________________
तृतीयकाण्डम्
जातिसमुद्देशः ત્રીજુ કાંડ જાતિસમુદેશ
द्विधा कैश्चित्पदं भिन्न चतुर्धा पञ्चधापि वा ।
अपोद्धृत्यैव वाक्येभ्यः प्रकृतिप्रत्ययादिवत् ॥१॥ (શબ્દના) જેમ પ્રકૃતિ, પ્રત્યય વગેરે વિભાગે સમજવામાં આવ્યા છે, તેમ વાક્યોમાંથી (કલ્પના વડે) વિભાગ સમજીને પદને કેટલાક વિદ્વાન) બે પ્રકારે, (અથવા) ચાર પ્રકારે અથવા પાંચ પ્રકારે જુદું સમજ્યા છે. (૧)
વૈયાકરણ મતમાં વાય અને વાચાર્ય બંને, નિર્વિભાગ અને નિરંશ છે. કલ્પનાબુદ્ધિથી વાકયના વિભાગે સમજવામાં આવ્યા છે. આવા વિભાગમાં નામ અને આખ્યાત મુખ્ય છે. ક્રિયાવાચક પ્રત્યય જેને અંતે છે તેવું ક્રિયારૂપ જ માત્ર આખ્યાત નથી, પરંતુ ઉપસર્ગ, નિપાત, કર્મપ્રવચનીય વગેરેને પણ આખાતમાં અંતર્ભાવ થાય છે. જ્યારે વિભાગ સમજવાના હેય ત્યારે પદને માત્ર બે વિભાગ રૂપે જ નહિ પરંતુ નામ, આખ્યાત, ઉપસર્ગ અને નિપાત એમ ચાર વિભાગ રૂપે કેટલાક સમજે છે. બીજા કેટલાક વિદ્વાનો કર્મપ્રવચનીયન જુદા વિભાગ સમજીને પદને પાંચ પ્રકારે વિભક્ત થયેલું ગણે છે. સરખાવો સર્વદર્શનસંગ્રહ, દશન નં. ૧૩. પૃ. ૧૧૭-૧૨૨.
पदार्थानामपोद्धारे जातिर्वा द्रव्यमेव वा ।
पदाथों सर्वशब्दानां नित्यावेवोपवर्णिती ॥२॥ (વાકયમાંથી જુદાં સમજવામાં આવેલાં) પદેના અર્થોનું વિશ્લેષણ કરવામાં આવતાં, બધા શબ્દોના જાતિ અથવા દ્રવ્ય અને જાતિ તેમજ દ્રવ્ય એવા બે નિત્ય અર્થો જાહેર કરવામાં આવ્યા છે. (૨)
વાકયના આવા વિભાગ અને પદના આવા પ્રકારો વાગ્યાથને ધ્યાનમાં રાખીને સમજવામાં આવ્યા છે. (તરે વાવવા વિદ્યમાનસ્થ વયથાવોઢા રવિરોષાશન થથાલંમવું મેવો નિરંશવાજાથુસ્વચ્છુપાયભૂતઃ પ્રતિઃ | હેલારાજ).
વા-૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org