SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ વાકયપદીય संमृज्यमानतन्त्रे तु ग्रहे यत्र क्रियाश्रुतिः । संख्यांविशेषग्रहण नैव तत्राद्रियामहे ॥८५।। જ્યાં (વાસણની) સફાઈવિવક્ષિત હોય ત્યાં મુખ્ય બાબત, જેની સફાઈ કરવાની છે તે હવાથી, વિશિષ્ટ (એકત્વસંખ્યાની વિવક્ષાને અમે સ્વીકારતા નથી. (૮૫) પાત્રનું સંમાર્જન કરવું હોય ત્યારે માત્ર મુખ્ય સમજાય છે. આ પાત્ર અંગે પ્ર એવું એકવચન વિવક્ષિત નથી. शिष्यमाणपरे वाक्ये यदेकग्रहणं कृतम् ।। शेषे विशिष्टसंख्येऽपि व्यक्त तल्लिङ्गदर्शनम् ।।८६।। જેમાં શેષ રહેનાર શબ્દ મુખ્ય છે એવા (એકશેષનું વિધાન કરનારા સૂત્ર) વચનમાં સેવે એવો એકત્વસંખ્યા દર્શાવતો ઉલ્લેખ કરવામાં આવ્યો છે છતાં, gઇ એવા શબ્દનું જે ગ્રહણ કરવામાં આવ્યું છે તે, (સામાન્ય પોતાની સાથે રહેલ સંખ્યાને આધારે પ્રવૃત્તિ કરે છે એવા) સિદ્ધાંતનું જ્ઞાન કરાવે છે. (૮૬) સરવાળામશેષ gવમil 1 (પા. સુ. ૧.૨૬૪)માં ઇશેષ: શબ્દમાં સંખ્યા પ્રત્યય એકવચનને બંધ કરાવે છે; આમ છતાં જીવ શબ્દ મૂકવામાં આવ્યો છે તે દર્શાવે છે કે પ્રધાનભૂત સામાન્ય પિતાના આધારની સંખ્યા પ્રમાણે પ્રવૃત્તિ કરતું નથી. समासप्रत्ययविधौ यथा निपतिता श्रुतिः । गुणानां परतन्त्राणां न्यायेनैवोपपद्यते ॥८७॥ જેમ સમાસ અને પ્રત્યય અંગેના નિયમોમાં (એક વિશિષ્ટ વિભક્તિવાળા) શબ્દ (સુખ સુHI)નું શ્રવણ પ્રાપ્ત થાય છે તેમ અવયવ સમુદાયને અધીન છે એવા સિદ્ધાંત પ્રમાણે જ, (અવયની) તેવી વિભક્તિ સમજાય છે. (૮૭) સદ કુવા (પા. સ. ૨.૧.૪) સૂત્રમાં સમાસકાયનું વિધાન થયું છે, તેથી તેનું જ પ્રાધાન્ય છે. તેમાં સમાસનાં પદે, જે અવયવો છે, તેમનું વિધાન નથી, કારણ કે તે અવયવો સમુદાયમાં અન્તભૂત છે અને તેમનું સ્વાતંત્ર્ય નથી. સમાસમાં તેના અવયવોને વિભક્તિલપ, સ્વત્વ, પુંવર્ભાવ વગેરે સમુદાયના સંસ્કાર માટે જ છે. તેથી સમાસવિધાન અંગેના સૂત્રમાં જે નિયમને કારણે એક વિશિષ્ટ સન્દુ યુવા એવું જે વિભક્તિશ્રવણું થાય છે તે નિયમને કારણે જ અવયવોની પણ એકત્વસંખ્યા સમજવાની છે; તેથી અકેક વિભકત્યન્તનો સમાસ થશે, જેમકે શારું શ્રિતઃ શ્રિત: I; અનેક સુબતોનો નહિ, જેમકે, મરં શ્રિતઃ ; સરખાવો હેલારાજ: પ્રઘાનવરાવર્તિત્વાકુળાનામાથવાનાં ચાં વ્યાमुपादायार्थे प्रवृत्ता अस्ति सुप् सुपा इति श्रुतिस्तत्संख्यायोगिनमेवार्थ प्रतिपादयतीत्येकैकस्य सुबन्तस्य समासः कष्टाश्रत इत्यादो भवति, न तु बहुनां महत्कष्ट श्रित इति । गुणेऽपि नाङ्गीक्रियते प्रधानान्तरसिद्धये । संख्या कर्ता तथा कर्मण्यविशिष्ट: प्रतीयते ।।८८॥ (એકમાંથી) બીજા પ્રધાનની સિદ્ધિ માટે, ગૌણમાં પણ સંખ્યા સ્વીકારવામાં આવતી નથી, તેથી કર્મના અનુગ્રહ માટે કર્તાને અવિશિષ્ટ સમજવામાં આવે છે.(૮૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy