SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ વાકષ૫દીય तथा विकाररूपाणां तत्त्वेऽत्यन्तमसंभवः । तदात्मेव च तत्तत्त्वमत्यन्तमतदात्मकम् ।।१०।। તેમ (કુલ વગેરે) વિકારોને તત્ત્વ (એવા સુવર્ણ)માં બિલકુલ સંભવ ન હોવા છતાં, તે (વિષય)ના જેવું જે કદાપિ નથી તે તત્વ તેના જેવું દેખાય છે. (૧૦) વિજ્ઞાનવાદમાં બાહ્ય વિષયોનું અસ્તિત્વ નથી; છતાં વિષયની પ્રતીતિ આપણા મનમાં થાય છે. જડ વિષયો અને અજડ જ્ઞાનનું કોઈપણ રીતે સારૂપ્ય નથી. તેમ છતાં અતત્ત્વ વિષયો તત્ત્વરૂપે ભાસે છે. અદ્વૈત સિદ્ધાન્તમાં વિકારરૂ ૫ ઘટપટ વગેરેનો, પ્રકૃતિભૂત અને જ્ઞાન માત્ર સ્વભાવરૂપ એવા બ્રહ્મમાં સંભવ નથી. सत्यमाकृतिसंहारे यदन्ते व्यवतिष्ठते । तन्नित्यं शब्दवाच्यं तच्छब्दात्तच्च न भिद्यते ॥११।। (સાસ્ના, લાંગૂલ વગેરે) આકારવાળા ગોદ્રવ્ય)નો વિનાશ થતાં અંતે જે રહે છે તે સત્ય છે. તે નિત્ય છે, શબ્દ વડે વાચ્ય છે અને તે શબ્દતથી જુદુ નથી. (૧૧) ગે, અશ્વ એવી વ્યક્તિઓની સરખામણીમાં ગોવ, અશ્વત્વ વગેરે નિત્ય છે. તેમની મણીમાં પૃથ્વી તત્ત્વ નિત્ય છે. પૃથ્વી તત્ત્વની સરખામણીમાં ‘તે' (તત) સર્વનામથી વાય (પારમાર્થિક) વસ્તુ નિત્ય છે. આ બધામાં રહેલ સંવિત નિત્ય છે. તે શબ્દબ્રહ્મ અર્થાત્ પશ્યન્તી રૂપે રહેલી વાણી છે. જેમાંથી તત્ત્વ નાશ પામતું નથી તે જ નિત્ય છે' (ત હિ નિર્ચે હિમતવું વિગતે -પપશાહ્નિક ૧.પૃ.૭) એવા મહાભાષ્યના વચનનો આ કારિકામાં વિસ્તાર છે. હેલારા રજૂ કરેલું અર્થદર્શન અદ્વૈતપરક છે. मतदस्ति न तन्नास्ति न तदेकं न तत्पृथक् । न संसृष्ट' विभक्त न विकृतन न चान्यथा ॥१२।। તે છે' એમ (કહી શકાતું નથી; (તે) નથી એમ પણ કહી શકાતું) નથી; તે એક નથી કે તે જુદું નથી, તે સંસૃષ્ટ નથી કે વિભક્ત નથી. તે વિકૃત નથી કે તેથી જુદું (અવિકૃત) નથી. (૧૨) બધા વિવર્તીની પ્રકૃતિરૂપ બ્રહ્મતત્વ વિકારાત્મક હેઈ ન શકે, કારણકે પારમાર્થિકરૂપે તે વ્યવહારગણ્ય નથી. બ્રહ્મમાં અસ્તિત્વ, નાસ્તિત્વ, એકત્ર, પૃથફત્વ, સંસૃષ્ટત્વ, વિભક્તત્વ, વિકાર કે વિકારાભાવ એવું કશું નથી. ઉપનિષદોમાં આવા વિચારો વારંવાર પ્રાપ્ત થાય છે. तन्नास्ति विद्यते तच्च तदेकं तत् पृथक् पृथक् । संसृष्ट च विभक्त च विकृतं तत्तदन्यथा ।।१३॥ તે નથી અને તે છે, તે એક છે (અને તે જ છે, (તે) સંસ્કૃષ્ટ છે અને વિભક્ત છે (તથા) તે વિકૃત છે અને (તેથી) જુદુ (અવિકૃત) છે. (૧૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy