________________
૨૨૫
ત્રીજુ કાંડ
હેલારાજ કારિકા ૧૦૯માં બે અર્થાન્તર આપે છે (૧) બાહ્ય વસ્તુવિષયક “આ ઘડે છે એવા જ્ઞાનથી “આ ઘટજ્ઞાન છે એવું જ્ઞાન જુદું છે. ગ્રાહ્ય એવા વિષય અર્થાત ધટની સાથે ગ્રાહકરૂપે સંબદ્ધ “આ ઘટ છે' એવું જ્ઞાન બીજા જ્ઞાનથી પ્રાપ્ત થતું નથી. “ધટજ્ઞાનનું જ્ઞાન' એવું બીજું જ્ઞાન પણ બેધની બાબતમાં ઘટનાનથી જુદું નહિ હોવાથી બાહ્યવિષયક જ છે, જ્ઞાનવિષયક નથી; સરખા : ga ઘ gવાવિવાઘfપ જ્ઞાનજ્ઞાનમિતિ માં ત િવાસ્થવિષયમયુક્ત મવતિ : (૨) ઘટજ્ઞાન અને ઘટજ્ઞાનનું જ્ઞાન બને જુદાં છે, કારણ કે પહેલું સાકાર એવા ઘટ સંબંધે છે અને બીજું નિરાકાર એવા ઘટજ્ઞાન વિષે છે. જ્ઞાન અર્થાત સંવિતનો આકાર તેના જ્ઞાનરૂપે સ્વીકારાયેલા બીજા જ્ઞાનમાં પ્રતિબિંબિત થતો નથી, કારણ કે જ્ઞાન નિરાકાર છે. જ્ઞાનમાં વિષયનું પ્રતિબિંબ પડતું હોવાથી બંને સમાન રૂપવાળાં સમજાય છે અને આવા સદશ્યને કારણે બંને વચ્ચે ગ્રાહ્યગ્રહભાવ સિદ્ધ થાય છે. “આ ઘટ છે એવું બાહ્યવિષયક જ્ઞાન વિષય એવા ઘટ સાથે સંબદ્ધ હેઈને વિષયના આકારને પ્રાપ્ત કરે છે, જ્યારે ઘટનાનનું જ્ઞાન આવા વિષયાકારને પ્રાપ્ત કરતું નથી, કારણ કે સંવિત નિરાકાર છે.
આમ ઉપરોક્ત બે જ્ઞાનનું પરસ્પર વિલક્ષણ્ય અદ્દત મતના સંદર્ભમાં સિદ્ધ થતાં બૌદ્ધ મતને અહીં ડગલું માંડવાને અવસર પણ પ્રાપ્ત થતો નથી.
કારિકા ૧૦ પ્રમાણે જ્ઞાન ગ્રાહાકાર અને ગ્રાહકાકાર એમ બે પ્રકારે છે. બંને વચ્ચે વાસ્તવિક ભેદ નથી. ગ્રાહ્યાકાર ગ્રાહકાકાર વડે સમજાય છે. આ પ્રકારનું અતદર્શન
ગ્ય નથી, એ આક્ષેપ કરનારા બૌદ્ધમતાવલંબીને આ કારિકા દ્વારા જવાબ આપવામાં આવ્યો છે.
જ્ઞાનનું સ્વરૂપ ઘટ, પટ વગેરે વિષયોના સાધારણ કે અસાધારણ રૂપ વડે ગ્રહણ કરી શકાતું નથી. કારણ કે એ અનુભવ પ્રાપ્ત થતું નથી; વિષયના ધર્મોને જ્ઞાનના ધર્મો તરીકે સમજી શકાય નહિ; અર્થાત્ દ્રવ્યના સ્વરૂપથી જુદું જ્ઞાનનું સ્વરૂપ બીજા જ્ઞાનથી પણ સમજાતું નથી. જ્ઞાનનું જ્ઞાન અર્થાત ઘટતાનનું શાન જે કહેવાય છે તે વાસ્તવમાં ઘટજ્ઞાન જ છે.
વા-૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org