________________
૨૧૪
વાકયપદીય (૪૬ સર્જિા એ વાક્યમાં) સફાઈનું વિધાન કરવાનું હોવાથી અને (સાફ કરવાનાં) વાસનું અન્યત્ર (જ્ઞાપત્યા નવગ્રહ છે એવા વિધિવાકયમાં) વિધાન થયું હોવાથી, વિધેિવાકયમાં પ્રાપ્ત થતી સંખ્યાનો અનુવાદવાકયમાં ત્યાગ કરવામાં આવતું નથી. (૩૦)
એકત્વસંખ્યા વિવક્ષિત છે કે અવિવલિત એ વાતને સંખ્યાના પ્રત્યાયના અર્થને અનુલક્ષ્યમાં ચર્ચવામાં આવી હતી. હવે વાયવ્યાપારની દૃષ્ટિએ તેની ચર્ચા કરવામાં આવે છે. જે અગાઉ વિધાન થયું છે તે અપૂર્વ અર્થને મુખ્ય ગણવામાં આવે છે. વા તે નિશ્ચિત બને છે. જેનું અન્યત્ર વિધાન થયું છે તેને કોઈ બીજાને બોધ કરાવવા ગૌણરૂપે સમજવામાં આવે છે. વિહિતનું પુનવિધાન માત્ર અનુવાદરૂપે છે. પ્રદુ સમાદ્ધિ માં સફાઈ (સમા)નું વિધાન કરવાનું છે, જેની સફાઈ કરવાની છે તે પાત્રો (ગ્રા:)નું વિધાન વાગાવવા નવઘદા: I એવા વાક્યમાં અન્યત્ર થયેલું છે, જ્યાં પાત્રોની સંખ્યા પણ દર્શાવી છે. પ્ર સમા&િ I માં શરમથી એકત્વસંખ્યાયુકત પાત્ર નહિ પણ બધાં વાસણે સમજવાનાં છે. પ્રશ્ન માં એક પંખ્યા દર્શાવતો ૩+[પ્રત્યય માત્ર શબ્દસંસ્કાર માટે છે. તે ન છતાં ઘઉં સમાદ્ધિ એવા વિધિવામાં પ્રાપ્ત થતી સંખ્યાનો ત્યાગ કરવાનો નથી.
विधिवाक्यान्तरे संख्या पशोर्नास्ति विरोधिनी ।
तस्मात्सगुण एवासौ सहकत्वेन गम्यते ॥७१॥ (પશુના જનેતા એવા વિધિવાયથી જુદા) બીજા વિધિવામાં પશુની (એકત્વ સંખ્યાનો) વિરોધ કરનારી સંખ્યા નથી. તેથી (પું ત્વરૂપી) ગુણ સહિત તે (પશુ) જ હંમેશાં એકત્વ સંખ્યા સાથે સમજાય છે. (૭૧)
नितिद्रव्यसंबन्धे यः कर्मण्युपदिश्यते ।
गुणस्तेनार्थिता तस्य द्रव्येणेव प्रतीयते ॥७२॥ દ્રવ્ય સાથે જેને પ્રથમ સંબંધ નિશ્ચિત થયો છે તેવી ક્રિયામાં જે (શુકલ વગેરે) ગુણનું વિધાન કરવામાં આવે છે તે ગુણની ક્રિયાને અપેક્ષા છે એમ સમજાય છે, જેમ દ્રવ્યની અપેક્ષા ક્રિયાને હોય તેમ.(૭૨)
આ કારિકાનો અર્થ સરળ શબ્દોમાં આ પ્રમાણે થશે. જેમ ક્રિયા દ્રવ્ય ઉપર આધાર રાખે છે તેમ ગુણ ઉપર પણ તે આધાર રાખે છે. આ ગુણનું વિધાન ક્રિયા સાથે કરવામાં આવ્યું છે, અને ક્રિયાને દ્રવ્ય સાથેના સંબંધ નિશ્રિત થયેલ છે.
ક્રિયા તેના આધાર એવા દ્રવ્યની અપેક્ષા રાખે છે. પરંતુ ગુણ માટે તેની અપેક્ષા કેવી? દ્રવ્ય અને ગુણ હંમેશાં સાથે હોય છે; તેથી ક્રિયાને કવ્ય અને ગુણ એમ બંનેની અપેક્ષા છે. દ્રવ્ય ક્રિયાનું અન્તરંગ તત્ત્વ છે, ગુણ બહિરંગ તરવ છે. ક્રિયાની શક્તિને આધાર દ્રવ્ય હોવાથી ક્રિયા સાથે પહેલે સંબંધ દ્રવ્યને છે. કa છાનામામેત | એવા વાકયમાં મામેત એવી ક્રિયા પહેલાં છાસ એવા દ્રવ્યની અપેક્ષા રાખે છે અને પછી સફેદ એવા ગુણની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org