SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ ત્રીજુ કાંડ દેશ કાલ વગેરે કોઈક બાહ્ય નિમિત્તને કારણે પદાર્થોની ભિન્નતા સમજાય છે. આવી ઉપાધિ અર્થાત નિમિત્તની કલ્પના કરવામાં ન આવે તે વ્યવહાર ચાલી શકતા નથી. એકત્વ, પૃથફત્વ, સત્ત્વ કે અભાવ આવા બાહ્ય નિમિત્તથી જોડાયેલા ભાવોમાં જ પ્રાપ્ત થાય છે. તેથી સામાન્યની કલ્પના કરવામાં આવે છે. सर्वशक्त्यात्मभूतत्वमेकस्यैवेतिनिर्णये भावानामात्मभेदस्य कल्पना स्यादनर्थिका ॥२२॥ એક(એવા બ્રા)નું જ, તેની બધી શક્તિઓ સાથે તાદામ્ય છે એવો નિર્ણય કરવામાં આવતાં પદાર્થોના સ્વરૂપની ભિન્નતાની કલ્પના નિરર્થક ઠરશે. (૨૨) तस्माद् द्रव्यादयः सर्वाः शक्तयो भिन्नलक्षणाः । संसृष्टाः पुरुषार्थस्य साधिका न तु केवलाः ॥२३॥ તેથી દ્રવ્ય (ગુણ, કમર, સામાન્ય) વગેરે જુદાં જુદાં સ્વરૂપવાળી (છ) શક્તિઓ સંસૃષ્ટ હોય તે જ પુરુષની પ્રવૃત્તિની સાધક બને છે, એકલી નહિ. (૨૩) यथैव चेन्द्रियादीनामात्मभूता समग्रता । तथा संवम्धिसंबन्धसंसर्गेऽपि प्रतीयते ॥२४॥ જેમ ઈન્દ્રિય, (આત્મા, મન) વગેરેની (પરસ્પર સંઘટનરૂ૫) સમગ્રતા આતમસ્વરૂપ ( તેમનાથી અભિન્ન) છે, તેમ બ્રહ્મરૂપી સંબધી સાથે સંબંધમાં રહેલ દ્રવ્ય વગેરે શક્તિએના (સંઘટનરૂ૫) સંસર્ગમાં પણ આત્મભૂત =બ્રહ્મથી અભિન્ન સમગ્રતા) સમજાય છે. (૨૪) આકાશની જાતિ કલ્પના તેના પ્રદેશની અર્થાત અવયવોની કલ્પના ઉપરથી કરવામાં આવી. પરંતુ જગતના અન્ય મૂર્ત પદાર્થોમાં જાતિની કલ્પના તે પદાર્થોના વાસ્તવિક અસ્તિત્વ ઉપરથી કરવામાં આવે છે. અહમત પ્રમાણે અર્થ દર્શન કરાવતાં હેલા રાજ ઠસાવે છે કે આત્યંતિક સિદ્ધાંતનિર્ણય પ્રમાણે બ્રહ્મ એવું એક તત્ત્વ જ સત્ય છે, જાતિ, વ્યક્તિ વગેરે અસત્ય છે. તે બધાં બ્રહ્મની શક્તિ છે. અહીં સંબંધી એટલે બ્રહ્મ, સંબંધ એટલે બ્રહ્મ સાથે સંબંધમાં રહેલ શક્તિઓ અને સંસગ એટલે તે શક્તિઓ વચ્ચેનો સંસર્ગ. બ્રહ્મની શક્તિઓ બ્રહ્મથી અભિન્ન છે. વૈશેષિકેના છ પદાર્થો પણ બ્રહ્મની શક્તિ છે. હેલારાજે હંમેશાં અદત સિદ્ધાંત પ્રમાણે વાયુપદીયનું અર્થદર્શન કરાવ્યું છે લાજ તથા ઠંવધિનપરંપsfપ પ્રતા સે ! એવું પાઠાન્તર સમજાવતાં જો છે કે સંબંધી અર્થાત બધી શક્તિઓના આધાર એવા બ્રહ્મની સાથે સંબદ્ધ એવી દ્રવ્યાદિશક્તિઓનો પરસ્પર સંસર્ગ પણ આત્મભૂત છે” એવો અર્થ થશે. न तदुत्पद्यते किंचिद्यस्य जातिर्न विद्यते । आत्माभिव्यक्तये जातिः कारणानां प्रयोजिका ॥२५॥ જેની જાતિ ન હોય તેનું કશું ઉત્પન્ન થતું નથી. પિતાની અભિવ્યક્તિ માટે જાતિ (પતાને આશ્રયે રહેલ) કારણેની પ્રોજક બને છે. (૨૫). વા-૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy