________________
Rાર
વાકષ૫રીય
प्रत्याश्रयं समाप्तायां जातावेकेन चेक्रिया ।
पशुना न प्रकल्प्येत तत्स्यादेव प्रकल्पनम् ।।६२॥ જાતિ તેના પ્રત્યેક આશ્રય (=વ્યક્તિ)માં રહેલી હોવાથી, જે ક્રિયા એક પશુ વડે સિદ્ધ થતી ન હોય તે (જ) આવી (અનેક પશુ ઓની) કલપના થઈ શકે. (૨)
एकेन चेत्प्रसिद्धायां क्रियायां यदि संभवात् ।
पश्वन्तरमुपादेयमुपादानमनर्थकम् ॥६३॥ જે એક પશુવડે યજનક્રિયા સિદ્ધ થતી હોય અને માત્ર બીજુ પશુ મળવાના સંભવને કારણે બીજુ પશુ લેવામાં આવે તે આવે (બીજા પશુને) સ્વીકાર અનર્થક બનશે (૬૩)
જેટલાં પશુઓનું વિધાન થયું હોય તેટલાને જ સ્વીકાર કરવો જોઈએ. “વધારે લેવાથી વધારે ફળ” એવો નિયમ અહીં લાગુ પડે નહિ.
___ यथैवाहितगर्भायां गर्भाधानमनर्थकम् ।
तथैकेन प्रसिद्धायां पश्वन्तरमनर्थकम् ॥६४॥ જેમ ગર્ભવતી સ્ત્રીમાં (ફરીવાર) ગર્ભાધાન કરવું નિષ્ફળ છે, તેમ એક પશુ વડે (યજ્ઞકાર્ય) સિદ્ધ થતું હોય ત્યારે બીજુ પશુ લેવું) નિરર્થક છે. (૬૪)
આવાં સાદાં વ્યવહારગત ઉદાહરણ ઉપરથી સાદી સમજણ પ્રાપ્ત થાય છે કે એકત્વ હમેશાં વિવક્ષિત હેય છે.
तावतार्थस्य सिद्धत्वादेकत्वस्याव्यतिक्रमम् ।
केचिदिच्छन्ति न त्वत्र संख्याङ्गत्वेन गृह्यते ॥६५॥ તેટલા (=એકત્વસંખ્યાવાળા પશુ) વડે (ક્રાર્ય) સિદ્ધ થતું હોવાથી કેટલાક ઈ છે છે કે એકત્વસંખ્યાનો ત્યાગ કરવો જોઈએ નહિ. (આમ કરવાથી) એકવ સંખ્યા (યજ્ઞકાર્યના) અંગ તરીકે સમજાશે નહિ. (૬૫) એકત્વ સંખ્યાની વિવક્ષાને અહીં બીજી રીતે સમજાવવામાં આવી છે.
द्वितीयादि तु यल्लिङ्गमुक्त न्यायानुवादि तत् ।
न संख्या साधनत्वेन जातिवत्तेन गम्यते ॥६६॥ (ઉફથ્યમાં બીજુ હૂિતીમુ . વગેરે વચનેમાંનું બીજું વગેરે જે સૂચન (=પ્રમાણ) જણાવ્યું છે તે (અગાઉ જણાવેલા) ન્યાયને પ્રમાણિત કરનારું છે; તેથી જાતિ જેમ (ક્રિયાના) સાધનરૂપે સમજાય છે તેમ સંખ્યા (સાધનરૂપે) સમજાતી નથી. ૧૬)
લાવવા અને સામર્થ્યને કારણે એકત્વસંખ્યાની વિવક્ષા સિદ્ધ થાય છે. તે બાબતને દ્વિતીયમુળે એવાં વચનમાં રહેલે દ્રિતીયં શબ્દ પ્રમાણિત કરે છે.
આ કારિકાની બીજી પંક્તિમાંના સેન શબ્દને ત્રણ રીતે સમજી શકાય : (૧) બે ન્યાયોવડે, (૨) તે કારણે, (૩) તે સૂચન(ક્રિ)વડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org