SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ વાકય૫ય ૨૩ જ્ઞાનરાવાર્થવિષયા વિશેષ સે કયવસ્થિત तेषां दुरवधारत्वाज्ज्ञानाद्येकत्वदर्शनम् ॥१०३।। જ્ઞાન, શબ્દ અને દ્રવ્ય વચ્ચેના જે નિયત ભેદે છે, તેમને જાણવા મુશ્કેલ હેવાથી જ્ઞાન (શબ્દ) વગેરેનું (પરસ્પર) એકત્વ જણાય છે. (૧૦૩) - સાનના વિયભૂત પદાર્થો જુદા જુદા હોવાથી જ્ઞાન અને દ્રવ્યો ભિન્ન હોય તે ગ્ય છે. તે પ્રમાણે શબ્દના અનુનાસિક, સ્વ, દીર્ઘ, વગેરે ધર્મો જુદા હેવાથી અને વક્તાએ પણ જુદી હોવાથી ભેદ પ્રાપ્ત થાય છે, તેમ છતાં આ બધા અંગે અનાદિ વિભ્રમવાસનાને કારણે ક૯પનામૂલક અભેદવ્યવહાર પ્રાપ્ત થાય છે. વર્ગોના ક્રમવાળા અને તેથી અનિત્ય એવા શબ્દોમાં જાતિ અર્થાત સામાન્ય કેવી રીતે પ્રાપ્ત થાય ? તેમ છતાં સૂક્ષ્મ વિશેનું ગ્રહણ કરવું મુશ્કેલ હોવાથી પદાર્થોને અભિન્ન રીતે સમજવામાં આવે છે. મણી, મોતી, પ્રવાલ વગેરેમાં જે ભિન્નતા છે તેની વિશેષ પરખ માત્ર ઝવેરીઓ, સેનીઓ વગેરે જ કરી શકે છે. આમ હોઈને બધા પદાર્થોમાં વિશેષ નિશ્રય થતો નથી તેથી જ અભેદજ્ઞાન થાય છે. પરિણામે જાતિની કલ્પના સર્વથા અયુક્ત છે; અભેદદર્શન માત્ર વિભ્રમ છે અને ભેદદન જ સત્ય છે એવો મત ભેદવાદીઓનો છે. ज्ञानेष्वपि यथार्थेषु तथा सर्वेषु जातयः । संसर्गदर्शने सन्ति ताश्चार्थस्य प्रसाधिकाः ॥१०४॥ બધા પદાર્થોમાં જાતિઓ રહેલી છે તેમ બધાં જ્ઞાનમાં પણ જાતિઓ છે; પદાર્થોમાં સંસર્ગને માનનારાઓના મતમાં તે (જ્ઞાનસતી જાતિએ પદાર્થ જાતિએને પુરવાર કરે છે. (૧૦) ज्ञेयस्थमेव सामान्य ज्ञानानामुपकारकम् । न जातु ज्ञेयवज्शान पररूपेण रूप्यते ॥१०२।। શેય (પદાર્થ)માં રહેલું સામાન્ય જ્ઞાન માટે ઉપકારક છે. જ્ઞાન યની જેમ પર (=સામાન્ય)રૂપે કદાપિ નિરૂપતું નથી. (૧૫) સંસર્ગદર્શનમાં બીજો પ્રચલિત મત અહીં રજ થયા છે. જ્ઞાન સ્વયંપ્રકાશ હોવાથી ય બનતું નથી. જ્ઞાનમાં સામાન્યનું દર્શન પદાર્થમાં પ્રાપ્ત થતા સામાન્યને કારણે છે. यथा ज्योतिः प्रकाशेन नान्येनाभिप्रकाश्यते । ज्ञानाकारतस्थान्येन न ज्ञानेनोपगृह्यते ॥१०६॥ . જેમ પ્રકાશ બીજા પ્રકાશ વડે પ્રકાશિત બનતું નથી તેમ જ્ઞાનનું સ્વરૂપ બાજા જ્ઞાન વડે નિશ્ચિત બનતું નથી. (૧૬) જ્યોતિ સ્વયંપ્રકાશ છે. તે પ્રમાણે જ્ઞાન પણ સ્વયંપ્રકાશ છે. આવા વૈયાકરણુ મતને કેટલાક વૈશેષિકો સ્વીકારતા નથી. તેઓ શેયમાં રહેલા સામાન્ય જ્ઞાન ઉપકારક સમજે છે, તેમ છતાં જ્ઞાનનુ આ કારત્વ કે સ્વપ્રકાશત્વ સ્વીકારતા નથી. ભર્તુહરિનું દર્શન અત દર્શનને મળતું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy