SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ લાયદીય શબ્દના અર્થને બોધ થતાં તે પદાર્થની ગતિને બેધ થાય છે અથવા દ્રવ્યને અર્થાત વ્યક્તિનો બોધ થાય છે એવી ચર્ચા વૈયાકરણમાં ઘણા સમયથી પ્રચલિત છે. પાણિનિ બંને પક્ષમાં માનતા હતા એમ પરતજલિ (મહાભાષ્ય ૧) જણાવે છે. તેમના જણુવ્યા પ્રમાણે કાત્યાયામેટમરવટુવાનમન્યતરસ્થાન (૧.૨.૫૮) એ સૂત્ર પદાર્થને આકૃતિ તરીકે સમજવે છે, અને સરવાળામશેષ સુવિમો ! (૧.૨.૬૪) એ સૂત્ર પદાર્થને દ્રવ્ય તરીકે સમજાવે છે. પાણિનિ પછી જેમને ઉલ્લેખવામાં આવે છે તે આચાર્ય વાજપ્યાયનના મતે પદનો અર્થ આકૃતિ અને આચાર્ય વ્યાડિને મતે બધાં પદોને અથ દ્રવ્ય સમજવામાં આવ્યો છે. વૈયાકરણ પરંપરામાં પછીના સમયમાં પદનો અર્થ માત્ર આકૃતિ અર્થાત જાતિ સમજવામાં આવ્યો છે. જાતિ અને વ્યક્તિ એવા શબ્દોને બદલે પ્રાચીન સમયમાં આકૃતિ અથવા સામાન્ય અને દ્રવ્ય એવા શબ્દો વપરાતા હતા. પછીના સમયમાં જાતિ અને સામાન્ય વચ્ચે ભેદ સમજવામાં આવ્યો છે. આ કારિકામાં પદનો અર્થ જાતિ અથવા દ્રવ્ય અથવા બંને છે એમ ત્રણ મતો દર્શાવ્યા છે એમ હેલારાજ સમજાવે છે. તેના અર્થદર્શન પ્રમાણે કારિકામાંનું બીજુ “અથવા (વા) ૫દ અને બે પ્રદાર્થો (૧ ) એવું દ્વિવચન ‘પદને અર્થ જાતિવિશિષ્ટ દ્રવ્ય છે' એવા ત્રીજા મતનો ઉલ્લેખ કરે છે. આવા ત્રીજા મતનું સૂચન તેણે પાણિનિનાં ઉપર ઉલ્લેખેલ સૂત્રોમાંથી લીધું છે. પદને અર્થ જાતિ અને દ્રવ્ય એમ બંને થાય છે એમ સમજતાં, ૫દ હમેશાં બંને અથ દર્શાવે છે એવું સમજવાનું નથી, પરંતુ કેઈક સ્થળે જાતિ મુખ્ય અર્થ હોય તો કેઈક સ્થળે દ્રવ્ય મુખ્ય અર્થ હોય છે એમ સમજવાનું છે. ૌમાં હમેશાં ગવરૂપ જાતિને બેધ થાય છે, પરંતુ ગદ્રવ્ય ગોત્વ વિના રહી ન શકે તેમ હોવાથી બંનેને બંધ થાય છે. શબ્દનો અર્થ જાતિ માનવામાં આવે કે દ્રવ્ય, પરંતુ તે અર્થે હમેશાં નિત્ય હોય છે હેલારાજ જણાવે છે કે આ નિયતા કુટસ્થનિત્યતા નહિ. પરંતુ પ્રવાહનિયતા છે. केषाञ्चित्साहचर्येण जातिः शक्त्युपलक्षणम् । खदिरादिष्वशक्तेषु शक्तः प्रतिनिधीयते ॥३॥ કેટલાક (આચાર્યોના મતમાં, સાહચર્યને કારણે, શક્તિના પ્રતિપાદનમાં જાતિ ઉપાયરૂપ છે. (“ખેરના થાંભલે પશુને બાંધે છે એવા વચનમાં, આવશ્યક એ ખેર ન મળતાં) ખદિર વગેરે શબ્દ બંધનકાર્ય માટે શક્તિમાન ન થવાથી (તેના જેવી કાર્ય)શક્તિવાળે પ્રતિનિધિ (કદર) લેવાય છે (૩) अस्वातन्त्र्यफलो बन्धिः प्रमाणादीव शिष्यते । अतो जात्यभिधानेऽपि शक्तिहीन न गृह्यते ॥४॥ (ખેરના યૂપે પશુને બાંધે છે શાહિરે પશું વદત્તાતિ )માં સ્વાતત્યના અભાવરૂપી ફળને દર્શાવનારા વધૂ (બાંધવું) ધાતુનું, હિંસાના પ્રારંભ વગેરેની જેમ (શાસ્ત્ર વડે) વિધાન થયું છે, તેથી (ખદિરત્વ એવું) જાતિનું અભિધાન થતું હેવા છતાં,(બઘનની) શક્તિ વિનાના (ખદિર)નું ગ્રહણ થતું નથી. (૪) Jain Education International For Private & Personal Use Only -WWW.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy