SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંઠ कश्चिदेव गुणो द्रव्ये यथा सामर्थ्यलक्षणः । आधारोऽपि गुणस्यैव प्राप्तः सामर्थ्यलक्षणः ॥७३॥ तयोस्तु पृथगर्थित्वे संबन्धो यः प्रतीयते । न तस्मिन्नुपघातोऽस्ति कल्प्यमन्यन्न चाश्रुतम् ।।७४।। જેમ પરસ્પર સામર્થ્યને કારણે દ્રવ્યમાં કોઈક ગુણ પ્રાપ્ત થાય છે જ, તેમ (આવા) સામર્થ્યને કારણે ગુણને આધાર (દ્રવ્ય) પણ પાપ્ત થાય છે. તેમની (દ્રવ્ય અને ગુણની) પરસ્પર અપેક્ષાને કારણે સંબંધ સમજાય છે; તેમાં કોઈ બાધ નથી; અને (આવા સંબંધથી જુદા કેઈ અવિહિતની કલ્પના કરવી જોઈએ નહિ. (૭૩-૭૪) દ્રવ્ય અને ગુણને એક બીજાની અપેક્ષા હોય છે. આવી અપેક્ષાને સામર્થ કહે છે. વિધિવાક્યમાં આવી પરસ્પર અપેક્ષા જ્યારે તે વાક્યના શબ્દોમાંથી જ પ્રાપ્ત થતી હોય ત્યારે દ્રવ્ય અને ગુણ વચ્ચેના સંસર્ગરૂપ સંબંધનો ત્યાગ કરવો જોઈએ નહિ. અને આવો ત્યાગ કરવાનું ન હોય તો કશું અશ્રુત અર્થાત અવિહિત વચ્ચે લાવવું જોઈએ નહિ. વાક્યને નિરંશ સમજતા, તેમાંથી પહેલાં વિશિષ્ટ અર્થપ્રાપ્તિ થાય છે. વાયાર્થના બોધ માટે તેને નામ, આખ્યાત વગેરે વિભાગમાં વિભક્ત કરવામાં આવે છે. દરેક વિભાગ તેને સ્વતંત્ર જાતિરૂપ અથ દર્શાવે છે. આ બધા જાતિરૂપ અર્થે એકત્ર મળીને વાજ્યના અથવિશેષને બોધ કરાવે છેઆવી વ્યવસ્થા કેવળ અર્થ પ્રતીતિ માટે છે. સરખાવો હેલારાજ તરમાદિ ક્વાથ વાયાવગત તહ્ય ક્વિાહ્ય જન્મનાવવા પર નાસ્તિા नापि श्रुतस्यार्थस्य त्यागसंभवः । क्रियया योऽभिसंबन्धः स श्रुतिप्रापितस्तयोः । आश्रयाश्रयिणोर्वाक्यान्नियमस्त्ववतिष्ठते ।।७५।। તેમને ( દ્રવ્ય અને ગુણની ક્રિયા સાથે સંબંધ કારકવિભક્તિ(ના શ્રવણ) વડે પ્રાપ્ત થાય છે. આશ્રય (ગુણ) અને આશ્રયી (દ્રવ્ય) વચ્ચેનો સંબંધ વાક્યરૂપ પ્રમાણ વડે નિશ્ચિત બને છે. (૭૫) જામખ્યાન્ન અવઢાં ન માં દ્રવ્ય અને ગુણ બંનેને ક્રિયા સાથે ક્રિયાકારકભાવરૂપ સંબંધ પ્રાપ્ત થાય છે. આવો સંબંધ કારકવિભક્તિ વડે પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત દ્રવ્ય અને ગુણનો વિશેષ્યવિશેષણભાવરૂપ સંબંધ વાક્ય દ્વારા પ્રાપ્ત થાય છે આવા બે પ્રકારના સંબંધે દર્શાવતું વાક્ય એક અને નિર્વિભાગ છે. तत्र द्रव्यगुणाभावे प्रत्येक स्याद्विकल्पनम् । श्रुतिप्राप्तो हि संबन्धो बलवान्वाक्यलक्षणात् ॥७६॥ ઉપરના સિદ્ધાંત પ્રમાણે દ્રવ્ય અથવા ગુણનો અભાવ હોય ત્યારે એકને બદલે બીજાનો વિકલ્પ થશે, કારણકે કારકવિભક્તિથી પ્રાપ્ત થતો સંબંધ વાકયથી પ્રતિપાઘ થતા સંબંધ કરતાં વધારે બળવાન છે. (૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy