SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ વાકય ૫દીય પ્રતિનિધિના સ્વીકાર માટે હેલારાજ બીજી બે દલીલો કરે છે. તે જણાવે છે કે લાહિરે વાતિ ને અસંભવનિયમત્યાગ અને નિયમમાત્રબોધ એમ બે રીતે સમજીશું તે જ વિધિવાકયનું સાર્થકપણું પ્રાપ્ત થશે. વાવિરે વદનાતિ અંગે પ્રતિનિધિના અસંભવના નિયમને જતો કરવો જોઈએ, જેથી શક્તિશાળી ખાદિર ધૂપ ન હોય તો શક્તિશાળી કદરયુપરૂપી પ્રતિનિધિ આવશ્યક બને. બીજું, યાવિશે વાત ! એવા વિધિવીયમાં ધૂપ ખાદિરનો જ લે, મજબૂત હોય કે નહિ, એવા નિયમવચન (Restrictive Rule) નો ત્યાગ કરવો જોઈએ, જેથી પણ કદરચૂપ રૂપી પ્રતિનિધિ, જરૂર પડે તે , લઈ શકાય. स्वजातिः प्रथम शब्दैः सर्वैरेवाभिधीयते । ततोऽर्थजातिरूपेषु तदध्यारोपकल्पना ॥६॥ (બધા) શબ્દો વડે પહેલાં પિતાની (જ શબ્દ)જાતિનું અભિધાન કરાય છે; ત્યાર પછી અર્થ જાતિનાં સ્વરૂપમાં તેના આરોપની કલ્પના કરવામાં આવે છે. (૬) ગોશબ્દ પહેલાં ગોત્વ એવી જાતિનું અભિધાન કરે છે, બધી શબ્દજાતિનું નહિ. ત્યાર પછી “ગ” પદાર્થ એવી અર્ધજાતિમાં આ ગોશબ્દજાતિના આરોપની કલ્પના કરવામાં આવે છે. અધ્યારોપ કરવામાં આવે છે એમ કહેવાથી શબદજાતિ અને અર્થ જાતિ જુદાં છે એમ ભાસે છે, પરંતુ વાસ્તવમાં તેમ નથી, આ તો ક૯૫ના માત્ર છે “આવો અધ્યારોપ, શબ્દ અને અર્થ વચ્ચેના વાચકવાગ્યભાવ માટે જવાબદાર છે. : શબ્દ બેલતાં તેના , મોં અને વિસર્ગ એવા વણને ઉચ્ચાર થતાં 11 શબ્દજાતિ ધીમે ધીમે સ્પષ્ટ થાય છે. यथा रक्ते गुणे तत्त्व कषाये व्यपदिश्यते । संयोगिसन्निकर्षांच्च वस्त्रादिष्वपि गृह्यते ॥७॥ तथा शब्दार्थसंबन्धाच्छब्दे जातिरवस्थिता । व्यपदेशेऽर्थजातीनां जातिकार्याय कल्पते ।।८।। જેમ લાલ ગુણ સાથે રહેલ લાલાશ લાખમાં આપવામાં આવે છે અને (પછી) તેની સાથે સંગમાં રહેલા પદાર્થો) ની સાથેના ઐકયતની કલપના) ને કારણે વ વગેરેમાં પણ તે સમજવામાં આવે છે તેમ, શબ્દમાં રહેલ શબ્દજાતિ, શબ્દ અને અર્થના સંબંધને કારણે અર્થ જાતિના જતિકાર્ય માટે સમર્થ બને છે. (૭-૮) આ બે કારિકાઓ અંગે હેલારાજ ઘણું સૂક્ષ્મતાપૂર્વક વિવેચન કરે છે. તે પૂછે છે કે શબ્દમાં રહેલ શબ્દવ રૂપ જાતિ અર્થ જાતિનો બેધ કેવી રીતે કરાવશે અહીં લાખમાં રહેલ લાલાશનું ઉદાહરણ આપી જણાવ્યું છે કે લાખની લાલાશ લાલવસ્ત્રોમાં પણ આરોપવામાં આવે છે. તે પ્રમાણે શબ્દ અને અર્થ વચ્ચે રહેલ નિત્ય અર્થાત થતા૩૫ સંબંધને કારણે થય' : ' એમ ઉચ્ચારાતાં શબ્દ અને અર્થ બંનેના બંધ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy