અભિવ્યક્તિરૂપે રહેલે શબ્દ અભિધેય સાથે અભિન્નપણે પ્રાપ્ત થતાં ઘટોઝયમ્ પટોડરમ્ ! એવું એકાત્મક અને વિશેષણવિશેષરૂપ જ્ઞાન થાય છે. આવી એકાત્મક પ્રતીતિને શબ્દન કહે છે. આ શબ્દનરૂપી વ્યાપારને કારણે, જ્યારે પરા વાફે પ્રવૃત્ત થાય છે ત્યારે શબ્દ અને અર્થના સામાનાધિકરણ્યથી તેમનામાં અભેદનો આરોપ કરવામાં આવતાં, તેમની વચ્ચે અધ્યાસરૂપ સંબંધ સમજાય છે. પશ્યન્તી નામની અવિભાગ દશામાં વાયવાચકભેદની કશી ચિન્તા હોતી થી. વ્યવહારદશામાં પણ શબ્દથી અર્થને વિયેગ થતો નથી. તેથી આ સમસ્ત જગત શબ્દનું વિવત છે એમ સમજવું રહ્યું. સરખાવો હેલા રાજ : વિમા 1શાયાં તું પૂણ્યમિધાનામાં વાગ્યવાવभेदानुल्लासान्नाध्यासचिन्ता काचित् । इत्थं च कृत्वा शब्दैकजीवितत्वाद् व्यवहारेऽप्यर्थस्य तद्वियोगात्तद्विवर्तरूप विश्व सिद्धम् । अस्याय वाचको वाच्य इति षष्ठया प्रतीयते । योगः शब्दार्थयोस्तत्त्वमप्यतो व्यपदिश्यते ॥३॥ આ (શબ્દ) આ (અર્થ)નો વાચક છે, (આ અથ આ શબ્દને) વાચ્ય છે. એવો શબ્દ અને અને સંબંધ ષષ્ઠી વિભક્તિવડે સમજાય છે. તેથી તેમનું એકત્વ જણાવવામાં આવે છે. (૩) ' શબ્દ અને અર્થ વચ્ચે સ્વાભાવિક સંબંધનું જ્ઞાન ષષ્ઠી વિભક્તિના પ્રત્યયવડે થાય છે. ૩ ની: “આ ગાય છે' એમ ગૌશબ્દ અને ગાય એવો અર્થ એ બે વચ્ચે સ્વાભાવિક સંબંધ સમજાય છે. ઘટ અને પટ એવા પરસ્પર અસંબદ્ધ શબ્દોને પછી દ્વારા આપણે વ્યવહાર કરતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy