SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ Re વાકયપદીય तां प्रातिपदिकार्थ च धात्वर्थ च प्रचक्षते । सा नित्या सा महानात्मा तामाहुस्त्वतलादयः ॥३४॥ તેને જ પ્રતિપાદિકને અર્થ અને ધાતુનો અર્થ કહે છે. તે નિત્ય છે. તે મહાન આત્મા છે. તેને ત્વ, તલ વગેરે (પ્રત્ય) જણાવે છે. (૩૪) - બધા પદાર્થોમાં મહાસત્તા અર્થાત્ મહાસામાન્યરૂપે જાતિ રહેલી છે. અભાવ પણ મનગોચર હોવાથી તેમાં જાતિ રહેલ છે. આ સત્તા એટલે સાંખ્ય સિદ્ધાંત પ્રમાણે મહત્તત્વ, અહંકાર અને પંચતન્માત્રા એવાં છ તો, તેના વિશેષ પરિણામ રૂપે છે. સર ખાવો હેલારાજ : પૂર્વ ૨ સäાવાગ્યા સત્તા પ્રવૃત્તિનિમિત્તભૂતા શુતિ થાયથં મિનોપાધિfauત્યયામિયા સેવ ! વ્યાકરણ અને દર્શનના અનેક ગ્રંથમાં આ બે કારિકાઓ અવતારેલી મળે છે. प्राप्तक्रमा विशेषेषु क्रिया सेवाभिधीयते । क्रमरूपस्य संहारे तत्सत्त्वमिति कथ्यते ॥३५।।। (કિયા)વિશેષમાં કમને પ્રાપ્ત કરનારી તે (સત્તા)ને ક્રિયા કહે છે, જ્યારે તેનું ક્રિયારૂપ અદષ્ટ થાય છે ત્યારે તેને દ્રવ્ય કહે છે. (૩૫) , પાક વગેરે ક્રિયાની વિગતો જેવી કે, અગ્નિ ઉપર મૂકવું, હલાવવું વગેરેમાં જે પૌર્વાપર્યરૂપ ક્રમ મળે છે તેમાં આ સતા રહેલી છે. તેને ક્રિયા કહે છે. જ્યારે આવો ક્રમ અદષ્ટ થાય છે અને આખ્યાત કે કૃપ્રત્યય પ્રાપ્ત થતું નથી ત્યારે તે સત્તાને દ્રવ્ય કહે છે. - બધા ધાતુઓ આવી સક્રમ ક્રિયા દર્શાવે છે. સક્રમ ક્રિયાનું આવું આંતર ક્રમવત્વ અદષ્ટ બને છે ત્યારે તે સત્તાને દ્રવ્ય કહે છે. જાતિ અને દ્રવ્ય બને, બ્રહ્મના વિવર્તે છે. શબ્દને અર્થ જાતિ છે અથવા દ્રવ્ય છે એવા બે પક્ષે વાસ્તવમાં એક જ છે, કારણકે બને બ્રહ્મને જણાવનારા પક્ષાક્તરે છે. વ્યાકરણશાસ્ત્ર બધા દર્શનભેદને સમજ હોવાથી બધા મતાને તે સમજાવે છે. આત્યંતિક રીતે તો મહાસત્તારૂ૫ જાતિ બ્રહ્મ છે. અતસિદ્ધાંત પરક એવુ આ અર્થદર્શન હેનારાજે વિકસાવ્યું છે. સૈત્ર માવવિજાપુ પવસ્થા: પ્રજઘરે ! क्रमेण शक्तिभिः स्वाभिरेवं प्रत्यवभासते ॥३६।। તે (સત્તા) જ (પરમાર્થરૂપ) ભાવના વિકરમાં છ અવસ્થાઓને પ્રાપ્ત કરે છે. પોતાની શક્તિઓને કારણે તે આ પ્રમાણે ક્રમમાં દેખાય છે. (૩૬) પરમાર્થરૂપ સતાત્મક ભાવની છ અવસ્થાઓ છે : જન્મે છે, છે, ફેરફાર પામે છે, વધે છે, ઘટે છે અને નાશ પામે છે. વર્ મવાિરા મવતીતિ વાર્થાનિક ગાયતે અતિ વિવરિળનતે વતે વર્ષીય વિનશ્યતીતિ ! નિરુક્ત ૧.૨૬ અહીં વિકારનો અર્થ વિવત સમજવાનો છે, પરિણામ નહિ, કારણકે પરિણામ સમજતાં અનિયત્વ પ્રાપ્ત થશે, એમ હેલારાજ સમજાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy