SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ વાકય૨ીય अभेदरूप साहश्यमात्मभूताश्च शक्तयः । जातिपर्यायवाचित्वमेषामप्युपवर्ण्यतेः ॥९२॥ અભેદાત્મક સાદૃશ્ય અને (વ્યક્તિઓનું) આત્મનિષ્ઠ સામર્થ્ય, એમને જાતિના પર્યાય તરીકે વર્ણવવામાં આવ્યા છે. (૨) વ્યક્તિઓથી અભિન્ન અને તેમના સ્વરૂપ રૂપે રહેલ સાદગ્સને જતિ કહે છે. વ્યક્તિના સ્વરૂપથી જુદી પણ તે તે કાર્યો માટે અનુકુળ શક્તિવાળું સામર્થ્ય તેને પણ જાતિ કહે છે. વ્યક્તિઓ જ તેમના પરસ્પર સાદયને કારણે એકત્વનો બોધ કરાવશે તેથી વ્યક્તિએથી જુદી જાતિને સ્વીકારવાની જરૂર નથી. બીજી રીતે કહીએ તે જાતિ, સદશ્ય, શક્તિ વગેરે એક જ તત્ત્વનાં નામાન્તરો છે આ અંગે વિચાર એટલો કરવાનો છે કે જાતિ શું વ્યક્તિઓથી જુદું એવું તત્ત્વ છે. હવે પછીની કારિકામાં આ અંગે ઉત્તર આપવામાં આવ્યો છે. दण्डोपादित्सयो दण्ड यद्यपि प्रतिपद्यते । न तस्मादेव सामर्थ्यात्स दण्डीति प्रतीयते ॥९३।। नेच्छानिमित्तादिच्छावानिति ज्ञान प्रवर्तते । तस्मात्सत्यपि सामर्थ्य बुद्धिरर्थान्तराश्रया ॥९४।। (કોઈ વ્યક્તિની) લાકડી પકડવાની ઈચ્છાને કારણે લાકડીને બંધ થાય છે, પરંતુ તે (લાકડી પકડવાની ઈચ્છા રૂપી) સામર્થ્ય (માત્ર)થી જ તે વ્યક્તિ દંડી છે એમ સમજાતું નથી; ઈચ્છાના નિમિત્ત(માત્ર)થી (કઈ વ્યક્તિ વિષે) તે ઈચ્છાવાળો છે એ બધ થતો નથી. તેથી (તે તે કાર્યો માટે અનુકૂળ) સામર્થ્ય હોવા છતાં મન (સામાન્ય એવા) બીજા તત્વને અશ્રય કરે છે. (૯૩-૯૪) અહીં ન્યાયવશેષિક દર્શનનો આશ્રય કરીને વ્યક્તિઓથી ભિન્ન એવી જાતિનું સમર્થન કરવામાં આવ્યું છે. અનુરૂપ કાર્ય હમેશાં અનુરૂપ કારણથી ઉત્પન્ન થાય છે; તેથી લાકડી પકડવાની ઈચ્છાથી કોઈ વ્યક્તિ લાકડી પકડવાની ઈચ્છાવાળો છે. એટલું જ સમજાય છે; તે લાકડીવાળો છે એવું જ્ઞાન થતું નથી. તેથી સદશ્યથી કે સામર્થ્યથી શબ્દજ્ઞાન મળતું નથી. આમ હાઈને બીજા કેઈ નિમિત્તરૂપ તત્ત્વને સ્વીકારવું જોઈએ. આવું નિમિત્તતનવ જાતિ અથવા સામાન્ય છે. સરખાવો હેલા રાજ : gઉં સાદા: સામાન્ય न्यस्य विषयसामथ्ये सत्यपि न तस्मादेव सामर्थ्यादनुगताकारस्य ज्ञानजनकत्व युक्त तत्सदृशम त्यादिज्ञानवदिति तन्निमित्त व्यतिरिक्त सामान्यमवश्याश्रयणीय मिति सिद्धम् । स्वभावोऽव्यपदेश्यो वा सामर्थ्य वावतिष्ठते । सर्वस्यन्ते यतस्तस्माद्व्यवहारो न कल्पते ॥९॥ અને છેવટે બધા પદાર્થોનો અનિર્ધારિત “સ્વભાવ અથવા (તેવું) સામર્થ્ય (જ). અવશિષ્ટ રહેશે. તેવા (સ્વભાવ કે સામર્થ્ય)થી (શબ્દ)ષ્યવહાર પ્રવૃત્ત બનશે નહિ.(૯૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy