SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ વાય૨દીય कारणेषु पदं कृत्वा नित्यानित्येषु जातयः । क्वचित्कार्येष्वभिव्यक्तिमुपयान्ति पुनः पुनः ॥२६।। નિત્ય અને અનિત્ય કારણમાં સંબંધ પ્રાપ્ત કરીને (કાર્યમાં રહેલ) જાતિઓ વારંવાર કઈક કાય રૂપે વ્યક્ત બને છે. (૨૬) જ્યાં જ્યાં કાયની ઉત્પત્તિ થાય છે ત્યાં ત્યાં કાર્યગત જાતિ કારણરૂપે રહેલ હેઈને જાતિને કારણો સાથેનો સંબંધ પણ પ્રાપ્ત થાય છે. આવાં કારણો નિત્ય અને અનિત્ય એમ બે પ્રકારે હોઈ શકે. વશેષિક દર્શનમાં પરમાણુઓ નિત્ય કારણ છે અને સાંખ્ય દર્શનમાં પ્રધાન, પુરુષ, વગેરે નિત્ય કરે છે. દ્રવ્યની ઉત્પત્તિ પહેલાં પણ જાતિ કારણરૂપે રહેલ હોઈને તે નિત્ય છે. निवर्त्यमानं यत्कर्म जातिस्तत्रापि साधनम् । स्वाश्रयस्याभिनिष्पत्य सा क्रियायाः प्रयोजिका ॥२७।। નવીન ઉત્પન્ન થનાર જે (વટાદિ કર્મ (છે), તેમાં પણ (કાર્યોત્પત્તિ પહેલાં જાતિ સાધન રૂપે છે, (કારણ કે), પિતાને આશ્રયે રહેલા (કાર્ય)ની સિદ્ધિ માટે (કારક)વ્યાપારની તે પ્રયોજક બને છે. (૨૭) ' ઘટ રીતિ “તે ઘડે બનાવે છે માં ધટરૂપ કાર્ય નિષ્પન્ન થઈ રહ્યું છે, ત્યાં પણ જાતિ તેના સાધનરૂપે નિત્ય રહેલી હોય છે. આમ જાતિ તેના આશ્રયે રહેલા કાયની પ્રાજક બને છે, જાતિ સાધન છે; તે દ્રવ્ય અર્થાત વ્યક્તિની પ્રયોજક બને છે. विधौ वा प्रतिषेधे वा ब्राह्मणत्वादि साधनम् । व्यक्त्याश्रिताश्रिता जातेः सङ्ख्याजातिविशेषिका ॥२८॥ વિધિમાં કે પ્રતિષેધમાં બ્રાહ્મણત્વરૂપ જાતિ તેમનું સાધન છે. વ્યક્તિ (દ્રવ્ય) માં રહેલ (એકવાદ) સંખ્યામાં પ્રાપ્ત થતી સંખ્યા જાતિ, દ્રવ્યમાં રહેલ જાતિની વિશિષ્ટતા દર્શાવનારી બને છે. (૨૮) બ્રાહ્મણને હણવો એવા વિધિવાકયમાં કે “બ્રાહ્મણને ન હો એવા પ્રતિષેધવાક્યમાં બ્રાહ્મણત્વરૂપ જાતિ સાધન રૂપે છે પદનો અર્થ જતિ સમજવામાં આવૃતાં પદમાં સંખ્યારૂપી જાતિના બધ પદની વિ નક્તિ દ્વારા થાય છે. આ સ ખ્યાતિ દ્રવ્યજાતિની વિરોષક બને છે. यथा जलादिभिर्व्यक्त मुखमेवाभिधीयते । तथा द्रव्यैरभिव्यक्ता जातिरेवाभिधीयते ॥२९॥ જેમ પાણી વગેરેમાં દેખાતું મુખ, મુખ જ કહેવાય છે, તેમ શબ્દો દ્રવ્ય વડે અભિવ્યક્ત થતી જાતિનું અભિધાન કરે છે. (૨૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy