SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ વાય૨દીય * न चात्मसमवेतस्य सामान्यस्यावधारणे । ज्ञानशक्तिः समर्था स्याज्ज्ञातस्यान्यस्य वस्तुनः ।।१०७।। જ્ઞાનશક્તિ, પિતાની સાથે રહેલા, બીજા જાણેલા પદાર્થના સામાન્ય અંગેના નિશ્ચય અંગે સમર્થ બનતી નથી. (૧૦૭) - अयोगपदा ज्ञानानामस्येत्यग्रहण न च । यथोपलब्धिस्मरणमुपलब्धे च जायते ॥१०८।। જ્ઞાને એકસાથે પ્રાપ્ત ન થાય ત્યારે “ (આ) એનું (જ્ઞાન) છે” એમ તેને વિષે સ્વીકારાતું નથી એમ નથી. (જ્ઞાનનો) ઉપલબ્ધિ થતાં તે ઉપલબ્ધિ પ્રમાણેનું સ્મરણ થાય છે જ. (૧૦૮). घटज्ञानमिति ज्ञान घटज्ञानविलक्षणम् । घट इत्यपि यज्ज्ञान विषयोपनिपाति तत् ॥१०९।। ‘આ ઘટ જ્ઞાન છે એવું જ્ઞાન, “આ ઘટ છે એવા જ્ઞાનથી જુદું છે. આ ઘટ છે' એવું જ્ઞાન (બાહ્ય ઘટ રૂપે) પદાર્થ સાથે સંબદ્ધ છે. (૧૯) આ કારિકાના સંદર્ભમાં હેલારાજે રજૂ કરેલ પૂર્વપક્ષ આ પ્રમાણે છેઃ “આ ઘટ છે' એવા જ્ઞાનમાં ટવિષક જ્ઞાન પ્રાપ્ત થાય છે અને “આ ઘટજ્ઞાન છે. એવા જ્ઞાનમાં ‘આ ઘટતું જ્ઞાન છે એવું જ્ઞાન મળે છે. બંને વચ્ચે કોઈ સ્પષ્ટ તફાવત નથી. વિષયસંવેદનરૂ૫ બુદ્ધિ જે ,અનુભવાતી ન હોય તે “આ ઘટજ્ઞાન છે.” એમ શબ્દવડે પણ કહી શકાશે નહિ, કારણ કે અભિધાન હંમેશાં અનુભવ ઉપર આધાર રાખે છે. જ્ઞાન અને સેવ બંનેમાં વેદ્યત્વ અંગે તફાવત ન હોવા છતાં બનને વચ્ચે આ પ્રકારે તફાવત સમજાય છે કે જ્ઞાન અથને અવભાસ કરનાર છે, ય તેવું નથી, જ્ઞાનાતરની જરૂર પડે છે. સઘળે વ્યવહાર જ્ઞાન અને સેયની સિદ્ધિ ઉપર આધાર રાખે છે, જ્ઞાનના બેધ માટે જ્ઞાનાન્તરની અપેક્ષા હોવા છતાં બીજું અર્થાત્ પછીનું જ્ઞાન પહેલા જ્ઞાનને સિદ્ધ કરતું હેવાથી જ્ઞાનમાલા પણ પ્રાપ્ત થશે નહિ. यतो विषयरूपेण ज्ञानरूपं न गृह्यते । अर्थरूपविविक्त च स्वरूप नावघार्यते ॥११०॥ જ્ઞાનનું સ્વરૂપ વિષના સ્વરૂપ વડે ગ્રહણ કરી શકાતું ન હોવાથી વિષયના સ્વરૂપ વિનીનું જ્ઞાનનું સ્વરૂપ નિશ્ચિત કરી શકાતું નથી (૧૧૦). સંસર્ગદર્શનમાં બીજે પ્રચલિત મત અહીં રજ થયા છે. જ્ઞાન સ્વયંપ્રકાશ હેવાથી ય બનતું નથી. જ્ઞાનમાં સામાન્ય દર્શન પદાર્થમાં પ્રાપ્ત થતા સામાન્યને કારણે છે. ઉપરના પૂવપક્ષ પ્રમાણે “ આ ઘડો છે” એવા જ્ઞાનમાં અને “ આ ઘટજ્ઞાન છે ? એવા જ્ઞાનમાં કશે તફાવત નથી. આવા પૂર્વપક્ષને અમાન્ય કરતી આ કારિકા છે. આ ઘટ છે એનું જ્ઞાન પદાર્થથી ઉત્પન્ન થાય છે. “આ ઘટજ્ઞાન છે' એવું જ્ઞાન પધાથમાંથી ઉત્પન્ન થતું નથી. પહેલામાં ઘટની જ્ઞા નકારતા ને, બીજામાં ઘટજ્ઞાનની જ્ઞાના કારતા છે, આમ બને વરચે ભેદ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy