________________
વાક્યપદીય
અગાઉ જણાવેલ સિદ્ધાંત પ્રમાણે કારકવિભક્તિદ્વારા દ્રવ્ય અને ગુણુના ક્રિયા સાથેના અને વાયદ્વારા તેમને પરસ્પર એમ એ પ્રકારના સબધા પ્રાપ્ત થાય છે. આવી સ્થિતિમાં આ ક્રારિકામાં જણાવ્યા પ્રમાણે શ્વેત છાશમામેત ! એવા વાકય પ્રમાણે સફેદ બકરા ન મળતા હાય તો કાળાનું હનન અને બકરા ન હોય તેા લેાટના પુતળાનું હનન થશે, કારણ કે શ્વેત છાગમાસમેત । માં શ્વેત'ની દ્વિતીયા અને ક્રિયાપદ મામત માંની વિભક્તિ સાધ્યસાધનભાવરૂપ સંબંધને સાક્ષાત્ જણુાવે છે. તેમાંથી પરસ્પર સંબંધવાળાં એવાં ક્રિયા અને કારકની પ્રતીતિ થાય છે. વાક્યમાંથી પ્રાપ્ત થતા વિશેષણવિશેષ્યભાવ સબ ધ માટે સાક્ષાત્ વાચક કશું ન હેાવાથી તે દુબળ છે, સરખાવા હુલારાજ : વાવીયસ્ય તુ संबन्धस्य साक्षाद् वाचकं नास्ति । केवलमुभयस्यैकवाक्योपादानद्वारा योग्यार्थसमन्वयपदान्तरसमवधानात् परस्परेण संबन्धो व्यवस्थाप्यते इति श्रुत्यपेक्षया दुर्बलत्वम् ।
यदा तु जातिः शक्तिर्वा क्रियां प्रत्युपदिश्यते । सामर्थ्यात्संनिधी येते तत्र द्रव्यगुणौ तदा || ७७ ||
પરંતુ જ્યારે જાતિ અથવા શક્તિનુ ક્રિયા માટે (સાધન રૂપે) વિધાન કરવામાં આવે છે ત્યારે સામર્થ્ય ને કારણે તેમના આધારરૂપ) દ્રવ્ય અને (આધેય રૂપ) ગુણુને પણ ત્યાં (વિધિવાકયમાં) સમજવામાં આવે છે (૭૭)
અગાઉની કારિકામાં દર્શાવેલી તિને પદાથ માનવાથી મુશ્કેલી ટળી જાય છે. અગાઉ દ્રવ્ય અને ગુણુના ક્રિયા સાથેના કારકવિભક્તિપ્રાપ્ત સબંધની વાત કરવામાં આવી હતી તેને બદલે કારકવિક્તિપ્રાપ્ત જાતિ અને ક્રિયાને અને શક્તિ અને ક્રિયાને સબંધ સમજતાં કશી મુશ્કેલી રહેતી નથી. જાતિ અને શક્તિ આધાર વિના રહી શક્તાં નથી તેથી તેમનું આધાર દ્રવ્ય અને તે દ્રવ્યને! આધેય ગુણુ પણ વાયરા થતા વિધાનમાં સમજવામાં આવે છે.
जातीनां च गुणानां च तुल्येऽङ्गत्वे क्रिर्या प्रति । गुणाः प्रतिनिधीयन्ते छागादीनां न जातयः ॥ ७८ ॥
જાતિ અને ગુણુનુ ક્રિયા સાથેનું સમાન અંગત હોવા છતાં, બકરાં વગેરેના ગુણાના પ્રતિનિધિઓ સ્વીકારાય છે, જાતિએ!ના (પ્રતિનિધિઓ) નહિ. (૭૮) व्यक्तिशक्तेः समासन्ना जातयो न तथा गुणाः ।
साक्षाद् द्रव्यं क्रियायोगि गुणस्तस्माद्विकल्पते ॥ ७९ ॥
જાતિએ શક્તિદ્રવ્યથી જેટલી નજીક (સખદ્ધ) છે તેટલા ગુણુ નજીક (સ'ખદ્ધ) નથી. દ્રવ્ય ક્રિયા સાથે સાક્ષાત્ સંબધમાં છે, તેથી (માત્ર) ગુણુના જ પ્રતિનિધિ હોય છે. (૯)
સરખાવા હેલારાજ : શિત્તઃ રાતન્ય દ્રવ્યચેત્યર્થ: ! શયાયજ્ઞો વ્યસ્ય નિયો पयोग इति शक्तिग्रहणम् । उत्पत्तिप्रभृत्या विनाशादन्वयादधिष्ठान संबन्धयोश्चैककालत्वादासन्ना द्रव्ये જ્ઞાતિઃ । गुणास्तु तन्निष्ठोत्तरकालभाविनः कालान्तरपरिवासादन्योन्यस्वभाव परिणामिन द्रव्याद् विप्रकृष्टाः ।
इति
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org