SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંડ ૨૦૭ અદ્વૈતદર્શનમાં મહાપ્રલય વખતે બધા પદાર્થી, એક મહાસત્તા જેને સાંખ્ય મતમાં પ્રકૃતિ કહે છે, તેમાં વિલીન બને છે. અહીં... દ્રવ્યસત્ત્વ એટલે મૂલઢારણુ, કારણુસત્તા અથવા સન્માત્રરૂપ વ્ય પ્રલયકાળે આવા મૂલદ્રવ્યસત્ત્વમાં જાતિ એકરૂપ બને છે. વૈશેષિક મતમાં મહાપ્રલય વખતે જાતિએ તેમના આધાર વિના એકલી જ રહે છે, કાસ્સું કે આધાર અર્થાત્ આયેાતા ઉપયેાગ કેવળ જાતિની અભિવ્યક્તિ માટે જ છે, આ બંને મતેમાં તાત્ત્વિક વિરાધ નથી. ભતૃહરિએ અહીં પેાતાના મત નિરૂપ્યા છે. ब्राह्मणत्वादयो भावाः सर्वप्राणिष्ववस्थिताः । अभिव्यक्ताः स्वकार्याणां साधका इत्यपि स्मृतिः ||१४|| બ્રાહ્મણત્વ વગેરે ભાવા બધાં પ્રાણીઓમાં રહેલા છે, પર ંતુ જ્યાં (=જે દ્રવ્યવિશેષમાં) તે અભિવ્યક્ત થાય છે ત્યાં જ પોતાનાં કાર્યાનાં સાધક અને છે, એવી પરંપરા છે. (૪૪) चित्रादिष्वप्यभिव्यक्तिर्जातीनां कैश्विदिष्यते । प्राण्याश्रितास्तु ताः प्राप्तौ निमित्तं पुण्यपापयोः || ४५ || ચિત્રો વગેરેમાં પણ જાતિએની અભિવ્યક્તિ થાય છે એમ કેટલાક જણાવે છે; પરંતુ જ્યારે (જીવંત) પ્રાણીએ તેમના આશ્રય હોય ત્યારે જ તે પુણ્ય અને પાપનાં નિમિત્ત બને છે. (૪૫) ચિત્રમાં કે પૂતળામાં રહેલ બ્રાહ્મણ પણ બ્રાહ્મણત્વ જાતિને અભિવ્યક્ત કરે છે તેમ કેટલાક જણાવે છે. આ વાત બરાબર નથી એમ ભર્તૃહેરિ વેર્િ શબ્દથી વ્યક્ત કરે છે, કારણકે ચિત્રમાંના બ્રાહ્મણને હણવાથી પાપ થતુ નથી, તેમ તેની પૂજા કરવાથી પુણ્ય થતું નથી. ज्ञानं त्वस्मद्विशिष्टानां तासु सर्वेन्द्रियं विदुः । अभ्यासान्मणिरूप्यादिविशेषेष्विव તદ્દામ્ ।।૪।। જેમ રત્ના, રૂપું વગેરે અંગેની વિશિષ્ટતાએ અગેનુ' તેમને જાણનારા (ઝવેરીએ અને સાનીએ)નુ જ્ઞાન અભ્યાસને કારણે આપણાથી જુદું હાય છે તેમ, તે જાતિ અંગેનુ, આપણાથી જુદા (સદ્રષ્ટા જ્ઞાનીઓ)નું જ્ઞાન, ખધી ઇન્દ્રિયેાથી પ્રાપ્ત થનારુ હાય છે, એમ (આચાર્યો) જણાવે છે. (૪૬) સામાન્ય મનુષ્યે। પ્રતિનિયત પદાર્થોને જ જોઈ શકે છે. આદ્ય ગુરુએ આપણાથી વિશિષ્ટ અર્થાત્ વિલક્ષણુ અને સ′દ્રષ્ટા હેાય છે. આ આદ્યગુરુના પણ ગુરુ ઈશ્વર છે. તે નિત્ય છે; કારણ કે પ્રલય પછી બ્રહ્માદિ દેવા જ્યારે ફરીવાર ઉત્પન્ન થાય છે, ત્યારે ઈશ્વર જ તેમના ઉપદેષ્ટા છે. આદ્યગુરુ એને જાતિનુ અને તેના આશ્રયેા રૂપ પદાર્થીનુ સ્પષ્ટ અને હસ્તામલકવત્ જ્ઞાન હૈ!ય છે. તેમની ન્દ્રિયા તેમના વિયેા પૂરતી મર્યાદિત હોતી નથી, તેમની પાંચેન્દ્રિયામાંથી દરેક ઇન્દ્રિય બધી ઇન્દ્રિયનું કાય કરી શકે છે. હેલારાજે કરાવેલું અદન યેાગપરક અને અદ્વૈતપરક છે. સરખાવા તેણે રજૂ કરેલ આગમવચન : नेदानीं इन्द्रियैरेव पश्यति घ्राणत: शब्द श्रुणोति पृष्ठतो रूपाणि पश्यति अङ्गुल्यप्रेण सर्वरूपानुपलभते । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy