________________
ત્રીજુ કાંડ
आत्मभूतः क्रमोऽप्यस्या यत्रेदं कालदर्शनम् ।
पौर्वापर्यादिरूपेण प्रविभक्तमिव स्थितम् ॥३७।। ક્રમ પણ આ (સત્તા)નું જ સ્વરૂપ છે, જેમાં આ કાલદર્શન પૌપર્યરૂપે જાણે વિભક્ત હોય તેમ રહેલું (સમજાય) છે (૩૭)
ક્રિયાઓનો પર્વોપર્યાદિ ક્રમ પણ સત્તાનું સ્વરૂપ છે. આ ક્રમ સાથે જ કાલ સંકળાયેલો છે. બ્રહ્મની શક્તિરૂપે કાલ છે અને એ કાલને પરિણામે બધી ક્રિયાઓનું પૌવ પર્વે સમજાય છે.
तिरोभावाभ्युपगमे भावानां सैव नास्तिता ।
लब्धक्रमे तिरोभावे नश्यतीति प्रतीयते ॥३८॥ પદાર્થોના તિરભાવને સ્વીકારીએ તો તેને જ નાસ્તિત્વ કહેવાય છે. (આ) તિભાવને ક્રમ પ્રાપ્ત થતાં (પદાર્થ) વિનષ્ટ થાય છે એમ સમજાય છે. (૩૮)
જન્મ અને નાશ અવસ્તુ હાઈને તેમને સત્તાત્મક કેવી રીતે કહેવાય તે અંગે વિચારતાં આ કારિકામાં નાશની સત્તાત્મક્તા જણાવવામાં આવી છે. વિનાશ એટલે તિરભાવ પદાર્થોના જન્મની પહેલાં પદાર્થોના અવભાસનું જે અદશન આ છે તેને નાસ્તિતા કહીશું. પિતાનાં કારણોમાં શક્તિરૂપે રહેલ સત્તા એટલે નાશ. આવી સ્થિતિ પદાર્થોના જન્મ પહેલાં અને વિનાશ પછી પ્રાપ્ત થાય છે. સાધનોની પ્રવૃત્તિને કારણે જ્યારે નિરો ભાવ ક્રિયાપદ દ્વારા સમજાય છે, ત્યારે પૂર્વાવસ્થામાં તેને “ક્ષીણ બને છે (મારે) એમ કહે છે અને ઉત્તરાવસ્થામાં “વિનાશ પામે છે' (વિનરથતિ) એમ કહે છે.
पूर्वस्मात्प्रच्युता धर्मादप्राप्ता चोत्तरं पदम् ।।
तदन्तराले भेदानामाश्रयाज्जन्म कथ्यते ॥३९॥ અગાઉની અવસ્થામાંથી નીકળી ગયેલ અને પછીની અવસ્થાને (હજુ સુધી) પ્રાપ્ત નહિ કરનાર સત્તા, બંને (અવસ્થાઓની) વચ્ચે રહેલા જુદા જુદા વિશેષને આધારે, જન્મ કહેવાય છે. (૩૯).
જન્મ પણ સત્તાને ફેરફાર માત્ર છે એમ આ કારિકામાં સમજાવવામાં આવ્યું છે. કારણોમાં માત્ર શક્તિરૂપે રહેલો જે પૂર્વધર્મ અર્થાત અવસ્થાને પ્રાપ્ત નહિ થયેલી સત્તા તે જન્મ કહેવાય છે. તેને આધાર ઉત્તરાવસ્થાની જુદી જુદી કાર્યોન્મુખ ક્ષણે ઉપર છે.
જેમ સતમાંથી અત્યન્ત વિનાશ થતો નથી તેમ અગાઉ જેનું અસ્તિત્વ નથી તેમાંથી આવિર્ભાવરૂપે જન્મ પણ થતો નથી.
आश्रयः स्वात्ममात्रा वा भावा वा व्यतिरेकिणः ।
स्वशक्तयो वा सत्ताया भेददर्शनहेतवः ॥४०॥ સત્તામાં ભેદના દર્શન માટે તેને આધાર, અથવા તેના પોતાના કપનિક ભાગે અથવા તેનાથી જુદા દેખાતા પદાર્થો અથવા તેની પોતાની શક્તિઓ કારણે રૂપે રહેલાં છે. (૪૦).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org