________________
૨૦૬
વાયદી ય
દ્રવ્ય વગેરે સત્તાના આધારે સત્તામાં ભેદ જણાવતાં કારણે છે. જેમ એક જ મુખ તેલમાં, જળમાં, અરીસામાં, હીરામાં કે તલવારમાં જુદું જુદું દેખાય, તેમ એક જ સત્તા. ગાય, ઘોડે, મનુષ્ય, પંખી વગેરે તેનાં આશ્રયરૂપ દ્રવ્યોમાં જુદી જુદી ભાસે છે અથવા ગોત્વ, અશ્વત્વ વગેરે સત્તાને કપિત ભાગે પણ સત્તામાં ભેદ દર્શાવે છે. અવિઘાથી સમજાતા દેશ, કાલ, ઇન્દ્રિયો વગેરે ભેદો પણ સત્તાના ભેદે દર્શાવે છે. અથવા સત્તાની પિતાની શક્તિઓ, જે સમગ્ર વિશ્વની રચનાને અનુકૂળ છે, તે પણ, ભેદર્શનનાં કારણોરૂપે સમજાય છે. હેલારાજ જણાવે છે કે વાસ્તવમાં એક બ્રહ્મ જ સત્ય છે અને સત્તારૂપ છે. તે અનેક રૂપે ભાસે છે. સર ખાવા : ત્રિાયાધ્યય: સત્તાભ પ્રતિપાત્ તત્સ્થતિમાં वस्त्वन्तराभावाद्यद्यपि सर्व सत्तात्मकपरब्रह्ममय तथापि व्यवहारेऽबिद्याप्रवृत्तिरूपे यथावभास भेदस्यासत्यत्यस्यापहनवनीयत्वाद् द्रव्यादिसत्ताश्रयः प्रविभागोऽयमविरुद्धः ।
पृथिव्यादिध्वभिव्यक्तौ न संस्थानमपेक्षते ।
अनुच्छिन्नाश्रया जातिरनित्येऽप्याश्रये स्थिता ॥४१॥ પૃથ્વી વગેરે દ્રવ્યોમાં રહેલી (પૃથ્વીત્વ વગેરે) જાતિ પોતાની અભિવ્યક્તિ માટે તેના અવયવ સાથેના વિશિષ્ટ સંગની અપેક્ષા રાખતી નથી, અને આશ્રયનો ઉછેદ થયો ન હોવાને કારણે જાતિ, અનિત્ય આશ્રોમાં પણ રહેલી (સમજાય) છે.(૪૧)
- પૃથ્વીત્ર વગેરે તિઓનો આશ્રય નિત્ય પરમાણુઓ છે. ગત્વ, ઘટવ વગેરે જાતિના આશ્રય અનિત્ય ગ, ઘટ વગેરે છે. સંસ્થાન એટલે પિતાના અવયવો સાથેનો વિશિષ્ટ સંગ, જેમકે ઢેકું, માટી, પથરે, ઘડે, પર્વતો વગેરે પૃથ્વીરૂપે સમજાય છે. આ અનિત્ય પદાર્થોની જાતિ એ પિતાની અભિવ્યક્તિ માટે સંસ્થાનની અપેક્ષા રાખે છે.
अनुच्छेद्याश्रयामेके सर्वा जाति प्रचक्षते ।
न योगपद्य प्रलये सर्वस्येति व्यवस्थिताः ॥४२॥ પ્રલયકાળે સવન (વિનાશ) એક સાથે થતું નથી એમ દઢપણે માનનારા જણાવે છે કે બધી જાતિઓના આશ્રયનો ઉછેદ થઈ શકતો નથી. (૪૨)
મહાપ્રલયને સમયે જાતિના બધા અવયવ વિનષ્ટ થાય છે. જાતિઓને જે આશ્રય અર્થાત આધારની જરૂર હોય તે જાતિઓ વિનષ્ટ થવાની, એવી શંકાના ઉત્તરમાં એમ કહી શકાય કે પ્રલય કદી સંપૂર્ણ થતો નથી. કેઈક આધારે તો વિદ્યમાન રહે છે જ. કઈક આશ્રય અદષ્ટ થતાં જતિ એ બીજા કેઈક આશ્રયે રહે છે. હેલીરાજ જણાવે છે કે બ્રહ્માંડ અનેક છે. બધાં બ્રહ્માંડ એક સાથે પ્રલયને પ્રાપ્ત થતાં નથી, તેથી જાતિના આશ્રયે નાશ પામતા નથી.
प्रकृतौ प्रविलीनेषु भेदेष्वेकत्रदर्शिनाम् ।
द्रव्यसत्त्वं प्रपद्यन्ते स्वाश्रया एव जातयः ।।४३।। એકત્વને સ્વીકારનારાઓના મતમાં પદાર્થો પ્રકૃતિમાં લીન બને છે ત્યારે, પોતાના આશ્રમમાં રહેલ જાતિઓ (આત્યંતિક) દ્રવ્યસર્વને પ્રાપ્ત કરે છે. (૪૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org