________________
૧૯૮
વાકય૫દીય અનેક જાતિઓમાં રહેલ જાતિ સામાન્ય બેધ થશે. આ બાબતને વૈશેષિકે વિરોધ કરશે. હેલારાજને મતે વૈયાકરણે પદાર્થને અર્થ માનતા નથી પરંતુ શબ્દ જેનો બેધ કરાવે તેને અર્થ સમજે છે. (વૈયાવરાનાં ન વર્તવજ્ઞs: વિતુ પાર્થોડ: ) બધા શબ્દોમાં એક સમાન જાતિ રહેલી છે, જેને બધા અર્થો ઉપર અધ્યારેપ કરવામાં આવે છે.
जातौ पदाथे जाति विशेषो वापि जातिवत् ।
शब्दैरपेक्ष्यते यस्मादतस्ते जातिवाचिनः ।।१२।। પદને અર્થ જાતિ છે એ (પક્ષોમાં (જાતિ, ગુણ, ક્રિયા અને સંજ્ઞા) શબ્દ વડે જાતિ અથવા જાતિના જેવા જ વિશેષ (=વ્યક્તિ)ની (શબ્દાર્થ અંગે) અપેક્ષા રાખવામાં આવે છે, તેથી તે શબ્દો જાતિનો બોધ કરાવે છે. (૧૨)
સરખાવો હેલારાજ-–તથા યોગવિ વિશેષ: સંજ્ઞાશાનાં વાથઃ વ્રતીતિનિયમઃ સોs જ્ઞાતિવત સિદ્ધગાત્યા તુન્ય શક્યતે રાઃ |
द्रव्यधर्मा पदार्थे तु द्रब्ये सर्वोऽर्थ उच्यते ।
द्रव्यधर्माश्रयाद्रव्यमतः सर्वोऽर्थ इष्यते ।।१३।। પદનો અર્થ દ્રવ્ય છે એ પક્ષમાં બધા શબ્દોનો અર્થ દ્રવ્યને ધવાળો છે એમ કહેવાય છે. દ્રવ્યના ધર્મોના આશ્રયને કારણે બધા અર્થે દ્રવ્યરૂપે જણાવાય છે. (૧૩)
અહીં શબ્દનો અર્થ દ્રવ્ય છે એવા વ્યાતિના મતને (aaષાભિધાન યાદિ: ] વા. સ. ૧.૨.૬૪, વા. ૪પ) રજૂ કરવામાં આવ્યો છે. સરખા હેલારા જ–ાન થોડવું ૩ થસે सर्वाऽसौ द्रव्यधर्मयुक्त एवेत्यभिप्रायः ।
अनुप्रवृत्तिधर्मो वा जोतिस्स्यात्सर्वजातिषु ।
व्यावृत्तिधर्म सामान्य विशेषे जातिरिष्यते ॥१४॥ (ગેવ, ઘટત્વ વગેરે) સર્વ જાતિઓમાં તેમને અનુસરતી પ્રવૃત્તિ રૂપ જે ધમ છે તે જાતિ છે (અને ગુણ, ક્રિયા વગેરે) વિશેષમાં વ્યાવર્તક રૂપે રહેલે સાધારણ ધર્મ તે જાતિ છે. (૧૪)
વૈશેષિક સિદ્ધાન્તને સમક્ષ રાખીને અહીં જાતિને સમજાવવામાં આવે છે. શબ્દ તેના વ્યાપાર દ્વારા અર્થબોધ કરાવે છે. પોતાના આશ્રય એવાં બધાં દ્રવ્યોને અનુસરીને રહેનારા (સ્ત્રાવાનુવૃત્તિ) તે સાધારણ ધર્મ છે. આ અનુપ્રવૃત્તિ બધી જાતિએથી અભિન્ન હાઈને અનન્ત હોવા છતાં બધી જાતિઓમાં રહેલી હોઈ તેમની જાતિ રૂપે છેપ્રત્યેક દ્રવ્યના કૃષ્ણત્વ શુન્નત્વ વગેરે ગુણો તે તે દ્રવ્યમાં જુદા જુદા હોય છે. પરંતુ જાતિ બધાંમાં સમાન એ ધર્મ સમજવાનો છે. તે તે ગુણો જાતિના કાર્ય માટે હોય છે. બધા વિશેષોમાં પણ સામાન્ય રૂપે રહેલ ધર્મ જાતિ રૂપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org