________________
બીજુ કાંડ
દ્રવ્ય અને જાતિ અત્યંત આસન છે, દ્રવ્ય ક્રિયા માટે સાક્ષાત ઉપયોગી છે; ગુણ પરોક્ષ રીતે, દ્રવ્ય દ્વારા ઉપયોગી છે; તેથી દ્રવ્ય ક્રિયાની જેટલું નજીક છે, તેટલે ગુણ ક્રિયાની નજીક નથી, પરિણામે ગુણને પ્રતિનિધિ લેવામાં આવે છે.
साम्येनान्यतराभावे विकल्पः कैश्चिदिष्यते ।
अतद्गुणोऽतश्छागः स्यान्मेषो वा तद्गुणो भवेत् ।।८०॥ જાતિ અને ગુણ, બંનેનું (દ્રવ્યના ઉપલક્ષણરૂપ) સામ્ય હોવાથી એક ન હોય ત્યારે તેને પ્રતિનિધિ લે એમ કેટલાક (આચાર્યો) માને છે, તેથી જેનું વિધાન થયું છે તેવા રંગ સિવાયના રંગવાળે બકરે હેઈ શકે અથવા બકરાને બદલે વિહિત રંગવાળે ઘેટે હોઈ શકે. (૮૦) - જતિ અને ગુણ બંને દ્રવ્ય સાથે જોડાયેલાં હોઈને બંનેનો પ્રતિનિધિ લેવું જોઈએ એવું દ્રવ્યપદાર્થવાદી વ્યાડિને અનુસરતા આચાર્યોનું માનવું છે. દ્રવ્યના પ્રતિનિધિને મહાભાષ્યકાર વગેરે શિષ્ટ સ્વીકારતા નથી.
जातेराश्रितसंख्यायाः प्रवृत्तिरुपलभ्यते । ___ संख्याविशेषमुत्सृज्य क्वचित्सव प्रवर्तते ॥८१॥ કઈ વાર (શાસ્ત્રમાં સંખ્યા સાથેની જાતિની પ્રવૃત્તિ થાય છે, કેઈકવાર ચોક્કસ સંખ્યાને ત્યાગ કરીને તે (જ) જાતિ પ્રવર્તમાન બને છે. (૮૧)
पराङ्गभूत सामान्य युज्यते द्रव्यसंख्यया।
स्वार्थ प्रवर्तमान तु न संख्यामवलम्बते ।।८२॥ જ્યારે સામાન્ય, અન્ય(=ક્રિયા)ના અંગરૂપે હોય છે, ત્યારે તે દ્રવ્યની સંખ્યા સાથે જોડાય છે. પિતાના પ્રયોજન માટે પ્રવૃત્ત થતું તે (દ્રવ્યની) સંખ્યા ઉપર આધાર રાખતું નથી (૮૨)
વરુના ચત છે એવા વાક્યમાં ક્રિયાના અંગરૂપે રહેલ પશુવાદિ સામાન્ય વશુના એવી એકત્વ સંખ્યા સાથે જોડાય છે. હું સનાઈટા એવા વાક્યમાં સંમાર્જનરૂપ પ્રયજનને સિદ્ધ કરનાર તે સામાન્ય, સંખ્યા ઉપર આધાર રાખતું નથી.
यजेत पशुनेत्यत्र यज्यर्थायां पशुश्रुतौ।
कृतार्थंकेन पशुना प्रधान भवति क्रिया ॥८३॥ “પશુ વડે યજ્ઞ કરવો” (વરુના યત ) એવા વાકયમાં પશુ શબ્દ યજ્ઞકાર્યમાં અંગભૂત છે તેથી મુખ્ય કાર્ય, (યજ્ઞ) ક્રિયા એક પશુ વડે પણ પૂર્ણ બને છે. (૮૩)
यावतां संभवो यस्य स कुर्यात्तावतां यदि ।
आलम्भन गुणैस्तेन प्रधान स्यात्प्रयोजितम् ।।८४॥ જે (અધિકારી યજમાન)ને જેટલાં પશુઓ પ્રાપ્ત થતાં હોય તેટલાનો તે જે ઘાત કરે તો તે પ્રધાન (એવા યજ્ઞકાર્યને ગૌણ (એવાં પશુઓ) વડે પ્રયુક્ત કરશે. (૮૪)
વા-૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org